1 તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.
2 અમને તમારાંં હૃદયોમાં સ્થાન આપો. અમે કોઇનો અન્યાય કયોઁ નથી, અમે કોઈને છેતર્યા નથી, કે કોઈનું બગાડ્યું નથી. 3 હું તમને દોષિત ઠરાવવા માટે આ કહેતો નથી; કેમકે મેં અગાઉ કહ્યું હતુ કે તમારા માટે અમારા હૃદયમાં એટલું સ્થાન છે કે અમે તમારી સાથે જીવવાને અને મરવાને પણ તૈયાર છીએ. 4 તમારી સાથે હું છૂટથી બોલું છું; મને તમારે માટે અભિમાન છે. હું દિલાસાથી ભરપૂર થયો છું; અમારી બધી મુશ્કેલીઓમાં આનંદ અનુભવુ છું.
5 કેમકે જ્યારે અમે મકદોનિયા આવ્યા, ત્યારે અમને આરામ મળ્યો નહિ, પણ ચારે તરફથી દરેક સમયે અમારે સતાવણીનો સામનો કરવો પડયો, બહારથી લડાઈઓ અને માહેથી ભય હતાં. 6 પણ નિરાશ થયેલાંઓને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો. 7 અને ફક્ત તેના આવ્યાથી નહિ, પણ અમારા તરફથી તમને પણ દિલાસો મળ્યો તેથી; વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, અને મારા પ્રત્યેની તમારી ઉત્કંઠા વિશે મને જણાવ્યું, જેથી મારો આનંદ પહેલાં કરતા વિશેષ થયો.
8 જો કે મેં મારા પત્રથી તમને દુઃખ પહોંચાડ્યું, તોપણ મને તેનો અફસોસ થતો નથી, જો કે મને અફસોસ થયો, પણ હું જોઊં છું કે થોડો સમય મારા પત્રથી તમને દુઃખ થયું, 9 હવે મને આનંદ થાય છે, તમને દુઃખ થયું એટલા માટે નહિ પણ, તમારા દુઃખે તમને પસ્તાવો કરાવ્યો માટે. કેમકે તમને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખી કરવામાં આવ્યા તેથી અમારાથી તમને કોઈ નુકશાન ન થયું. 10 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આવેલું દુઃખ શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે, પણ સાંસારિક દુઃખ મૃત્યુ લાવે છે. 11 જુઓ, પ્રભુ તરફથી આવેલા દુઃખથી તમારાંમાં શું ઉત્પન્ન થયુંઃ તેથી જ તમારામાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિદોઁષ ઠરાવવાને માટે તમારી કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, અને બદલો લેવાની કેવી તત્પરતા, એ સર્વમાં તમે પોતાને નિર્દોષ સાબિત કર્યા છે. 12 તેથી મેં તમને લખ્યું ખરું, જેણે અન્યાય કર્યા તેને માટે નહિ, કે જેને અન્યાય થયો તેને માટે પણ નહિ, પરંતુ ઈશ્વરની સમક્ષ તમે જાતે જોઈ શકો કે તમે અમારા પ્રત્યે કેટલાં સમપિઁત છો. 13 વળી આ બધાથી અમને ઉત્તેજન મળે છે.
અમારા પોતાના ઉત્તેજન ઉપરાંત, તિતસના આનંદને લીધે અમે ઘણાં જ ખુશ થયા છીએ. કેમકે તમારા બધાથી તેનો આત્મા વિસામો પામ્યો છે 14 મેં તેની આગળ તમારા વિશે અભિમાન કયુઁ હતું, અને તમે મને શરમાવ્યો નથી. પણ જેમ અમે તમને જે કહ્યું તે બધું સત્ય હતું તેમ તિતસને તમારા વિશે અમારું અભિમાન પણ સાચું પડયું. 15 તમે બધા આજ્ઞાકારી હતા અને ભય અને ધ્રૂજારીથી તેનો આવકાર કયોઁ હતો અને જયારે તે યાદ કરે છે ત્યારે તમારા માટેનો તેનો પ્રેમ વધી જાય છે. 16 મને આનંદ થાય છે કે મને તમારા પર પૂરો વિશ્વાસ છે.