1 એક વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા, અને તેમના શિષ્યો ઘઉંની કણસલાં તોડીને, હાથમાં મસળીને ખાવા લાગ્યા. 2 કેટલાક ફરોશીઓએ કહ્યું, "વિશ્રામવારે જે નિયમની વિરુદ્ધ છે, તે તમે કેમ કરો છો?"
3 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "શું તમે કદી વાંચ્યું નથી? દાવિદ તથા તેના સાથીદારો ભૂખ્યાં હતા ત્યારે તેણે શું કર્યું હતું? 4 તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પેલી રોટલી નિયમ પ્રમાણે જે માત્ર યાજક જ ખાઈ શકે તે લઇને ખાધી અને કેટલીક પોતાના સાથીદારોને પણ આપી." 5 પછી ઈસુએ તેઓને કહ્યું, "માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે."
6 બીજા એક વિશ્રામવારે તેમણે સભાસ્થાનમાં ગયા અને શિક્ષણ આપતાં હતા, ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7 અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહયાં હતા, તેથી તેઓ વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા માટે તેમના પર નજીકથી નજર રાખતા હતા. 8 પણ ઈસુ તેઓ શું વિચારતા હતા તે જાણી ગયા અને પેલા સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, "ઉઠ ને બધાની સામે ઊભો રહે!" તેથી તે ઉઠીને ત્યાં ઊભો રહ્યો.
9 પછી ઈસુએ તેઓને કહ્યું, "હું તમને પૂછું છું કે; વિશ્રામવારે શું ઉચિત છે? સારું કરવું કે ભૂંડુ કરવું? જીવ બચાવવો કે તેનો નાશ કરવો?"
10 ચારેબાજુ સર્વની સામે નજર કરીને તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તેણે તેમ કયું, અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો. 11 પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો ક્રોધે ભરાયા અને એકબીજા સાથે ચચાઁ કરવા લાગ્યા કે ઈસુનું શું કરવું.
12 એક દિવસે ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત ગાળી. 13 જયારે સવાર થઇ, ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કયાઁ, જેમને તેમણે પ્રેષિતો તરીકે નિયુકત કયાઁ.
14 સિમોન (જેનું નામ તેમણે પિતર પાડયું) તેનો ભાઈ આન્દ્રિયા,
યાકોબ,
યોહાન,
ફિલિપ,
બર્થોલ્મી
15 માથ્થી,
થોમાસ,
અલ્ફીનો દીકરો યાકોબ,
સિમોન કે જે ઝેલોટીસ કહેવાય છે,
16 યાકોબનો દીકરો યહૂદા,
અને ઈસુને દગો દેનાર, યહૂદા ઇશ્કરિયોત.
17 તેઓ તેમની સાથે નીચે આવ્યા, અને મેદાનમાં ઊભા રહયાં. તેમના શિષ્યોનું મોટું ટોળું ત્યાં હતું આખા યહૂદિયામાંથી, યરુશાલેમથી અને તૂરથી તથા સિદોનથી અસંખ્ય લોકો હતા, 18 જેઓ તેમને સાંભળવા અને તેમના રોગથી સાજા થવા આવ્યા હતા. જેઓ અશુધ્ધ આત્માઓથી પિડાતા હતાં તેઓને સાજા કરવામાં આવ્યા. 19 અને બધા લોકો તેમને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેમના માંથી સામર્થ્ય નીકળતું અને બધા સાજા થતાં.
20 શિષ્યો તરફ જોઇને તેમણે કહ્યું;
"દરિદ્રિઓ તમે આશીવાઁદિત છો,
કેમકે ઈશ્વરનું રાજ્ય તમારું છે.
21 હમણાંનાં ભુખ્યાઓ તમે આશીવાઁદિત છો,
કેમકે તમે તૃપ્ત થશો.
હમણાંનાં રુદન કરનારાઓ, તમે આશીવાઁદિત છો,
કેમકે તમે હસશો.
22 માણસના દીકરાને કારણે જયારે લોકો તમને ધિક્કારે,
જયારે તેઓ તમને હડધૂત કરે અને તમારું અપમાન કરે
અને તમારું નામ ભૂંડુ માનીને બહિષ્કાર કરે
ત્યારે તમે આશીવાઁદિત છો.
23 "એ દિવસે આનંદ કરો અને આનંદથી કૂદો, કેમકે આકાશમાં તમારો બદલો મોટો છે. તમારી પૂવઁજો અગાઉના પ્રબોધકો સાથે તેઓ એમ જ વર્ત્યા હતા.
