Publicidade

Lucas 19

જકાતદાર જાખી

1 ઈસુ યરીખો શહેરમાં થઈને જતા હતા. 2 ત્યાં જાખી નામે એક માણસ હતો, તે મુખ્ય જકાતદાર હતો અને તે શ્રીમંત હતો. 3 તેણે ઈસુને જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે ટોળા પરથી ઈસુને જોઈ શકયો નહિ કારણ કે તે ઠીંગણો હતો. 4 તેથી તે આગળ દોડી ગયો, અને ઈસુ તે રસ્તે આવવાના હોવાથી તેમને જોવા માટે ગુલ્લરના ઝાડ પર ચઢી ગયો.

5 જયારે ઈસુ ત્યાં પોહચ્યા, ત્યારે તેમણે ઊંચે જોઈને તેને કહ્યું, "જાખી, જલ્દી નીચે ઉતરી આવ, આજે હું તારા ઘરે રહેવાનો છું." 6 તેથી જાખી એકદમ નીચે ઊતર્યો અને આનંદ સાથે તેમને આવકાર્યા.

7 બધા લોકો આ જોઇને કહેવા લાગ્યા, "તેઓ એક પાપીનાં ઘરના મહેમાન થવા ગયા."

8 પણ જાખીએ ઊભા થઇને પ્રભુને કહ્યું, "જુઓ, પ્રભુ! અહીંને અત્યારે જ હું મારી મિલ્કતનો અડધો ભાગ હું ગરીબોને આપું છું, અને જો મે કશાંમાં કોઇને છેતયોઁ હોય, તો હું ચાર ગણી રકમ પાછી આપીશ."

9 ઈસુએ તેને કહ્યું, "આજે આ ઘરે તારણ આવ્યું છે, કેમકે આ માણસ પણ અબ્રાહમનો દીકરો છે. 10 કેમકે માણસનો દીકરો શોધવાં અને તારવા આવ્યો છે."

દસ મહોરનું દ્રષ્ટાંત

11 જયારે તેઓ આ સાંભળતાં હતા, ત્યારે તેમણે એક દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું કેમકે તેઓ યરુશાલેમની નજીક આવી પહોંચ્યા હતા, અને લોકો એવું માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થવાનું છે. 12 તેમણે કહ્યું, "એક જન્મથી અમીર માણસ પોતાને રાજા તરીકે નીમવાનાં હેતુથી અને પછી પાછો ફરવા દૂરનાં દેશમાં ગયો. 13 તેથી તેણે પોતાના દસ નોકરોને બોલાવ્યાં અને તેમને દશ મહોર આપીને કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા કામમાં વાપરો.’

14 "પણ તેની પ્રજા તેમના પ્રત્યે દ્રેષ રાખ્યો, અને તેની પાસે એક પ્રતિનિધી મંડળ કહેવાને મોકલ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે આ માણસ અમારો રાજા બને.’

15 "જો કે, તેને રાજા બનાવવામાં આવ્યો, અને ઘરે પાછો ફયોઁ. પછી તેણે જે નોકરોને પૈસા આપ્યા હતા, તેઓએ તેમાંથી શું મેળવ્યું તે જાણવા માટે તેણે બોલાવ્યા.

16 "પહેલાંએ આવીને કહ્યું, ‘સાહેબ, તમારી મહોર દસ વધું કમાઈ છે.’

17 " ‘શાબાશ, મારા સારા નોકર!’ તેના માલીકે જવાબ આપ્યો, ‘કેમકે તું એક નાની બાબતમાં વિશ્વાસપાત્ર છે, તું દસ શહેરોનો વહીવટ સંભાળ.’

18 "બીજાએ આવીને કહ્યું, ‘સાહેબ, તમારી મહોર પાંચ વધું કમાઈ છે.’

19 "તેના માલીકે જવાબ આપ્યો કે, ‘તું પાંચ શહેરોનો વહીવટ સંભાળ.’

20 "પછી બિજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, જુઓ, તમારી મહોર અહીં છે, મેં તેને રુમાલમાં મુકી રાખી છે. 21 મને તમારો ડર લાગ્યો, કારણ કે તમે બહુ કડક માણસ છો, તમે જે મૂકયું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું નથી, તે લણો છો.’

