1 જેઓ સાંભળતા હતા તેઓને આ બધું કહી રહયાં પછી ઈસુ કપરનાહૂમ આવ્યા. 2 ત્યાં એક સૂબેદારનો નોકર હતો જે તેના માલીકને ઘણો વહાલો હતો. તે બિમાર હતો અને મરવાની અણી પર હતો. 3 સૂબેદારે ઈસુ વિશે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલીને તેમને કહેવડાવ્યું કે, આવો અને તેના નોકરને સાજો કર. 4 જયારે તેઓ ઈસુ પાસે આવ્યા તેઓએ આગ્રહથી તેમને વિનંતી કરી, "આ કરવાં એને એ માણસ લાયક છે. 5 કેમકે તે આપણા દેશને પ્રેમ કરે છે અને તેણે આપણું સભાસ્થાન બંધાવી આપ્યું છે." 6 તેથી ઈસુ તેઓની સાથે ગયા.
તેઓ તેના ઘરેથી બહુ દૂર ન હતા, ત્યારે સૂબેદારે તેમના મિત્રોને મોકલીને કહેવડાવ્યું, "પ્રભુ! તમે તકલીફ ન લેશો. તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી, 7 એટલા માટે મેં તમારી પાસે આવવાને પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો અને મારો નોકર સાજો થઈ જશે. 8 કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જા!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવ!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે."
9 આ સાંભળીને ઈસુ તેનાથી નવાઈ પામ્યા અને તેમણે પાછળ આવતાં ટોળાં તરફ ફરીને કહ્યું, "હું તમને કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી." 10 ત્યારે જે માણસોને મોકલ્યાં હતાં તેઓ પાછા આવ્યા, ને નોકરને સાજો થયેલો જોયો.
11 પછી તરત, ઈસુ નાઈન નામનાં નગરમાં ગયા. અને તેમના શિષ્યો તેમજ લોકોનું બહું મોટું ટોળું તેમની સાથે ગયું. 12 જયારે તેઓ નગરનાં દરવાજે પહોંચ્યા, ત્યારે એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા, તેની માતાનો એકનો એક પુત્ર; અને તે એક વિધવા હતી. અને નગરનું ઘણું મોટું ટોળું તેની સાથે હતું. 13 જયારે પ્રભુએ તેને જોઈ ત્યારે તેમનું હૃદય ઊભરાઈ આવ્યું, અને તેમણે કહ્યું: "રડીશ નહિ!"
14 પછી તેઓ પાસે ગયા અને જે ઠાઠડી તેઓ ઉંચકીને લઇ જઈ રહયાં હતાં તેને અડકયા, અને ઊંચકનારાઓ ઊભા રહ્યા, તેમણે કહ્યું, "જુવાન માણસ! હું તને કહું છું કે, ઊઠ!" 15 મૂએલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો, અને ઈસુએ તેને તેની માતાને પાછો આપ્યો.
16 લોકોને ભય લાગ્યું અને ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, "આપણી મધ્યે એક મહાન પ્રબોધક દેખાયા છે. ઈશ્વર પોતાના લોકોને મદદ કરવાં આવ્યા છે." 17 ઈસુનાં વિશેનાં આ સમાચાર યહૂદિયા અને આસપાસના પ્રદેશોમાં ખૂણે ખૂણે ફેલાઈ ગયા.
18 આ બધા વિશે તેઓમાંના બે ને બોલાવીને યોહાનનાં શિષ્યોએ તેમને કહ્યું. 19 તેણે તેઓને પ્રભુ પાસે પુછવા મોકલ્યા, "આવનાર તે તમે જ છો કે, પછી અમે બીજાની રાહ જોઈએ?"
20 જયારે માણસો ઈસુની પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું, "યોહાન બાપ્તિસ્તે અમને તમને પૂછવાને મોકલ્યાં છે, ‘આવનાર છે તે તમે છો કે હજી અમારે બીજાની રાહ જોઈએ?’ "
21 તે જ વેળાએ ઈસુએ જે રોગી, બીમાર, અને અશુધ્ધ આત્મા વાળાને સારા કયાઁ, અને જેઓ અંધ હતા તેઓને દ્રષ્ટી આપી. 22 તેથી તેમણે સંદેશાવાહકને જવાબ આપ્યો, "તમે જે સાંભળો છો અને જુઓ છો તે વિષે યોહાન પાસે જાઓ ને જણાવો: આંધળા દેખતાં થાય છે, લંગડા ચાલતાં થાય છે, રકતપિતના રોગીઓ શુધ્ધ થાય છે, બહેરાં સાંભળતા થાય છે, અને મૂએલા સજીવન થાય છે અને દરિદ્રિને સુસમાચાર પ્રગટ કરવામાં આવે છે. 23 જેઓ મારા લીધે ઠોકર ખાતાં નથી તેઓને ધન્ય છે."
