1 હવે મૂર્તિઓને ધરાવેલ ખોરાક વિશે છે: આપણે જાણીએ છીએ કે "આપણા સવઁમાં જ્ઞાન છે" પણ જ્ઞાન ગવઁ ધરાવે છે જયારે પ્રેમ ઉન્નતિ કરે છે. 2 જો કોઈ એમ માને કે તે કંઈક જાણે છે, તે હજું સુધી જેવું જાણવું જોઈએ તેવું જાણતો નથી. 3 પરંતુ, જે કોઇ ઈશ્વર પર પ્રેમ રાખે છે તેને ઈશ્વર ઓળખે છે.
4 તો હવે, મૂતિઁઓને અપઁણ કરેલાં ખોરાક વિશેઃ આપણે જાણીએ છીએ કે "મૂતિઁ જગતમાં કંઇજ નથી અને એક વિના બીજો કોઇ ઈશ્વર નથી." 5 કેમકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતાં અનેક ઈશ્વર છે. (અને એવા તો ઘણા ઇશ્વરો અને ઘણા પ્રભુઓ છે), 6 તોપણ આપણે જાણીએ છીએ કે આપણે તો એક જ ઈશ્વર છે, એટલે પિતા, જેમનાથી બધી વસ્તુંઓ આવી અને જેમનાં માટે આપણે જીવીએ છીએ; અને પ્રભુ પણ એક જ છે, ઈસુ મસીહ જેનાથી બધી વસ્તુ આવી અને આપણે જીવીએ છીએ.
7 પણ બધાંની પાસે આ જ્ઞાન નથી. કેટલાંક લોકો હજું પણ મૂતિઁઓ પ્રત્યે એટલા ટેવાયેલા છે કે જયારે તેઓ નૈવેદ ખાય છે ત્યારે તેઓ ઇશ્વરને અપઁણ કરેલો ખોરાક માને છે, અને તેમનું અંતઃકરણ નબળુ હોવાથી ભ્રષ્ટ થાય છે. 8 ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવતો નથી; આપણે જો ખાઈએ તો કાંઈ વધારે સારાં થઈ જતા નથી અને ન ખાઈએ તો વધારે ખરાબ થઈ જતા નથી.
9 પણ સાવધ રહો, કે તમારા અધિકારોનો ઉપયોગ નબળાં લોકો માટે ઠોકરનું કારણ ન બને. 10 કેમકે જો કોઇ નબળુ અંતઃકરણ ધરાવતો માણસ, તેનામાં જ્ઞાન છતાં મૂતિઁના મંદિરમાં ખાતો જુએ, તો શું તેનું અંતઃકરણ મૂતિઁઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે? 11 તેથી આ નબળાં ભાઈ કે બહેન જેને માટે મસીહ મરણ પામ્યા તે તમારા જ્ઞાનથી નાશ પામે છે. 12 જયારે તમે આ રીતે તેમની વિરુધ્ધ પાપ કરીને તેમના નબળાં અંતઃકરણને ઠોકર ખવડાવો છો, ત્યારે તમે મસીહ વિરુધ્ધ પાપ કરો છો. 13 તેથી ખોરાકને લીધે મારો ભાઈ કે બહેન પાપમાં પડતા હોય, તો હું ફરીથી માંસ નહિ ખાઉં, જેથી હું તેમને ઠોકર ન ખવડાવું.