1 આ પછી, ઈસુ શહેરે શહેરે અને ગામે ફરીને ઈશ્વરના રાજ્યનાં સુસમાચાર પ્રગટ કરવા લાગ્યા. તેમની સાથે બાર હતા. 2 અને કેટલીક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી, જેઓને અશુધ્ધ આત્માઓથી અને બિમારીમાંથી સાજી કરવામાં આવી હતી. મરિયમ કે જે માગદાલેણ કહેવાતી હતી, જેનામાંથી સાત અશુધ્ધ આત્માઓ નીકળ્યાં હતા. 3 હેરોદના ઘરનો કારભારી ખુઝાની પત્ની યોહાન્ના હતી, સુસાન્ના અને બીજી ઘણી હતી. આ સ્ત્રીઓ પોતાની આવકમાંથી તેઓને મદદ કરતી હતી.
4 જયારે ઘણું મોટું ટોળું એકઠું થયું અને શહેર શહેરનાં લોકો ઈસુ પાસે આવતા હતાં, ત્યારે તેમણે આ દ્રષ્ટાંત કહ્યું. 5 "એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, જયારે તે બી વાવતો હતો, કેટલાક બી પગદંડી પર પડયાં, તે કચડાઈ ગયાં, અને આકાશના પક્ષીઓ આવીને તે ખાઇ ગયાં. 6 કેટલાક ખડકાળ જમીન પર પડયાં, પૂરતી ભીનાશ ન હોવાને કારણે તે ઊગ્યાં તેવાં જ કરમાઈ ગયાં. 7 બીજા બી કાંટા ઝાંખરામાં પડયાં, જે તેની સાથે વધીને છોડને દાબી દીધા. 8 પણ કેટલાક બી સારી જમીન પર પડયાં, એ ઊગ્યાં અને પાક ઊતર્યો, વાવ્યાં કરતા સો ગણા વધારે."
જયારે તેમણે બહાર બોલાવીને આ કહ્યું, "જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."
9 તેમનાં શિષ્યોએ તેમને પૂછયું આ "દ્રષ્ટાંતનો" અર્થ શું, 10 તેમણે કહ્યું, "ઈશ્વરના રાજ્યના મમોઁ જાણવાનું જ્ઞાન તમને આપવામાં આવેલ છે,
" ‘પણ બીજાઓને હું દ્રષ્ટાંતોમાં કહું છું; એ માટે જોતાં તેઓ જુએ નહિ,
ને સાંભળતા તેઓ સમજે નહિ.’
11 "એ દ્રષ્ટાંતનો અર્થ આ છે: બી તે ઈશ્વરનું વચન છે. 12 પગદંડી પર પડેલા તે એ છે કે જે સાંભળે છે, પણ પછી શેતાન આવીને એ તેઓના હ્વદયમાંથી વચન લઇ જાય છે જેથી તેઓ વિશ્વાસ કરી ઉધ્ધાર ન પામે. 13 ખડકાળ જમીન પરનાં એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી સ્વીકારી લે છે, પણ તેનામાં મૂળ હોતા નથી. તેઓ થોડીકવાર માટે વિશ્વાસ કરે છે ખરાં પરંતુ પરીક્ષણને સમયે તેઓ પડી જાય છે. 14 ઝાંખરામાં પડયાં, તે એ છે કે જેઓએ વચન સાંભળે છે, પરંતુ જયારે તેઓ તેમના માગેઁ જાય છે ત્યારે તેઓ જીવનની ચિંતાઓ દ્રવ્ય અને મોજમઝામાં દબાય જાય છે, અને તેઓ પરીપકવ થતા નથી. 15 પરંતુ સારી જમીન પરનું બી પ્રામાણિક અને સારા હ્વદયોવાળા લોકો માટે છે, જેઓ વચન સાંભળે છે તેને જાળવી રાખે છે અને ધિરજ રાખીને પાક ઉત્પન્ન કરે છે.
