1 કાઈસારિયામાં કર્નેલ્યસ નામનો એક માણસ હતો. તે ઈટાલીયન પલટનનો કેપ્ટન હતો. 2 તે અને તેનાં કુટુંબીજનો ધાર્મિક અને ઈશ્વરનો ભય રાખનારાં હતાં. તે જરૂરિયાત મંદોને દાન આપવામાં ઉદાર હતો અને હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરતો હતો. 3 એક દિવસે બપોર પછી ત્રણેક વાગ્યે તેને દર્શન થયું. તેણે ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો જોયો. દૂતે તેને કહ્યું, "કર્નેલ્યસ!"
4 કર્નેલ્યસે ગભરાઈને તેની સામે એકીટશે જોતાં તેને પૂછયું, "પ્રભુ, એ શું છે?"
દૂતે જવાબ આપ્યો, "તારી પ્રાર્થનાઓ અને ગરીબોને આપેલા તારાં દાન ઈશ્વર પાસે પહોંચ્યા છે. 5 હવે તું માણસોને જોપ્પા મોકલ ને સિમોન જેનું બીજું નામ પિતર છે, તેને બોલાવ. 6 તે સિમોન નામે એક ચમારને ઘરે તે ઊતર્યો છે. તેનું ઘર દરિયા કિનારે આવેલું છે."
7 જયારે દૂત તેની સાથે વાત કરતો હતો, ત્યારે કર્નેલ્યસે તેના બે નોકરોને અને તેના સેવકોમાં નો એક ધામિઁક અંગરક્ષક સૈનિકને બોલાવ્યાં. 8 જે થયું હતું તે તેઓને કહી સંભળાવ્યું અને તેઓને જોપ્પા મોકલ્યા.
9 બીજે દિવસે બપોરે જયારે તેઓ મુસાફરી કરતાં શહેરની નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર પ્રાર્થના કરવા માટે ઘરનાં ધાબા પર ચઢયો. 10 તેને ભૂખ લાગી અને ખાવા માટે કંઇક માંગ્યું, અને જયારે ખોરાક તૈયાર થઇ રહયો હતો, એટલામાં તેને મૂર્છા આવી. 11 તેણે જોયું તો આકાશ ઊઘડેલું હતું અને ચારેય છેડેથી લટકાવવામાં આવેલી એક મોટી ચાદર નીચે પૃથ્વી પર ઊતરતી જોઈ. 12 તેમાં દરેક પ્રકારનાં ચાર પગ વાળા પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ હતાં. 13 પછી એક વાણી એ તેને કહ્યું "પિતર ઉઠ, મારીને ખા!"
14 પિતરે જવાબ આપ્યો, "ના, પ્રભુ! મેં કયારેય નાપાક કે અશુધ્ધ વસ્તુ કદી ખાધી નથી."
15 ફરીથી વાણી સંભળાઈ, "ઈશ્વરે જેને શુધ્ધ કર્યું છે તેને તું અશુધ્ધ ન ગણ."
16 એમ ત્રણ વખત થયું, પછી તરત જ ચાદર આકાશમાં પાછી લઈ લેવામાં આવી.
17 જયારે પિતર આ સંદશઁન નો અથઁ જાણવા મુંઝવણમાં હતો, ત્યારે કર્નેલ્યસે મોકલેલાં માણસો સિમોનનું ઘર પૂછતાં બારણાં આગળ ઊભા રહ્યા. 18 તેઓએ હાક મારીને પૂછયું કે "સિમોન જે પિતર કહેવાય છે તે અહીં રહે છે?"
19 જયારે પિતર દર્શન વિશે વિચારતો હતો, ત્યારે આત્માએ તેને કહ્યું, "ત્રણ માણસો તને શોધે છે. 20 તો ઉઠ અને નીચે જા, તેઓની સાથે જવામાં ગભરાતો ના, કેમકે મેં તેઓને મોકલ્યા છે."
21 પિતર નીચે ગયો અને પેલા માણસોએ કહ્યું, "તમે જે માણસને શોધો છો તે હું જ છું, તમે શા માટે આવ્યા છો?"
22 તે માણસોએ જણાવ્યું કે, "અમે કર્નેલ્યસ નામના સુબેદાર પાસેથી આવ્યા છીએ, તે ન્યાયી અને ઇશ્વરનો ડર રાખનાર માણસ છે. બધા યહૂદીઓ લોકો તેને માન આપે છે. એક પવિત્ર દૂતે તેને કહ્યું કે તે તને પોતાના ઘરે બોલાવે, જેથી તારે શું કહેવાનું છે તે સાંભળી શકે." 23 પછી પિતરે તે માણસોને ઘરમાં મહેમાન તરીકે બોલાવ્યાં.
બીજે દિવસે જોપ્પાના કેટલાક વિશ્વાસીઓને લઈને તે તેઓની સાથે ગયો. 24 બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા. કર્નેલ્યસ તેઓની રાહ જોતો હતો, અને તેણે પોતાનાં સગાંસંબંધી અને મિત્રોને બોલાવ્યાં હતાં. 25 જયારે પિતર ઘરમાં ગયો, ત્યારે કર્નેલ્યસે જમીન પર પડીને તેને પ્રણામ કર્યા. 26 પિતરે તેને ઉઠાડીને કહ્યું, "ઊભો થા!" તેણે કહ્યું કે "હું પણ પોતે માણસ જ છું."
