1 કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના,
સવઁ સંતો જોગ લિખિતંગ ઈશ્વરની ઈચ્છાથી મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ તથા ભાઈ તિમોથી:
2 ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર. 4 જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ. 5 કેમકે કે જેમ આપણે મસીહને માટે વધુ સહન કરીશું, તેમજ મસીહને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. 6 પણ જો અમને વિપતિ પડે છે, તો તે તમારા દિલાસા અને તારણને સારું છે કે, જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુઃખો ધીરજથી સહન કરવાની શકિત તમારામાં ઉત્પન્ન થાય; 7 અને તમારા માટે અમારી આશા મજબુત છે; કેમકે જેમ તમે દુઃખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ ભાગિયા છો એ અમને માલૂમ છે,
8 ભાઈઓ અને બહેનો, જે વિપતિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી તે વિપતી અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી; 9 ખરેખર, અમને લાગ્યું કે જાણે અમે મરણની શિક્ષા થઈ હોય. પણ આ એટલા માટે બન્યું કે અમે પોતા પર નહી પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કે જે મૂએલાને જીવતાં કરે છે. 10 તેણે આવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે; વડી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે. 11 તમે તમારી પ્રાથઁનાઓથી અમને સહાય કરજો, કે ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારા વતી ઘણાં આભારસ્તુતિ કરે.
12 હવે આ અમારો ગવઁ છે: અને અમારી પ્રેરકબુધ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રતાથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વત્યાઁ. 13 કેમકે તમે જે વાંચો છો અને માનો છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી; 14 જો કે તમે હાલ મારી વાતો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી તોપણ મારી આશા છે કે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમન વખતે તમે એ બધું સંપૂર્ણ સમજી શકશો અને મારે લીધે ગૌરવ અનુભવશો. તે જ પ્રમાણે અમે પણ પ્રભુને દિવસે તમારે લીધે ગવઁ અનુભવીશું.
15 કેમકે આ બાબતની અમને ખાતરી હતી, એટલે હું તમારી મુલાકાત લેવાં માગતો હતો, જેથી તમને બમણો આશીર્વાદ પ્રાપ્ત થાય. 16 તેથી મેં મકદોનિયા જતી વખતે તથા પાછા ફરતી વખતે તમારી મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. કે જેથી તમે મને યહૂદિયા માટે વિદાય આપી શકો. 17 તો મારો એવો ઈરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું મનસુબો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું હા ની હા ને ના ની ના હોય?
18 પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ અમારો સંદેશ "હા" તે "હા" જ છે, અને "ના" તે "ના" જ છે. 19 કેમકે ઇશ્વરનો પુત્ર ઈસુ મસીહ જે અમારા દ્રારા, તિમોથી, સિલ્વાનુસ અને હું તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તેમાં "ના" નું "હા" કહ્યું નથી અને "હા" નું "ના" કહ્યું નથી. પણ તેનામાં તો હા જ છે 20 કેમકે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ મસીહમાં હા છે; અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. 21 હવે અમને તમારી સાથે મસીહમાં જે સ્થિર કરે છે તથા જેને અમને અભિષિકત કર્યા છે, તે ઈશ્વર છે. 22 તેણે અમને મુદ્રાકિત કર્યા છે, અને અમારા હ્રદયમાં પવિત્ર આત્માનો બાનું પણ આપ્યું છે.
23 પણ મારા જીવનાં સમ ખાઈને હું ઈશ્વરને સાક્ષી રાખીને હું કહું છું કે તમારાં પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી. 24 તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવિએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદનાં સહભાગીયા છીએ; કેમકે વિશ્વાસથી તમે દ્રઢ રહો છો.