16 "કોઈ દીવો સળગાવીને તેને માટીનાં વાસણ કે પથારી નીચે નથી મૂકતો તેને બદલે તેઓ તેને સ્ટેન્ડ પર મુકે છે, જેથી જેઓ અંદર આવે તેઓ પ્રકાશને જોઈ શકે. 17 કેમકે એવું કશું જ છુપાયેલું નથી કે જે ઉઘાડું ન થાય, અને એવુ કશું છુપાયલું નથી કે જે જાહેર કરવામાં ન આવે, 18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો. કેમકે જેની પાસે છે, તેને આપવામાં આવશે અને જેની પાસે નથી, તેની પાસેથી તેના ધારવાં મુજબ જે છે, તે પણ લઈ લેવામાં આવશે."
19 હવે ઈસુનાં મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા, પણ ભીડને લીધે તેઓ ઈસુની નજીક જઈ શક્યાં નહિ. 20 કોઇકે તેમને કહ્યું કે, "તમારાં મા તથા ભાઈઓ બહાર ઊભાં છે, તમને મળવા માંગે છે."
21 તેમણે જવાબ આપ્યો, "જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, અને તેને પાળે છે તેઓ જ મારાંં મા તથા ભાઈઓ છે."
22 એક દિવસે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ચાલો આપણે સરોવરને પેલે પાર જઈએ તેથી તેઓ હોડીમાં બેઠાં અને નીકળ્યાં. 23 જયારે તેઓ જતા હતા એટલામાં તેઓ ઊંઘી ગયા. ત્યારે સરોવર પર તોફાન આવ્યું, જેથી હોડી ભરાઈ ગઇ, અને તેઓ મોટા જોખમમાં આવી પડયાં.
24 શિષ્યો તેમની પાસે ગયા ને જગાડીને કહ્યું, "ગુરુજી! ગુરુજી! અમે ડુબી રહ્યા છીએ." તેમણે ઊઠીને.
પવનને અને મોજાને ધમકાવ્યા; તોફાન શમી ગયું અને બધું શાંત થઈ ગયું. 25 પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, "તમારો વિશ્વાસ કયાં છે?"
તેઓ બી ને અચરત થયા અને એકબીજાને પૂછવાં લાગ્યા, "આ તે કોણ છે કે, પવન અને પાણીને આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે!"
26 ગાલીલનું સરોવર ઓળંગીને તેઓ ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. 27 જયારે ઈસુ કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો, ઘણાં લાંબા સમયથી આ માણસ કપડાં પહેરતો ન હતો. અને ઘરમાં રહેતો ન હતો પણ કબરોમાં રહેતો હતો. 28 જયારે તેણે ઈસુને જોતાં તે બૂમ પાડીને તેમના પગે પડ્યો અને મોટે ઘાંટે બોલ્યો, "ઓ પરાત્પર! ઈશ્વરના પુત્ર! મારે ને તમારે શું? હું આજીજી કરું છું કે મને પીડા ન આપો." 29 કેમકે ઈસુએ અશુધ્ધ આત્માને તે માણસમાંથી નીકળી જવાનો હુકમ કર્યા હતો. વારંવાર તે તેને વળગતો હતો, સાંકળોથી તેના હાથ અને પગ બાંધતા અને ચોકીમાં રાખતા, તેણે તેની સાંકળો તોડી નાખીને અશુદ્ધ આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઇ જતો.
30 ઈસુએ તેને પૂછયું, "તારું નામ શું છે?"
તેણે જવાબ આપ્યો, "સેના." કારણ કે તેનામાં ઘણાં અશુધ્ધ આત્મા ગયા હતા. 31 અને તેમણે ઈસુને વારંવાર વિનંતી કરી કે, અમને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.
32 હવે ત્યાં ભૂંડોનું એક મોટું ટોળું ત્યાં પાસે પહાડની બાજુએ ચરતું હતું. અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી કે અમને ભૂંડોમાં પેસવાં દો. તેમણે તેઓને રજા આપી. 33 જયારે માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું નીચે સરોવરમાં ધસી પડ્યું ને ડુબી ગયું.
