1 ઈશ્વરની કૃપાથી અમને આ સેવા મળી છે, માટે અમે નાસીપાસ થતા નથી. 2 પણ શરમભરેલી ગૃપ્ત વાતોનો ઈન્કાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત પ્રગટ કરવામાં અમે ઠગાય કરતાં નથી; પણ સત્ય પ્રગટ કયાઁથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સવઁ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. 3 અને જો સુસમાચાર ઢંકાયેલ હોય, તો તે નાશ પામનારાઓ માટે જ ઢંકાયેલ છે. 4 આ જગતના અધિપતિ શેતાને તેઓનાં મન આંધળા કર્યા છે, એ માટે કે મસીહ જેને અમે પ્રગટ કરીએ છીએ, તેના સુસમાચારનો મહિમાવંત પ્રકાશ તેઓ જોઈ શકે નહિ. 5 કેમકે અમે જે પ્રગટ કરીએ છીએ તે અમે પોતાને પ્રગટ કરતા નથી પણ ઈસુ મસીહ પ્રભુ છે અને તેને લીધે અમે તમારાં સેવકો છીએ એમ કરીએ છીએ. 6 કેમકે, ઈશ્વરે કહ્યું કે, "અંધકારમાંથી પ્રકાશ થાઓ," તેમણે આપણા હ્રદયમાં પ્રકાશ પાડયો છે કે, જેથી તે ઈસુ મસીહના મોં પર ઇશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.
7 પણ આ ખજાનો અમારા નિર્બળ શરીરરૂપી નાશવંત પાત્રોમાં રાખી મૂકવામાં આવેલો છે. તેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારાંથી નથી એ જાણવાંમાં આવે. 8 ચારેબાજુ ઘેરાયેલા હોવા છતાં પણ, અમે દબાઈ ગયા નથી; મૂંઝાયેલા હોવા છતાં અમે નિરાશ થયેલાં નથી; 9 સતાવણી પામ્યા છતાં, તજાયેલા નથી; નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમે અમારા શરીરોમાં સદા ઊંચકીને ફરીએ છીએ, તેથી મસીહનું જીવન અમારામાં પ્રગટ થાય છે. 11 કેમકે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મત્યઁ શરીરમાં પ્રગટ કરવામાં આવે. 12 તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે.
13 પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી, મને વિશ્વાસ છે, માટે હું આમ બોલું છું. અમને પણ વિશ્વાસ છે, અને તેથી અમે બોલીએ છીએ; 14 અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહને મરણમાંથી સજીવન કરનાર ઈશ્વર અમને પણ સજીવન કરશે, અને તમારી સાથે અમને પણ તેમની સમક્ષ રજૂ કરશે. 15 કેમકે સઘળાં વાના તમારા લાભ માટે છે, તેથી ઘણાંની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરનાં મહીમાને અથેઁ વિષેશ આભારસ્તુતિ કરાવે.
16 તેથી અમે નાહિંમત થતા નથી. જો કે અમારા બાહ્ય શરીરો નાશ પામતાં જાય છે પણ અમારું આંતરિક જીવન દરરોજ વૃધ્ધિ પામતું જાય છે. 17 અમારા પર આવી પડતાં સંકટો અમારે સારું વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. 18 તેથી અમે દ્રશ્ય સંકટોને ન ગણકારતાં અદ્રશ્ય રહેલ ભવિષ્યમાં મળનાર સ્વર્ગના આનંદની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. પણ જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે.