Publicidade

Atos 14

ઈકોનિયમમાં

1 ઈકોનિયમમાં પાઉલ અને બાર્નાબાસ રાબેતા મુજબ સભાસ્થાનમાં ગયા. ત્યાં તેમણે એવા સામર્થ્યથી બોલ્યા કે ઘણાં યહૂદીઓ અને ગ્રીકોએ વિશ્વાસ કયોઁ. 2 પણ જે યહૂદીઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ હતો, તેઓએ વિદેશીઓને ઉશ્કેયાઁ અને તેમના મનમાં ભાઈઓની વિરુદ્ધ ઝેર ફેલાવ્યું. 3 તેથી, પાઉલ તથા બાનાઁબાસે તેમની સાથે લાંબો સમય વિતાવ્યો, હિમતથી ઉપદેશ આપ્યો. તેઓને ચમત્કારો તથા ચિન્હોથી ઈશ્વરે કૃપાનો ઉપદેશ સાબિત કરી આપ્યો. 4 શહેરનાં લોકોમાં ભાગલા પડયાં; કેટલાકે યહૂદીનો પક્ષ લીધો જયારે બીજાઓએ પ્રેષિતોની પડખે રહ્યા. 5 પછી બિનયહૂદીઓ, યહૂદીઓ બંનેએ તેઓના આગેવાનો સાથે મળીને તેઓને દુઃખ પહોંચાડવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું. 6 પણ આ વાતની ખબર પડતાં તેઓ લુકાનીઆનાં નગરો લુસ્ત્રા, અને દર્બે તથા આજુબાજુના પ્રદેશોમાં નાસી ગયા. 7 ત્યાં તેઓ સુસમાચાર પ્રગટ કરતા ફર્યા.

લુસ્ત્રા અને દઁબેમાં

8 અને લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. જે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. 9 તે પાઉલને બોલતો સાંભળતો હતો. પાઉલ તેના તરફ ધ્યાનથી જોયું કે તેને સાજા થવાનો વિશ્વાસ છે. 10 અને મોટે અવાજે કહ્યું, "તારા પગ પર ઊભો થા!" પછી તે માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.

11 જયારે લોકોએ પાઉલે જે કયુઁ તે જોયું ત્યારે લુકોનિયાની ભાષામાં પોકારો કયોઁ. "દેવો માનવરૂપમાં આપણી પાસે ઉતરી આવ્યા છે." 12 તેઓએ બાર્નાબાસને ઝિયૂસ કહયો અને પાઉલને હેર્મેસ કહયો, કેમકે તે મુખ્ય વકતા હતો. 13 શહેરની બહાર ઝિયૂસનું મંદિર હતું. તેનો યાજક ફૂલહાર અને બળદો લઈને આવ્યો. તે તથા લોકો શહેરને દરવાજે તેઓને બલિદાન આપવાંં માગતા હતા.

14 પણ જયારે પ્રેષિત બાર્નાબાસ અને પાઉલે આ સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના વસ્ત્રો ફાડયાં અને લોકોની વચ્ચે દોડી જઈને મોટે સાદે કહ્યું, 15 "મિત્રો, તમે આવું કેમ કરો છો! અમે પણ તમારી માફક માણસો જ છીએ, અમે તમને શુભસંદેશ પ્રગટ કરીએ છીએ કે આ વ્યર્થ બાબતો છોડી ને; આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો તે જીવંત ઈશ્વરની તરફ ફરો. 16 ભૂતકાળમાં તેમણે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે ચાલવા દીધી. 17 છતાં તેમણે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી, તેમણે દયા દર્શાવી છે, તે તમને આકાશમાંથી વરસાદ અને ઋતુ પ્રમાણે પેદાશ ઉપજાવે છે, તે તમને ખૂબ ખોરાક આપે છે, અને તમારાંં હ્રદયને આનંદીત કરે છે." 18 આમ કહ્યાં છતાં પણ તેને પોતાને અર્પણો ચઢાવવામાંથી લોકોને મહામુશ્કેલીએ અટકાવ્યા.

19 પછી અંત્યોખ અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. ટોળાને પોતાની તરફ ખેઁચ્યા. તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેર બહાર ઘસડી ગયા.

20 પણ તેની આજુબાજુ શિષ્યો ભેગા થયા પછી, તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજા દિવસે બાર્નાબાસની સાથે તે દર્બે ગયો. 21 તે શહેરમાં તેઓએ સુસમાચાર પ્રગટ કર્યો અને ઘણાંને શિષ્યો બનાવ્યાં. પછી તેઓ લુસ્ત્રા અને ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા. 22 તેઓએ શિષ્યોને દ્રઢ કયાઁ અને વિશ્વાસમાં ટકી રહેવા માટે ઉતેજન આપ્યું તથા તેઓએ જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ઘણાં સંકટોમાં થઈને પસાર થવું પડે છે. 23 પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળીઓમાં વડીલોની નિમણૂંક કરી અને ઉપવાસસહિત પ્રાર્થના કરીને જે ઈશ્વર પર તેઓએ વિશ્વાસ મૂકયો હતો તેમના હાથમાં સોંપ્યા. 24 તેઓ પિસીદિયા થઈને પાછા પામ્ફૂલિયા ગયા. 25 અને પછી તેઓએ પગેઁમાં ઉપદેશ આપીને તેઓ અતાલિયા ગયા.

26 પછી આતાલીયાથી વહાણમાં બેસીને તેઓ અંત્યોખ આવ્યા, ત્યાં તેઓ જે કામ પૂરું કર્યું હતું તે માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા. 27 તેઓ ત્યાં આવ્યા પછી તેઓએ મંડળીને એકત્ર કરી, અને પોતાની મારફતે જે કાંઇ કયુઁ હતું. અને તેમણે બિનયહૂદીઓ માટે વિશ્વાસનું દ્વારા ખોલ્યું છે તેનો અહેવાલ આપ્યો. 28 ત્યાં શિષ્યોની સાથે તેઓ ઘણો સમય રહ્યા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-