Publicidade

Lucas 11

ઈસુનું પ્રાર્થના વિશે શિક્ષણ

1 એક દિવસે ઈસુ એક સ્થળે પ્રાર્થના કરતા હતા. જયારે તેઓ પૂરી કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, "પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો."

2 તેમણે તેઓને કહ્યું, જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે કહો:

" ‘પિતા,

તમારું નામ પવિત્ર મનાઓ,

તમારું રાજ્ય આવો.

3 દિવસની અમારી રોટલી દરરોજ અમને આપો.

4 અમારા પાપ અમને માફ કરો.

કેમકે અમે પણ, અમારી વિરુદ્ધ પાપ કરનાર દરેકને માફ કરીએ છીએ.

અને અમને પરીક્ષણમાં ન લાવો.’ "

5 પછી ઈસુએ તેમને કહ્યું: "ધારોકે તમારે કોઈ મિત્ર હોય, ને મધરાતે તે તેની પાસે જઈને કહે કે, ‘મિત્ર! મને ત્રણ રોટલી ઉછીની આપ; 6 કારણ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે, અને તેને પીરસવાં મારી પાસે કંઈ ખોરાક નથી.’ 7 અને કદાચ તે અંદરથી એવો જવાબ આપે કે મને પરેશાન કરશો નહિ બારણું બંધ કરી દીધું છે, ‘અને મારા બાળકો અને હું પથારીમાં છીએ, હું ઉઠીને તને કંઇ આપી શકતો નથી.’ 8 હું તમને કહું છું કે: ભલે તે ઉઠીને તમને મિત્રતાને કારણે રોટલી આપશે નહિ, તોપણ તમારી નિલઁજ્જ હિમંતને લીધે તે ચોકકસ ઉઠશે અને તમને જરૂર હોય તેટલું આપશે.

9 "માટે હું તમને કહું છું: માંગો અને તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે 10 જે માગે છે તે દરેકને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.

11 "તમારામાંનો કયો પિતા, જો તમારો દીકરો તમારી પાસે રોટલી માગે, તો શું તમે તેને પથ્થર આપશો? જો તમારો દીકરો માછલી માગે તો શું તેને બદલે સાપ આપશો? 12 અથવા જો તે ઈંડુ માગે તો શું તમે વીંછી આપશો? 13 જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"

ઈસુ અને બાલઝબૂલ

14 ઈસુ મૂંગા અશુધ્ધ આત્માને કાઢતા હતા, જયારે અશુધ્ધ આત્મા નીકળ્યો, ત્યારે મૂંગો માણસ બોલવાં લાગ્યો, અને ટોળું અચંબો પામ્યું. 15 પણ કેટલાકે કહ્યું, "ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે." 16 બીજાઓએ તેમની કસોટી કરવા આકાશમાંથી નિશાની માંગી.

17 ઈસુએ તેઓના વિચારો જાણીને તેમણે કહ્યું, "કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે, અને દરેક રાજય અથવા ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. 18 જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? હું આ કહું છું કેમકે તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી અશુધ્ધ આત્માઓને કાઢું છું. 19 જો હું બાલઝબૂલ દ્વારા અશુધ્ધ આત્માઓને કાઢું છું તો તમારાં શિષ્યો કોની મદદથી તેઓને કાઢે છે? તો પછી તેઓ તમારા ન્યાયાઘીશ થશે. 20 પણ જો હું ઈશ્વરની આંગળી વડે અશુધ્ધ આત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારા પર આવ્યું છે.

21 "જયારે એક બળવાન માણસ સંપૂણઁ શસ્ત્ર સજજ બનીને પોતાના ઘરનું રક્ષણ કરે, ત્યારે તેની મિલકત સલામત રહે છે. 22 પણ જયારે કોઇ વધુ બળવાન માણસ તેના પર હુમલો કરી તેને જીતે છે, ત્યારે તે માણસ જેનાં પર તે આધાર રાખતો હતો, તે શસ્ત્રો તે ઉતારી લે છે, અને તેની લૂટં વહેંચી લે છે.

23 "જે મારા પક્ષનો નથી, તે મારી વિરુધ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી, તે વેરી નાખે છે.

24 "માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યાં પછી તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ભટકે છે, પણ તેને મળતો નથી. ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ.’ જયારે તે આવે છે, 25 ત્યારે તે ઘર ખાલી, વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. 26 પછી તે જઈને પોતાના કરતાં વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને લાવે છે, અને તેઓ તેમાં જઈને ત્યાં રહે છે. અને તે માણસની દશા અગાઉના કરતાં વધારે કફોડી બને છે.

27 "જયારે ઈસુ આ કહેતાં હતા ત્યારે ટોળામાંથી એક સ્ત્રી બૂમ પાડીને બોલી, જે માતાએ તમને જન્મ આપ્યો અને સ્તનપાન કરાવ્યું તેને ધન્ય છે."

28 તેમણે જવાબ આપ્યો, "તે કરતાં જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, ને પાળે છે, તેઓને ધન્ય છે."