22 "તેના માલીકે જવાબ આપ્યો, ‘અરે દુષ્ટ ચાકર! હું તારા પોતાના શબ્દોથી હું તારો ન્યાય કરીશ, હું કડક માણસ છું. મે જે મૂકયું ન હોય તે હું ઉઠાવું છું, અને મેં જે વાવ્યું ન હોય, તે હું લણું છું, એમ તું જાણતો હતો. 23 તો પછી તેં મારા નાણાં જમા કેમ ન કરાવ્યાં, જેથી જયારે હું પાછો આવું, ત્યારે તે હું વ્યાજ સાથે લઈ શક્યો હોત?’

24 "પછી તેણે બાજુમાં ઊભેલાઓને કહ્યું, ‘તેની પાસેથી મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.’

25 "તેઓએ કહ્યું, ‘સાહેબ, તેની પાસે દસ મહોર તો છે જ!’

26 "તેણે જવાબ આપ્યો, ‘જે કોઇની પાસે છે તેને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે કંઇ નથી તેનું જે છે, તે પણ લઇ લેવામાં આવશે. 27 હવે મારા દુશ્મનો, જેઓ હું તેઓના પર રાજ ન કરું એવું ઇચ્છતા હતા તેઓને અહીં લાવો, ને મારી આગળ તેઓને મારી નાખો.’ "

ઈસુ યરુશાલેમમાં રાજા તરીકે આવે છે

28 આ વાત કહી રહ્યા પછી ઈસુ યરુશાલેમ તરફ આગળ વધ્યાં. 29 તેઓ જૈતુન નામનાં પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા ગામ પાસે આવ્યા, તેમણે તેમનાં શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા, 30 "તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો. 31 જો કોઈ તમને પૂછે કે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે.’ "

32 જેઓને આગળ મોકલ્યા હતા, તેઓ ગયા, અને જેમ તેમણે કહ્યું હતું, તે પ્રમાણે જ તેઓને મળ્યું. 33 જયારે તેઓ વછેરાને છોડતાં હતા, ત્યારે તેના માલિકે તેમને પૂછયું, "તમે વછેરાને કેમ છોડો છો?"

34 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુને તેની જરૂર છે."

35 તેઓ તેને ઈસુ પાસે લાવ્યા, વછેરા પર પોતાના ઝભ્ભા પાથરીને ઈસુને તેના પર બેસાડયા. 36 જેમ તેઓ આગળ ગયા, તેમ લોકોએ પોતાના ઝભ્ભા રસ્તામાં પાથયાઁ.

37 જયારે તેઓ જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા, ત્યારે શિષ્યોનું આખું ટોળું ઈસુએ કરેલાં અદભુત ચમત્કારો તેઓએ જોયા હતા તે સઘળા યાદ કરીને આનંદથી મોટે ઘાંટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા:

38 "પ્રભુને નામે જે રાજા આવે છે તેમને ધન્ય છે!"

"સ્વગઁમાં શાંતિ અને પરમઊંચામાં મહિમા હો!"

39 ટોળામાંના કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમારાં શિષ્યોને ધમકાવો!"

40 તેમણે તેમને જવાબ આપ્યો, "જો તેઓ શાંત રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે."

41 ઈસુ યરુશાલેમની નજીક આવ્યા ત્યારે શહેરને જોઈને તેના માટે રડી પડયાં. 42 અને કહ્યું, "જો તે પણ, શાંતિને લગતા જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું, પણ હમણાં તે તારી આંખોથી ગુપ્ત રખાયેલ છે. 43 તારાં ઉપર એવા દિવસો આવશે કે જયારે તારા દુશ્મનો તારી સામે પાડ બાંધશે અને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકડાવશે. 44 તને તથા તારી ભાગોળોમાં વસતાં સંતાનોને તેઓ પછાડી નાંખશે. તેઓ એક પથ્થર પર બીજો પથ્થર પર રહેવા દેશે નહિ. કારણ કે ઈશ્વરના પાસે આવવાના સમયને તે જાણ્યો નહિ."

ઈસુ મંદિરે

45 જયારે ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે વેચનારાઓને બહાર હાંકી કાઢયાં, 46 "તેમણે તેઓને કહ્યું એમ લખેલું છે કે: મારું ઘર પ્રાર્થનાનું ઘર બની રહેશે, પણ તમે તો તેને લુંટારાઓનું કોતર બનાવી દીધું છે."

47 મંદિરમાં તે રોજ શિક્ષણ આપતાં હતા. પણ મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો તથા લોકોનાં આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા, 48 પણ શું કરવું એ તેઓને સૂઝતું ન હતું કારણ બધા લોકો તેમના વચનો એક ચિતે સાંભળતા હતા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-