1 વૃધ્ધ માણસને ઠપકો ન આપ, પણ પિતાને સમજાવતો હોય તેમ તેને માનથી સમજાવ. નાના ભાઈની જેમ જુવાનોની સાથે વતોઁ, 2 વૃધ્ધ સ્ત્રીઓને માતા જેમ, જુવાન સ્ત્રીઓને બહેનો જેમ, પૂણઁ પવિત્રતા સાથે વતોઁ.
3 જે નિરાધાર વિધવાઓ છે તેઓની મદદ કરો પ્રેમથી સંભાળ લેવી જોઈએ. 4 પણ જો વિધવાઓને સંતાનો કે સંતાનોના સંતાનો હોય તો તેઓએ સૌ પ્રથમ પોતાનાં કુટુંબની સંભાળ રાખીને પોતે ધમઁનિષ્ઠ થવું જોઈએ, અને આમ પોતાના માબાપ અને દાદા-દાદીનો બદલો વાળતાં શીખે, કારણ કે આ ઈશ્વરને ગમે છે. 5 જે વિધવાઓ ખરેખર ગરીબ અને નિરાધાર છે, તે ઈશ્વર પર આશા રાખે છે, અને રાતદિવસ મદદ માટે ઈશ્વર પાસે વિનંતી અને પ્રાર્થનામાં સતત તત્પર રહે છે. 6 પણ જે વિધવાઓ મોજશોખમાં જીવે છે તે જીવતી હોવા છતાં મરેલી છે. 7 લોકોને આ સૂચનાઓ આપ, જેથી કોઈ પણ વ્યક્તિ દોષિત ન ઠરે. 8 પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
9 કોઈ પણ વિધવા સ્ત્રીને વિધવાઓની યાદીમાં ન લખવી જોઈએ, સિવાય કે તેની ઉંમર ઓછાંમાં ઓછી સાઠ વર્ષની હોય, પોતાના પતિ પ્રત્યે વિશ્વાસુ રહી હોય, 10 અને તે પોતાના સારા કાયોઁ માટે જાણીતી હોય, જેમ કે પોતાના બાળકોને સારી રીતે ઉછેર્યા હોય; પરોણાગત કરનારી હોય, પ્રભુના લોકોના પગ ધોયા હોય, મુશ્કેલીમાં હોય તેવાં લોકોને મદદ કરી હોય, અને દરેક પ્રકારના સારા કાયોઁમાં પોતાને સમપિઁત કરેલી હોય.
11 પરંતુ જુવાન વિધવાઓને આવી યાદીમાં નોંધવા નહિ કારણ કે તેઓમાં જાતીય ઇચ્છાઓ ઉત્પન્ન થવાથી મસીહ પ્રત્યેના સમપઁણને ભૂલી જઈને તેઓ લગ્ન કરવા માંગે છે. 12 આમ, તેઓ પ્રથમનાં વચનનો ભંગ કરીને પોતાના પર દંડ લાવે છે. 13 ઉપરાંત, તેઓ આળસુ બની જાય છે અને ઘરે ઘરે ફરે છે, અને તેઓ ફકત આળસુ જ નથી બનતા, પણ બીજા લોકોનાં કામકાજમાં માથું મારે છે, અને જે બોલવું ઘટારત નથી તે બોલે છે. 14 તેથી હું ઈચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, તેઓને બાળકો થાય, તથા તે પોતાના ઘરની સંભાળ રાખે, અને દુશ્મનોને નિંદા કરવાનું કોઈ મોકો ન આપે. 15 ખરેખર, કેટલાક તો શેતાનની પાછળ જવા માટે ભટકી ગયા છે.
16 જો કોઈ વિશ્વાસી સ્ત્રી પર વિધવાઓનો આધાર હોય, તો તેણે તેને મદદ કરવી જોઈએ અને મંડળી પર તેનો બોજ ન નાંખવો જોઈએ, જેથી મંડળી ખરેખર જે નિરાધાર વિધવાઓ હોય તેઓને નિભાવી શકે.
17 જે વડીલો મંડળી કામકાજ સારી રીતે ચલાવે છે, તેઓને બમણાં માનને પાત્ર ગણવાં, ખાસ કરીને જેઓ ઉપદેશ આપવામાં તથા શિક્ષણ આપવામાં વિશેષ કામ કરે છે તેઓને. 18 કારણ શાસ્ત્ર કહે છે કે, "પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ," અને "શ્રમ કરનાર પોતાના મહેનતાણાને યોગ્ય છે." 19 બે કે ત્રણ સાક્ષીઓ વગર કોઈ વડીલ પરનો આરોપ ગણાશે નહિ. 20 પણ જે વડીલો પાપ કરે છે તેઓને બધાંની હાજરીમાં ઠપકો આપ. જેથી બીજાઓને ચેતવણી મળે. 21 ઈશ્વરની, મસીહ ઈસુની તથા પસંદ કરેલાં દૂતોની હાજરીમાં હું તને આજ્ઞા કરું છું કે, તું પક્ષપાત વિના આ આજ્ઞાઓનું પાલન કર, અને પક્ષપાતથી કંઈ ન કર.
22 કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા; તું પોતે શુધ્ધ રહેજે.
23 હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને કારણે અને વારંવાર થતી બીમારીને લીધે થોડો દ્રાક્ષારસ પીજે.
24 કેટલાક લોકોના પાપ સ્પષ્ટ છે, તેઓ ન્યાયના સ્થળે પહોંચે છે; અને બીજાઓનાં પાપ પાછળથી પ્રગટ થાય છે. 25 એ જ રીતે, કેટલાક સારાં કાર્ય સ્પષ્ટ રીતે દેખાય છે, અને જે સ્પષ્ટ નથી તે કાયમ છુપાયેલા રહી શકતા નથી.