1 એ માટે જો તમને મસીહની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં મસીહ ઇશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે તમારું મન ઉપર તરફ રાખો. 2 ઉપરની વાતો પર ચિત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ. 3 કેમકે તમે મૂએલા છો, અને તમારું જીવન મસીહની સાથે ગુપ્ત રાખવામાં આવ્યું છે. 4 જયારે મસીહ, જે તમારું જીવન છે, દેખાશે, ત્યારે તમે પણ મહિમામાં તેની સાથે દેખાશો.
5 તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે. 6 આના કારણે જ ઈશ્વરનો કોપ આવે છે. 7 તમે પણ જયારે આ જગતના હતા ત્યારે એ પ્રમાણે ચાલતાં હતા. 8 પરંતુ હવે ક્રોધ, તિરસ્કાર, શાપ અને અપશબ્દો એ બધું તમારાંમાંથી કાઢી નાંખો. 9 એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમારાં જૂના માણસપણાને તેની કરણીઓ સાથે ઉતારી મૂકયું છે. 10 અને નવું માણસપણું ધારણ કર્યું છે. કે જે ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અથેઁ નવું કરાતું જાય છે. 11 તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બબઁર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ મસીહ સવઁ તથા સવઁમાં છે.
12 એ માટે પવિત્ર અને વહાલાઓ ઇશ્વરના પસંદ કરેલાં લોકોને ઘટે તેમ કરુણા, દયાળુ, નમ્રતા, મમતા, વિનય, તથા ધીરજ પહેરો. 13 એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો. 14 અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
15 અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો. 16 મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ. 17 અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.
18 પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,
19 પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
20 બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
21 પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.
22 ચાકરો, દરેક બાબતમાં તમારાં પૃથ્વી પર તમારા માલિકોની દેખરેખ હોય ત્યાં સુધી નહિ, અને તેમની કૃપા મેળવવા માટે જ નહિ, પણ હ્રદયની શુધ્ધતાથી અને પ્રભુ પ્રત્યેના આદરથી તેઓનું પાલન કરો. 23 માણસો માટે નહિ પણ તમે જે કાંઇ કરો છો તે પૂરા હ્રદયથી કરો જાણે પ્રભુની ખાતર કરતા હોય તેમ, 24 કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે, અને તમે પ્રભુ મસીહની સેવા કરો છો, 25 જે કોઇ ખોટું કરે છે તેને તેના ખોટા કાયોઁનો બદલો મળશે, અને ત્યાં કોઇ પક્ષપાત નથી.