Publicidade

1 Coríntios 6

વિશ્વાસીઓમાં મુકદમો

1 તમારાંમાંના કોઈને બીજા સાથે તકરાર થઇ હોય, તો શું તમે તેને પ્રભુના લોકોની પાસે જવાને બદલે અધમીઁઓની પાસે ન્યાય માટે લઇ જવાની હિંમત કરો છો? 2 પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? 3 આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે! 4 માટે જો તમને આવી બાબતો વિષે તકરાર થાય, તો શું તમે એવા લોકો પાસે નિણઁય માંગો છો જેમનાં જીવનનો મંડળીમાં તિરસ્કાર કરવામાં આવે છે? 5 હું તમને શરમિંદા બનાવવાં માગું છું. ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો એક પણ બુધ્ધિમાન માણસ શું તમારી મંડળીમાં નથી! 6 પણ એવું કરવાને બદલે વિશ્વાસીઓ એકબીજાને કોર્ટમાં ઘસડી જાય છે અને તે પણ અવિશ્વાસીઓની આગળ!

7 તમારામાં મુકદમા છે એનો અથઁ કે તમે પહેલેથીજ પૂરેપૂરા હારી ગયા છો. અન્યાય સહન કરતા નથી? કેમ છેતરપિંડી કરતા નથી? 8 તેના બદલે, તમે પોતે છેતરપિંડી કરીને અન્યાય કરો છો. અને તે વળી તમારા ભાઈઓ અને બહેનો સાથે કરો છો 9 શું તમે નથી જાણતા કે દુષ્ટ લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહિ? છેતરાતા નહિ: લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ ધરાવનારાઓ, 10 ચોરી, લોભ કરનારાં, દારૂડિયા, નિંદાખોરો અને લુંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી. 11 તમારાંમાંના કેટલાક એવા જ હતા. પણ તમે પ્રભુ ઈસુ મસીહ અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા શુધ્ધ થયા, તમને પવિત્ર કરી ન્યાયી ઠરાવ્યા.

જાતીય અનૈતિકતા

12 "તમે કહો છો, મને કંઇ પણ કરવાનો અધિકાર છે," પણ બધું જ લાભકારી નથી. "મને કંઈ પણ કરવાનો અધિકાર છે," પણ હું કોઇને આધીન થવાનો નથી. 13 તમે કહો છો કે, "ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, અને ઈશ્વર તે બંન્નેનો નાશ કરશે." હવે શરીર વ્યભિચાર માટે નથી પણ પ્રભુને માટે છે, અને પ્રભુ શરીરને માટે. 14 ઈશ્વરે પોતાના સામર્થ્યથી પ્રભુને મૃત્યુમાંથી સજીવન કર્યા, અને તે આપણને પણ સજીવન કરશે. 15 તમારાંં શરીરો મસીહના અવયવો છે એ શું તમે જાણતા નથી? તો શું હું મસીહનાં અંગોને વેશ્યાનાં અંગો બનાવું? ના કદી નહિ! 16 જો કોઈ માણસ વેશ્યાની સાથે જોડાય છે તો તે એક દેહ બને છે, એ શું તમે નથી જાણતા? કેમકે કહે છે તેમ, "તેઓ બન્ને એક દેહ બની જશે." 17 પણ જે કોઇ પ્રભુ સાથે જોડાય છે તે આત્મામાં તેમની સાથે એક થાય છે.

18 વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. 19 શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; 20 તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-