24 "પણ શ્રીમંતો, તમને અફસોસ છે!
કારણ કે તમે તમારો દિલાસો પામી ચુકયા છો.
25 હમણાંના ધરાયેલાઓ, તમને અફસોસ!
કારણ કે તમે ભૂખ્યા થશો.
હમણાંનાં હસનારાઓ, તમને અફસોસ!
કારણ કે તમારે શોક કરશો અને રડશો.
26 જયારે લોકો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ!
કારણ કે તેઓના બાપદાદાઓ પણ જૂઠા પ્રબોધકોની સાથે એમ જ વત્યાઁ.
27 "પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. 28 જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો. 29 જો કોઈ તમારાં એક ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ લે તો તેને તમારું શટઁ પણ આપી દો. 30 તમારી પાસે કોઈ કંઈ માગે તો તેને તે આપો, અને જો કોઇ તમારું લઈ જાય તો પાછું ન માંગ. 31 જેવું તમે બીજાઓ પાસેથી ચાહો છો તેવું તેમને કરો.
32 "જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાં પર પ્રેમ રાખે છે. 33 અને જેઓ તમારું ભલું કરે, તેઓનું તમે ભલું કરો, તો તેમાં શી નવાઈ? એવું પાપીઓ પણ કરે છે. 34 જેઓ પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમને શું યશ છે? પાપીઓ પણ પાપીઓને પાસેથી પૂરેપૂરું પાછું લેવાની આશા રાખીને ઉછીનું આપે છે. 35 તમારાં દુશ્મનો પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, અને તેઓને પાછું લેવાની આશા વગર ઉછીનું આપો, ત્યારે આકાશમાં તેનો મહાન બદલો તમને મળશે અને તમે પરાત્પરના બાળકો થશો. કેમકે અનુપકારી અને દુષ્ટો પ્રત્યે તે રહેમી છે. 36 જેમ તમારા પિતા કરુણાળુ છે તેવાં તમે થાઓ.
37 "કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે. 38 આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
39 "તેમણે તેઓને આપણ દ્રષ્ટાંત કહ્યું: શું અંધ બીજા અંધને દોરી શકે? તો શું તેઓ બંને ખાડામાં પડશે નહિ? 40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ દરેક સંપૂણઁ કેળવાયા પછી ગુરુ સમાન થશે.
41 "શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? 42 તમારી આંખોમાં જ ભારોટિયો રહેલો છે. તો તમે એમ કેવી રીતે કહી શકો કે, ‘ભાઈ તારી આંખમાંનું તણખલું મને કાઢવા દે,’ તમે ઢોંગી, પહેલાં તમારી આંખમાંનો ભારોટિયો દૂર કરો અને પછી તમારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાને તમને સારી પેઠે સૂઝશે.
43 "સારાં વૃક્ષને ખરાબ ફળ આવતું નથી, તેમજ ખરાબ વૃક્ષને સારું ફળ આવતું નથી. 44 દરેક વૃક્ષ તેના પોતાના ફળથી ઓળખાય છે. કાંટાના વૃક્ષમાંથી લોકો અંજીર વીણતા નથી કે ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. 45 સારો માણસ પોતાના સારા હૃદયનાં ભંડારમાંથી સારું કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાનાં દુષ્ટ હૃદયનાં ભંડારમાંથી ભૂડું કાઢે છે; કારણ કે હૃદયનાં ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
46 "તમે મને પ્રભુ, પ્રભુ કેમ કહો છો? અને હું જે કહું છું તે કરતાં નથી? 47 જે કોઇ મારી પાસે આવે છે અને મારા વચનો સાંભળે છે અને પાળે છે, તેઓ કોના જેવા છે તે હું તમને બતાવીશ: 48 તેઓ એક ઘર બાંધનાર માણસનાં જેવા છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાંખ્યો, જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં ત્યારે પણ તે હલાવી ન શકયાં, કેમકે તે સારી રીતે બાંધેલું હતું. 49 જેઓ મારા વચનો સાંભળીને પાળતો નથી, તે એક માણસના જેવો છે કે, જેણે પાયો નાંખ્યાં વિના જમીન પર ઘર બાંધ્યું, જયારે રેલના પાણીનો સપાટો તે ઘરને લાગ્યો, ત્યારે તે પડી ગયું અને સંપૂણઁ નાશ થઇ ગયો."