1 એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે. 2 આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો. 3 અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.
4 તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. 5 તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી. 6 જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો. 7 તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.
8 અને ત્યાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. 9 પ્રભુનો એક દૂત તેઓને દેખાયો અને પ્રભુનો મહિમા તેઓની આસપાસ પ્રકાશ્યો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. 10 પણ દૂતે તેઓને કહ્યું, "બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે: 11 આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે. 12 તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે."
13 એકાએક દૂતની સાથે આકાશી સૈન્યનો મોટો સમુદાય દેખાયો, તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા:
14 "પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ;
અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ."
15 જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, "ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે."
16 તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો. 17 જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ. 18 ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં. 19 પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી. 20 ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ સાંભળ્યું અને જોયું તેને લીધે ઇશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.
21 આઠમે દિવસે, જયારે બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડયું, જે નામ તેનો ગર્ભ રહ્યા પહેલાં દૂતે તેને આપ્યું હતું.
22 જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં. 23 જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે દરેક પ્રથમજનિત નર પ્રભુને સારુ પવિત્ર થાય. 24 અને પ્રભુના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાં નું બલિદાન આપવું.
25 હવે ત્યાં શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી અને ધામિઁક હતો. ઇઝરાયેલનાં દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 26 પવિત્ર આત્માએ તેને પ્રગટ કયુઁ હતું કે પ્રભુના મસીહને જોયા પહેલાં તું મરણ પામશે નહિ. 27 પવિત્ર આત્માથી પ્રેરાઇને તે મંદિરનાં આંગણાંમાં ગયો. જયારે બાળક ઈસુનાં સંબંઘમા નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા સારું તેના માબાપ ત્યાં લાવ્યાં, 28 ત્યારે શિમયોને તેને તેના હાથમાં લીધો અને ઈશ્વરની સ્તુતિ કરીને, કહ્યું
29 "હે પ્રભુ, તમારાં વચન પ્રમાણે,
હવે તમારાં સેવકને શાંતિમાં જવા દો
30 કેમકે મારી આંખોએ તારા તારણને જોયું છે,
31 જેને બધા લોકોની નજરમાં તે તૈયાર કયુઁ છે.
32 વિદેશીઓ માટે તે પ્રકટીકરણનો પ્રકાશ છે,
અને ઇઝરાયેલી લોકોનો મહિમા છે."
33 તેમના વિશે જે કહેવામાં આવ્યું હતું તે સાંભળીને બાળકનાં પિતા અને માતા ઘણો અચંબો પામ્યાં. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માતા મરિયમને કહ્યું: "આ બાળક ઇઝરાયેલમાંના ઘણાંનાં પડવા તથા ઉઠવાનું અને જેની વિરુદ્ધ બોલવામાં આવશે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે. 35 જેથી ઘણાંનાં હૃદયોનાં વિચારો પ્રગટ થશે. અને વળી તરવાર તમારા પોતાના આત્માને પણ વીંધી નાંખશે."
36 હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી. 37 અને પછી તે ચોર્યાસી વર્ષ સુધી વિધવા હતી. તેણે કદી મંદિર છોડયું નહિ, પણ રાતદહાડો પ્રાર્થના તથા ઉપવાસસહિત ભજન કર્યા કરતી. 38 તે સમયે તે ત્યાં આવી અને તેણે ઈશ્વરની સ્તુતિ કરીને યરુશાલેમનાં ઉધ્ધારની વાટ જોનાર સર્વને બાળક વિશે કહેવા લાગી.
39 જયારે યોસેફ અને મરિયમે પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વિધિઓ પૂરી કરી, ત્યારે ગાલીલના નાઝરેથમાં તેઓ પોતાનાં ઘરે પાછાં ફર્યા. 40 અને છોકરો મોટો તથા બળવાન થતો ગયો, અને તે જ્ઞાનથી ભરપૂર હતો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
41 ઈસુનાં માબાપ દર વર્ષે પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં. 42 જયારે તે બાર વર્ષનાં થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ગયા. 43 પર્વની ઉજવણી પૂરી થઇ પછી, જયારે તેમના માતાપિતા ઘરે પાછાં વળતા, છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહી ગયો પણ તેઓ તેનાથી અજાણ હતા. 44 તેમણે વિચાયુઁ કે તે સંઘમાં હશે, તેઓએ એક દિવસનો મુસાફરી કરી, પછી તેઓએ સગાવહાલાંઓમાં તથા મિત્રોમાં તેમની શોધ કરી, 45 જયારે તે તેઓને મળ્યો નહિ, ત્યારે તેઓ તેમને શોધવાં યરુશાલેમ પાછાં ગયાં. 46 ત્રણ દિવસ પછી તેઓને તેમને મંદિરનાં આંગણાંમાં ગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા અને તેમને પ્રશ્નો પૂછતાં જોયા. 47 જેઓએ તેમને સાંભળ્યું તેઓ તેમની સમજણ અને તેમના જવાબોથી આશ્ચયઁચકિત થઈ ગયા. 48 જયારે તેમના માબાપે તેમને જોયા તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમની માએ તેમને કહ્યું, "દીકરા! અમારી સાથે તેં આવું વર્તન શા માટે કર્યું? તારા પિતા અને હું ચિંતિત થઇને તારી શોધ કરી!"
49 તેમણે કહ્યું, "તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાનાં ઘરે હોવું જોઈએ?" 50 પણ તે શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યાં નહિ.
51 પછી તે તેઓની સાથે નાઝરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો તેના મનમાં રાખી. 52 અને ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.