27 જયારે પિતર તેની સાથે વાતો કરતો હતો, ત્યારે તે અંદર ગયો. ત્યાં તેણે ઘણાંને ભેગા થયેલા જોયા. 28 તેણે તેઓને કહ્યું, "તમે સારી રીતે જાણો છો કે બિનયહૂદી સાથે સંબંધ રાખવો કે તેમની મુલાકાત લેવીએ યહૂદી માટે નિયમોની વિરુધ્ધ છે, પણ પ્રભુએ મને બતાવ્યું છે કે મારે કોઈ પણને નાપાક અથવા અશુધ્ધ ગણવાં નહિ. 29 તેથી તમારાં બોલાવતાંની સાથે જ હું આનાકાની કયાઁ વગર અહીં આવ્યો છું. તમે મને શા માટે બોલાવ્યો છે તે જણાવશો?"
30 કર્નેલ્યસે જવાબ આપ્યો, "ત્રણ દિવસ પહેલાં હું મારા ઘરે આ સમયે બપોરે ત્રણ વાગે હું પ્રાર્થના કરતો હતો, ત્યારે તેજસ્વી ઝભ્ભો પહેરેલાં એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો. 31 અને કહ્યું, ‘કર્નેલ્યસ, ઇશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને ગરીબોને તારાં દાન સ્મરણમાં આવ્યા છે. 32 હવે સિમોન પિતર કહેવાય છે તેને જોપ્પા બોલાવ, તે સમુદ્ર કાંઠે સિમોન ચમારને ઘરે ઊતર્યો છે.’ 33 તેથી તરત જ મેં તને તેડાવ્યો. અને તું આવ્યો તે તેં સારું કર્યું, હવે અમે અહીં ઈશ્વરની સમક્ષતામાં છીએ, જેથી પ્રભુએ તમને જે કહેવાનો આદેશ આપ્યો છે તે બધુ કહી સંભળાવ."
34 ત્યારે પિતરે બોલવાનું શરૂ કયુઁ, "હવે હું સમજુ છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. એ વાત કેટલી સાચી છે. 35 પણ દરેક દેશમાં જે કોઇ તેનો ડર રાખે છે અને જે સાચું છે તે કરે છે તેને તે સ્વીકારે છે. 36 તમે જાણો છો કે ઇઝરાયેલ લોકોને અપાયેલા શુભસંદેશ વિશે તમે સાંભળ્યું હશે કે ઈસુ મસીહ જે સર્વનો પ્રભુ છે તેમના દ્વારા શાંતિના સુસમાચાર પ્રગટ કરતા. 37 યોહાન બાપ્તિસ્તે આ સંદેશાનો આરંભ ગાલીલથી કર્યા હતો અને તમે જાણો છો કે આખા યહૂદિયાના પ્રદેશમાં શું બન્યું. 38 કેવી રીતે નાઝરેથના ઈસુને ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્ય દ્વારા અભિષિકત કર્યા, અને કેવી રીતે તેઓ સર્વત્ર ભલું કરતા ફર્યા અને જેઓ શેતાનની શકિતથી જેઓ પિડાતા હતા તેમને સાજાં કર્યાં, કેમકે ઈશ્વર તેમની સાથે હતા.
39 "યહૂદીઓનાં દેશમાં તથા યરુશાલેમમાં તેમણે જે કાંઈ કર્યું તેના અમે સાક્ષી છીએ. તેમને ક્રૂસ પર ચઠાવીને મારી નાંખવામાં આવ્યા. 40 પણ ત્રીજે દિવસે ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા, અને પછી ઘણાંઓને તે દેખાયા. 41 તેઓ બધા લોકોને ન દેખાયા, પરંતુ જેમને અગાઉથી પસંદ કરેલાં સાક્ષીઓની દ્રારા, એટલે કે મૂએલામાંથી ઉત્થાન થયા પછી અમારી સમક્ષ જેમણે તેઓની તેમની સામે ખાધું પીધું હતું. તેઓએ તેમને જોયા 42 તેમણે અમને લોકોને ઉપદેશ આપવાં અને સાક્ષી આપવાં આજ્ઞા આપી કે ઈશ્વરે તેમને જ જીવતાંઓના અને મૂએલાંઓનાં ન્યાયાધીશ નીમ્યાં છે. 43 બધાં પ્રબોધકો તેમના વિશે સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેમના નામથી પાપ માફ કરવામાં આવશે."
44 જયારે પિતર હજી આ વાતો કહેતો હતો ત્યારે સંદેશો સાંભળનારા બધા ઉપર પવિત્ર આત્મા ઊતરી આવ્યો. 45 પવિત્ર આત્માનું દાન બિનયહૂદીઓને પણ મળ્યું એ જોઈને પિતરની સાથે આવેલા સુન્નતી વિશ્વાસીઓ આશ્ચર્ય પામ્યા. 46 કારણ કે તેઓને અન્ય ભાષામાં બોલતા અને ઈશ્વરની સ્તુતિ કરતાં સાંભળ્યા.
પિતરે કહ્યું, 47 "ખરેખર કોઇ તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવામાં રોકી શકે એમ નથી, કેમકે જેમ આપણે પવિત્ર આત્મા પામ્યા છે તેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યાં છે" 48 તેથી તેણે ઈસુ મસીહના નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી પિતરને થોડા દિવસો સુધી તેઓની સાથે રહેવા વિનંતી કરી.