34 જે થયું તે જોઇને ચરાવનારાં દોડયા, અને શહેરમાં તથા ગામમાં તે જાહેર કયુઁ. 35 અને જે બન્યું તે જોવા માટે લોકો ગયા. જયારે તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા અશુધ્ધ આત્મા વળગેલાં માણસે વસ્ત્ર પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ થયેલો અને ઈસુના પગ પાસે બેઠેલો જોયો. અને તેઓ ભયભીત થઈ ગયા. 36 અશુધ્ધ આત્મા વળગેલો માણસ કેવી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ લોકોને કહ્યું. 37 તેથી ગેરસાનીઓના લોકોએ ઈસુને ચાલ્યા જવા વિનંતી કરી, કારણ કે તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. તેથી તેઓ હોડીમાં બેસીને ચાલ્યાં ગયા.
38 જે માણસમાંથી અશુધ્ધ આત્માઓ નીકળ્યાં હતા તેણે તેમની સાથે જવા વિનંતી કરી, પણ ઈસુએ તેને વિદાય કરીને કહ્યું. 39 "તારા ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે કેટલું કયુઁ છે તે કહી જણાવ." તેથી તે માણસે જઈને ઈસુએ તેને માટે કેટલુ બધુ કયુઁ તે આખા શહેરમાં પ્રગટ કયુઁ.
40 હવે જયારે ઈસુ પાછા આવ્યા ત્યારે ટોળાંએ તેમનો આવકાર કયોઁ, કેમકે તેઓ બધા તેમની રાહ જોતાં હતાં, 41 ત્યારે યાઈરસ નામે એક માણસ જે સભાસ્થાનનો આગેવાન ત્યાં આવ્યો, ઈસુના પગે પડીને તેમને પોતાના ઘરે આવવાં આજીજી કરી. 42 કારણ કે બાર વર્ષની તેની એકની એક દીકરી મરવા પડી હતી.
જયારે ઈસુ જતાં હતાં ત્યારે ટોળાએ તેમની પર પડાપડી કરી. 43 અને ત્યાં એક સ્ત્રી હતી જેને બાર વર્ષથી લોહીવા હતો, પણ કોઇ તેને સાજી કરી શકયું ન હતું. 44 તે તેમની પાછળ આવીને તે તેમના ઝભ્ભાની કીનારીને અડકી, અને તરત જ તેનો લોહીવા બંધ થયો.
45 ઈસુએ પૂછયું. "કોણે મને સ્પશઁ કયોઁ?"
જયારે બધાએ ના પાડી, ત્યારે પિતરે કહ્યું, "ગુરુજી! લોકો પડાપડી કરે છે અને ચગદી નાખે છે."
46 પણ ઈસુએ કહ્યું, "કોઈએ મને સ્પશઁ કયોઁ; હું જાણું છું કે મારામાંથી પરાક્રમ બહાર નીકળ્યું."
47 જયારે સ્ત્રીએ જાણ્યું કે હું અજાણી રહી નથી, ત્યારે ધ્રૂજીને આવીને તેમના પગે પડી. બધા લોકોની હાજરીમાં તેણે કહ્યું તે કેમ તેમને અડકી અને કેવી રીતે તરત સાજી થઈ. 48 પછી તેમણે તેને કહ્યું, "દીકરી! તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિમાં જા."
49 જયારે ઈસુ હજી બોલતા હતા, એટલામાં જ સભાસ્થાનના આગેવાન યાઇરસના ઘરેથી કોઇ આવ્યું, તેણે કહ્યું, "તારી દીકરી મરણ પામી છે, હવે ઉપદેશકને તસ્દી આપવાની જરૂર નથી."
50 આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
51 જયારે તેઓ યાઈરસને ઘરે આવ્યા, ત્યારે તેમણે પિતર, યાકોબ, યોહાન અને દીકરીનાં માબાપ સિવાય બીજા કોઈને અંદર આવવાં દીધાં નહિ 52 એટલા, લોકો તેને માટે વિલાપ અને રડારોળ કરતા હતાં, ઈસુએ કહ્યું, "રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ, પણ ઊંઘે છે."
53 તે મરી ગઇ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢયા. 54 પછી તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "મારી દીકરી, ઊઠ!" 55 તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઊભી થઇ. પછી ઈસુએ તેઓને કહ્યું તેને કંઈક ખાવાનું આપો. 56 તેના માબાપ અચરત થયા, પણ તેમણે તેઓને તાકીદ કરી કે જે થયું તે કોઇને કહેશો નહિ.