યોનાની નિશાની

29 ટોળું મોટું થતાં ઈસુએ કહ્યું, "આ દુષ્ટ પેઢી છે. તે નિશાની માગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજી કોઇ તેમને આપવામાં આવશે નહિ. 30 કેમકે નિનવેહના લોકો માટે જેમ યોના નિશાનીરૂપ બન્યો, તેમ માણસનો દીકરો પણ આ પેઢી માટે થશે. 31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે અને તેઓને અપરાધી ઠરાવશે; કારણ કે તે પૃથ્વીનાં છેડાથી તે સોલોમોનનાં જ્ઞાનને સાંભળવા આવી હતી, અને હવે અહીં સોલોમોન કરતાં પણ એક મોટો છે. 32 ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે.

શરીરનો દીવો

33 "દીવો સળગાવીને, કોઈ તે સંતાય રહે એવી જગ્યાએ, કે વાસણ નીચે સંતાડી મૂકશે નહિ; પણ તેને બદલે સ્ટેન્ડ પર મૂકશે જેથી ઘરમાં પ્રવેશનાર ને તે અજવાળું આપે. 34 તમારી આંખ તમારાં શરીરનો દીવો છે. જયારે તમારી આંખો નિર્મળ હોય, ત્યારે તમારું આંખુ શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે, પણ જયારે ભૂંડુ હોય, ત્યારે તમારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. 35 માટે સાવધ રહો કે તમારાંમાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય. 36 તેથી, જો તમારું આંખુ શરીર પ્રકાશથી ભરેલું હોય ને કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તમને પ્રકાશ આપે છે, તેમ પ્રકાશથી ભરેલું થશે."

ફરોશીઓ અને પંડિતોને અફસોસ

37 જયારે ઈસુએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે એક ફરોશીએ તેમને પોતાની સાથે જમવા માટે આમંત્રણ આપ્યું. તેથી તેઓ અંદર જઈને ટેબલ પર જમવા બેઠાં. 38 જમતા પહેલાં ઈસુ નાહ્યા નહિ તે જોઇને ફરોશી અચરત થયો.

39 ત્યારે પ્રભુએ તેને કહ્યું, "તો હવે, તમે ફરોશીઓ થાળી વાટકો બહારથી જ સાફ રાખો છો, પણ અંદરથી તમે લાલચ અને દુષ્ટતાથી ભરેલાં છો. 40 તમે મૂર્ખ લોકો! જેણે બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ બનાવ્યું નથી? 41 પણ તમારી અંદર જે છે તે માટે ગરીબો માટે ઉદાર બનો અને તમારા માટે બધું શુધ્ધ થઇ જશે.

42 "તમો ફરોશીઓને અફસોસ! કેમકે તમે ફુદીનાનો, સિતાબ, અને બગીચાની સઘળી વનસ્પતિનો દશાંશ આપો છો પરંતુ તમે ન્યાય અને ઈશ્વરના પ્રેમની અવગણના કરો છો. તમારે પહેલાને રદ કયાઁ વિના પાછળનું પાલન કરવું.

43 "તમો ફરોશીઓને અફસોસ! કારણ કે તમને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને બજારમાં માનપૂવઁક વંદન ગમે છે.

44 "તમને અફસોસ કારણ કે તમે નિશાન વગરની કબરો જેવા છો, જેના પર લોકો અજાણતા ચાલે છે."

45 નિયમશાસ્ત્રના એક પંડિત તેમને જવાબ આપ્યો, "ઉપદેશક! જયારે તમે આ વાતો કહો છો ત્યારે તમે અમારું પણ અપમાન કરો છો."

46 ઈસુએ જવાબ આપ્યો, "ઓ પંડિતો! તમને અફસોસ કારણ કે તમે લોકો પર તેવો બોજો લાવો છો કે તેઓ ભાગ્યે જ ઉઠાવી શકે અને તમે તેઓને મદદ કરવા માટે એક આંગળી પણ લગાડતા નથી.

47 "તમને અફસોસ! કારણ કે તમે તમારા પ્રબોધકો માટે કબરો બાંધો છો અને એ તમારાં પૂર્વજોએ હતાં કે જેમણે તેમને મારી નાંખ્યાં. 48 તેથી તમે સાક્ષી આપો છો કે તમારા પૂવઁજોએ જે કયુઁ છે; તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યાં અને તમે તેમની કબરો બાંધો છો. 49 આ માટે જ ઈશ્વરે પોતાના જ્ઞાનમાં કહ્યું: ‘હું તમારી પાસે પ્રબોધકોને તથા પ્રેષિતોને મોકલી આપીશ, અને તમે તેઓમાંથી કેટલાકને મારી નાખશો અને કેટલાકને સતાવશો.’ 50 તેથી જગતના આરંભથી અત્યાર સુધી જે પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે તેના માટે પેઢી જવાબદાર ગણાશે; 51 હાબેલના રકતથી માંડીને, ઝખાર્યાના રકત સુધી જે વેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું આ બધા માટે આ પેઢી જવાબદાર ગણાશે.

52 "ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને અફસોસ! કારણ કે તમે જ્ઞાનની ચાવી તમે લઇ લીધી છે, તમે પોતે પ્રવેશ્યા નથી, અને જેઓ પ્રવેશ્તા હતા તેઓને અટકાવ્યા છે."

53 જયારે ઈસુ બહાર ગયા, ત્યારે ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોઓ તેમનો સખત વિરોધ કયોઁ, અને પ્રશ્નો પૂછીને તેમને ઘેરી લીધા. 54 તેઓ એવું કંઈ બોલે તેમાં તેને પકડવાની રાહ જોઈ રહ્યા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-