1 મારા થોડાઘણા મૂર્ખપણાંનું સહન કરો તો સારું; પણ તમે સહન તો કરો છો. 2 કેમકે ઇશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું; કેમકે એક પતિ સાથે મેં તમારો વિવાહ કયોઁ છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને મસીહને સોંપુ. 3 જેમ સપેઁ કપટથી હવાને છેતરી તેમ પ્રભુ પ્રત્યેના તમારાં નિખાલસ અને શુધ્ધ મસીહ પ્રત્યેનાં ભકિતભાવમાંથી તમે પણ કોઈ રીતે ચલિત થઈ જાઓ એવો મને ભય લાગે છે. 4 કેમકે જો કોઇ આવીને અમે જે ઈસુને પ્રગટ કર્યા છે તેમને બદલે કોઈ તમને બીજા ઈસુ વિશે જણાવે, અથવા જે પવિત્ર આત્મા તમને મળેલો છે તેને બદલે જુદો આત્મા તમે પામો, અથવા તમે જે પામ્યાં છો તેનાથી અલગ બીજા કોઈ સુસમાચાર તમે પામો, કે જે તમે સહેલાઈથી માની લો એવા છો!
5 જો કે "ઉત્તમ પ્રેષિતો" મારા કરતાં કોઈ પણ રીતે ચઢીયાતા હોય એવું મને લાગતું નથી. 6 જો કે હું સારો વકતા નથી, પણ જ્ઞાન તો ધરાવું છું. અને આ વાત મેં તમારી આગળ સ્પષ્ટ કરેલી છે. 7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કયોઁ, એટલે તમને અમે ઇશ્વરના સુસમાચાર મફત પ્રગટ કયાઁ, એમાં મેં શું પાપ કયુઁ? 8 તમારી સેવા કરી શકું એ માટે મેં બીજી મંડળીઓએ ને લૂંટીને તમને મદદ કરી. 9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ; કેમકે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા; તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી; અને હું સવઁ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહયો, અને દૂર રહીશ. 10 મારાંમાં રહેલી મસીહની સત્યતાથી હું કહું છું કે આખા અખાયાના કોઈ પણ પ્રદેશમાં મારા આ અભિમાનને કોઈ અટકાવી શકશે નહિ. 11 શા માટે? શું હું તમારાં પર પ્રેમ રાખતો નથી તેથી? પ્રભુ જાણે છે.
12 પણ હું જે કામ કરું છું તે ચાલુ જ રાખીશ કે, જેથી તેઓ અમારી સાથે અભિમાન કરવાની તક ઈચ્છે છે તેઓને જમીન પરથી ઉતારી શકાય. 13 કેમકે આવા લોકો જૂઠા પ્રેષિતો, કપટથી કામ કરનારાં મસીહના પ્રેષિતોનો વેશ ધારણ કરે છે. 14 અને એમાં કશી જ નવાઈ લાગતી નથી. શેતાન પણ પ્રકાશનાં દૂતનો વેશ ધારણ કરે છે. 15 તેથી તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો એમાં કંઈ નવાઈ નથી. તેઓનાં કામોને પ્રમાણે તેઓનો અંત થશે.
16 હું ફરીથી કહું છું કે: કોઈ મને મૂર્ખ ન માનતા. પણ જો તમે એમ જ માનતા હો તો મને મૂખઁની જેમ સહન કરો, જેથી હું થોડુંક અભિમાન કરું. 17 આ અભિમાન કરવામાં હું પ્રભુની જેમ નહિ પણ મૂર્ખની માફક બોલું છું. 18 ઘણાં લોકો સાંસારીકની જેમ અભિમાન કરે છે, તેથી હું પણ અભિમાન કરીશ. 19 કેમકે તમે પોતે ઘણાં બુધ્ધિમાન છો, તેથી તમે ખુશીથી મૂખોઁને સહન કરો છો! 20 હકીકતમાં જે કોઈ તમને ગુલામ બનાવે છે, તમારો ગેરલાભ ઉઠાવે છે, તમારું શોષણ કરે છે, જો કોઈ પોતાને મોટો મનાવે છે, કે તમને મોં પર તમાચો મારે છે, તેને પણ તમે સહન કરો છો! 21 મને કહેતાં શરમ લાગે છે કે અમે તેનાં માટે નિબઁળ હતા,
બીજું કોઈ જે કાંઈ વિશે અભિમાન કરવાની હિમંત કરે છે, હું મુઁખ તરીકે બોલું છું, હું પણ તે વિશે અભિમાન કરવાની હિમંત કરું છું. 22 શું તેઓ હિબ્રૂઓ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલીઓ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહમના વંશજ છે? તો હું પણ છું. 23 શું તેઓ મસીહનાં સેવકો છે? (આ હું એક ઘેલાં માણસની જેમ કહું છું.) હું તેઓના કરતાં વિશેષ છું, મેં તેઓના કરતાં કઠિન પરિશ્રમ કર્યા છે, વારંવાર જેલ ભોગવી છે, બેસુમાર ફટકા ખાધા છે, અને અનેકવાર મોતનો સામનો કર્યા છે. 24 પાંચ વખત યહૂદીઓએ ઓગણ ઓગણ ચાળીસ ફટકાનો માર માર્યો. 25 ત્રણ વાર મેં લાઠીઓનો માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક વાર આખી રાત અને આખો દિવસ હું દરિયામાં પડી રહ્યો. 26 મેં લાંબી મુસાફરીઓ કરી છે. નદીઓના ભયમાં, લૂંટારુંઓના ભયમાં, મારા પોતાના યહૂદી લોકોનાં ભયમાં, અને વિદેશીઓનાં ભયમાં, વળી શહેરોનાં અને દેશોનાં ભયમાં તથા સમુદ્રના ભયમાં; અને ખોટા વિશ્વાસીઓના ભયમાં રહ્યો છું. 27 મેં થાક, દુઃખ, ઉજાગરા સહન કર્યા છે, ઘણીવાર મને ભૂખ અને તરસનો અનુભવ થયો છે. અને ઘણીવાર ખાધા વગર રહ્યો છું, ઠંડી તથા નગ્નતાનો અનુભવ કયોઁ છે. 28 આ સર્વ ઉપરાંત મને મંડળીઓની પરિસ્થિતિ વિશેની ચિંતા સતત રહ્યા કરે છે. 29 કોણ નિબઁળ છે, અને શું હું નિબઁળ નથી લાગતો? કોઈ તમને પાપમાં દોરતું હોય અને શું હું અંદરથી બળતો નથી?
30 પણ જો હું અભિમાન કરવા ચાહું તો મારી નિર્બળતા વિશે હું અભિમાન કરીશ. 31 આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વર કે, જે સદાસર્વકાળ સ્તુત્ય છે તે જાણે છે કે, હું જૂઠું બોલતો નથી: 32 દમાસ્કસના આરેતાસ રાજાનાં રાજ્યપાલે મને પકડવા માટે શહેરનાં દરવાજે ચોકીપહેરો ગોઠવ્યો હતો. 33 પણ શહેરનાં કોટ પરની બારીમાંથી ટોપલામાં બેસાડીને મને નીચે ઉતારી દેવામાં આવ્યો અને તેના હાથમાંથી હું બચી ગયો.