24 યોહાનના સંદેશાવાહક ગયા પછી, ઈસુએ લોકોને યોહાન સંબંધી ટોળાને કહેવા લાગ્યા, "અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? 25 જો ના તો, તમે બહાર શું જોવા ગયા? શું સારા વસ્ત્ર પહેરેલાં માણસને? ના, જેઓ મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે તેમને અથવા રાજમહેલમાં એશઆરામ ભોગવે છે તેમને. 26 પણ તમે શું જોવા બહાર ગયા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 27 તે એ જ છે કે, જેનાં વિશે લખેલું છે કે:
" ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,
જે તમારી આગળ તમારો માર્ગ તૈયાર કરશે.’
28 હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન કરતાં કોઇ મહાન થયો નથી; તોપણ, ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે તેના કરતાં મોટો છે."
29 જકાતકારો સહિત ઘણાં લોકોએ, જયારે ઈસુની આ વાત સાંભળી ત્યારે તેઓએ સ્વીકાયુઁ કે ઈશ્વરનો માગઁ સાચો હતો, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોઓએ પોતાના માટેનો ઈશ્વરનો હેતુંનો નકાર કયોઁ, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા.
31 ઈસુએ કહ્યું, "તો શું, ત્યારે, આ પેઢીનાં માણસોને હું કોની સાથે સરખાવું? તેઓ કોના જેવા છે? 32 તેઓ બાળકો જેવાં છે કે જેઓ બજારમાં બેસીને એકબીજાને બોલાવીને કહે છે કે:
" ‘અમે તમારા માટે વાજાં વગાડયાંં,
અને તમે નાચ્યાં નહિ,
અમે શોકગીતો ગાયાં,
પણ તમે રડયાં નહિ.’
33 કેમકે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો આવ્યો, અને તમે કહો છો કે, ‘તેને ભૂત વળગેલું છે.’ 34 માણસનો દીકરો તો ખાતો પીતો આવ્યો, ‘અને તમે કહો છો કે તે તો ખાઉધરો અને દારૂ પીનારો, જકાતદારો અને પાપીઓનો મિત્ર!’ 35 પણ જ્ઞાન પોતાના બાળકોથી સાચું સાબિત થાય છે."
36 જયારે એક ફરોશીએ ઈસુને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેઓ ફરોશીના ઘરે જઈને ટેબલે બેઠા. 37 એક સ્ત્રી કે જે એ નગરમાં રહેતી હતી તે પાપી જીવન જીવતી હતી, ઈસુ ફરોશીનાં ઘરમાં ખાતા હતા, ત્યારે તે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને ત્યાં આવી. 38 માંહે આવીને તે ઈસુના પગ પાસે રુદન કરતી ઉભી રહી. તે તેનાં આંસુઓથી તેમના પગને પલાળવા લાગી. પછી તે પોતાના વાળ વડે લૂંછવા લાગી, તેમને ચૂમ્યા, અને તેમના પર અત્તર રેડયું.
39 જયારે ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ આ જોઈને તેણે પોતે કહ્યું, "જો આ માણસ પ્રબોધક હોત તો તે જાણત કે જે તેમને અડકે છે તે સ્ત્રી કોણ અને કેવી છે, એટલે કે તે પાપી છે!"
40 ઈસુએ તેને જવાબ આપ્યો, "સિમોન, મારે તને કંઈક કહેવું છે."
તેણે કહ્યું, "કહો, ગુરુજી."
41 "એક શાહુકારે બે જણને પૈસા ધીર્યા. પહેલાંને પાંચસો દીનાર ને બીજાને પચાસ દીનાર. 42 તેઓની પાસે તેને પાછું વાળી આપવાને માટે પૈસા ન હતા, તેથી તેણે બંનેનું દેવું માફ કર્યું. હવે તેઓમાંનો કોણ તેમને વધારે પ્રેમ કરશે?"
43 સિમોને જવાબ આપ્યો, "મારા મત મુજબ જેને વધારે દેવું માફ થયું તે."
ઈસુએ કહ્યું "તેં સાચો ન્યાય કયોઁ છે."
44 પછી ઈસુએ પેલી સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું, "આ સ્ત્રીને તું જુએ છે? હું તારા ઘરે આવ્યો, ત્યારે તેં મારા પગને માટે મનેં પાણી ન આપ્યું, પણ તેણે મારા પગ પોતાનાં આંસુ વડે પલાળ્યા અને તેના વાળ વડે લૂંછયા. 45 તેં મને ચુંબન કર્યું નહિ, પણ જયારે આ સ્ત્રીએ હું અહીં આવ્યો છું ત્યારથી મારા પગ ચૂમ્યા કરે છે. 46 તે મારા માથા પર તેલ ચોળ્યું નહિ, પણ તેણે અત્તર મારા પગ પર રેડયું છે. 47 તેથી હું તને કહું છું કે તેનાં પાપ ઘણાં છે તે તેને માફ કરવામાં આવ્યા છે; કેમકે તેણે, તેનો પુષ્કળ પ્રેમ પ્રગટ કયોઁ છે, પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે ઓછો પ્રેમ કરે છે."
48 જયારે ઈસુએ તેને કહ્યું, "તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
49 ત્યારે બીજા મહેમાનો માંહોમાંહે કહેવા લાગ્યા કે, "આ તે વળી કોણ છે કે, જે પાપ પણ માફ કરે છે?"
50 ઈસુએ સ્ત્રીને કહ્યું, "તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા."