1 અમે ઈશ્વરના સાથી કાર્યકરો તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો. 2 કેમકે તે કહે છે:
"યોગ્ય સમયે મેં તારું સાંભળ્યું,
તારા તારણને દિવસે તને મેં સહાય કરી."
હું તમને કહું છું કે, હમણાં જ ઈશ્વરની કૃપાનો સમય છે, હમણાં જ તારણનો દિવસ છે!
3 અમે કોઈને કદી ઠોકર ખાવાનું કારણ આપતાં નથી, જેથી અમારી સેવાનો દોષ કોઈ કાઢે નહિ; 4 પણ અમે સવઁ વાતે ઇશ્વરના સેવકોને શોભે એવી રીતે વતીઁએ છીએઃ ખૂબ ધીરજથી, મુશ્કેલીઓમાં, કષ્ટોમાં, અને સંકટોમાં; 5 અમે માર ખાધો, જેલમાં ગયા, હુમલાનો ભોગ બન્યા, અમે સખત પરિશ્રમ કર્યો, ઉંઘ વિનાની રાતોની રાતોનાં ઉજાગરા વેઠયાં અને દિવસોનાં દિવસો સુધી ભૂખ્યાં રહ્યા, 6 શુદ્ધ જીવનથી, સમજથી અને ધીરજથી અને દયાથી; માયાળુપણાંથી, નિષ્ઠાવાન પ્રેમમાં અને પવિત્ર આત્માથી કર્યું છે, 7 સત્યનાં વચનથી અને ઈશ્વરના સામર્થ્યમાં; જમણાં અને ડાબા હાથમાં ન્યાયપણાના હથિયારો સાથે; 8 માન અને અપમાન; અપકિતિઁ તથા સુકિતિઁ વડે; ઠગ ગણાતાં છતાં ખરા રહીને; 9 અજાણ્યા છતાં બધું જાણીતા હોય; જાણે મરતા હોઈએ એવા છતાં, જુઓ અમે તો જીવતાં છીએ; શિક્ષા પામેલાઓના જેવા છતાં મારી નંખાયેલા નથી. 10 દુઃખી હોવા છતાં આનંદી છીએ. ગરીબ હોવા છતાં બીજાઓને ધનવાન બનાવીએ છીએ; કાંઈ નહિ હોવા છતાં અમે સર્વસંપન્ન છીએ.
11 કરિંથીઓ, અમે તમારી સાથે દિલ ખોલીને વાત કરી છે અને તમારા માટે અમારા હ્રદય ખુલ્લા થયાં છે. 12 અમે તમારાં પરનો પ્રેમ ઓછો કરતા નથી, તમારાં પ્રેમનો અભાવ છે. 13 તો એને બદલે તમને મારાંં બાળકો ગણીને, તમે પણ તમારાંં હૃદયો ખુલ્લાં કરો.
14 અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય? 15 મસીહ અને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો મેળ હોય? 16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:
હું તેઓની સાથે રહીશ અને,
તેઓની વચ્ચે ચાલીશ,
અને હું તેઓનો ઈશ્વર થઈશ,
અને તેઓ મારા લોક થશે.
17 માટે,
"તેઓમાંથી નીકળી આવો
અને અલગ થાઓ,
અશુધ્ધ વસ્તુને અડકશો નહિ,
એટલે હું તમારો સ્વીકાર કરીશ,
એમ પ્રભુ કહે છે."
18 અને,
"હું તમારો પિતા બનીશ,
અને તમે મારા દીકરા અને દીકરીઓ બનશો,
એવું સર્વશકિતમાન પ્રભુ કહે છે."