1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે તે આવવાના, પણ જેના દ્વારા એ આવે છે તેને અફસોસ. 2 કોઈ આ નાનાંઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ફરતે ઘંટીનું મોટું પડ બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે એ તેને માટે સારું છે. 3 તેથી સાવધ રહો.
"જો તારો ભાઈ કે બહેન તારી વિરુદ્ધ પાપ કરે, તો તેમને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. 4 એ કદાચ દિવસમાં સાત વાર તારો અપરાધ કરે, અને સાતેય વાર ‘પસ્તાવો કરી તારી માફી માગે,’ તો તેને માફ કર."
5 પ્રેષિતોએ પ્રભુને કહ્યું, "અમારો વિશ્વાસ વધારો."
6 તેમણે જવાબ આપ્યો, "જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેવો નાનો હોય, તો તમે આ શેતૂરના ઝાડને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા!’ તો તે તમારું માનશે.
7 "ધારોકે, તમારાંમાંનો કોઈનો એક નોકર ખેડતો અથવા ઘેંટા ચરાવતો હોય, તે નોકર જયારે ખેતરમાંથી આવે, ‘ત્યારે તે તેને કહેશે કે, હમણાં આવ અને જમવા બેસ?’ 8 તેથી ઊલટું તે તેને કહેશે કે, ‘મારું ભોજન તૈયાર કર, હું ખાઉં કે પીવું ત્યાં સુધી તૈયાર રહી મારી રાહ જો; પછી તું ખા અને પી?’ 9 કારણ કે તે નોકરે તેમની વાત માની માટે શું તે તેનો આભાર નહિ માને? 10 તેમજ તમે પણ એ જ પ્રમાણે તમને જે કહેવામાં આવેલું તે સવઁ કયાઁ પછી તમારે કહેવું જોઈએ, ‘અમે નકામાં ચાકરો છીએ, અમે કહ્યાં જેટલું જ કયુઁ છે.’ "
11 યરુશાલેમ તરફ જતાં તેઓ ગાલીલ અને સમરૂનની વચ્યેની સરહદ પરથી ગયા. 12 જયારે તે એક ગામમાંથી જતાં હતા, ત્યારે દસ માણસો જેમને રકતપિત થયો હતો, તેમને મળ્યાં, તેઓ દૂર ઊભા રહ્યા. 13 અને મોટે અવાજે બૂમ પાડી, "ઓ ઈસુ, માલીક, અમારા પર દયા કરો!"
14 જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, "જાઓ, પોતાને યાજકોને બતાવો." અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.
15 તેઓમાંનો એક, પોતે સાજો થઈ ગયો છે, એ જોઈને મોટે સાદે ઈશ્વરની સ્તુતિ કરતો ઈસુ પાસે પાછો આવ્યો. 16 તે ઈસુની આગળ પડી ગયો અને તેમનો આભાર માન્યો, અને તે સમરૂની હતો.
17 ઈસુએ પૂછયું, "શું સવઁ દશેયને શુધ્ધ કરવામાં આવ્યા ન હતા? તો બીજા નવ કયાં છે? 18 ઈશ્વરને મહિમા આપવાં શું આ એક પરદેશી સિવાય કોઇ જ પાછો ન આવ્યો?" 19 પછી તેમણે તેને કહ્યું, "ઊઠ અને જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે."
20 એક વાર, ફરોશીઓ દ્રારા પૂછવામાં આવ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યાંરે આવશે? ઈસુએ જવાબ આપ્યો, "આવનાર ઈશ્વરનું રાજ્ય એવું નથી જે જોઈ શકાય. 21 લોકો એમ નહિ કહે કે, ‘તે અહીં છે! અથવા તે ત્યાં છે!’ કારણ ઈશ્વરનું રાજ્ય તો તમારામાં છે."
22 પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "હવે એવો સમય આવી રહ્યો છે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઝંખશો પણ તમે તે જોશો નહિ. 23 લોકો તમને કહેશે કે, તે ત્યાં છે અથવા અહીં તે છે, તેઓની પાછળ દોડશો નહિ. 24 કારણ કે જેમ વીજળી આકાશમાં ચમકે છે ને તેનો પ્રકાશ એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે તે જ રીતે માણસના દીકરાના દિવસમાં થશે. 25 પણ તે પહેલાં તેમણે ધણાં દુઃખો સહન કરવા પડશે ને આ પેઢીથી નકારાશે.
26 "જેમ નૂહનાં દિવસોમાં હતું, તેવું માણસના દીકરાના દિવસોમાં થશે, 27 નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા-પીતાં, પરણતા અને પરણાવતા હતા. અને પછી જળપ્રલયે આવ્યો અને બધાનો નાશ કયોઁ.
28 "લોતનાં દિવસોમાં પણ એવું જ હતું, તેઓ ખાતાં-પીતાં હતા, ખરીદતા અને વેચતા, રોપતા અને બાંધતા હતા. 29 પણ જે દિવસે લોતે સદોમ છોડયું તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને બધાંનો વિનાશ થયો.
30 "માણસનો દીકરો પ્રગટ થશે, ત્યારે પણ એમ જ બનશે. 31 એ દિવસે જેઓ ઘરનાં ધાબા પર હોય, તેઓએ સામાન લેવાં નીચે ઊતરવું નહિ, તેવીજ રીતે, જેઓ ખેતરમાં હોય, તેઓએ કશાં માટે પાછા જવું નહિ. 32 લોતની સ્ત્રીને યાદ કરો! 33 જે પોતાનો જીવ બચાવવાં પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે, અને જે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે. 34 હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ હશે; એક લેવાશે ને બીજો પડતો મૂકાશે. 35 બે સ્ત્રીઓ સાથે દળતી હશે, એક લેવાશે, ને બીજી પડતી મૂકાશે. 36 એ જ પ્રમાણે ખેતરમાં બે જણ હશે એક લેવાશે, અને બીજો પડતો મૂકાશે."
37 તેઓએ પૂછયું, "પ્રભુ, કયાં?"
તેમણે જવાબ આપ્યો, "જયાં મડદું હશે, ત્યાં ગીધો એકઠા થશે."