Publicidade

Lucas 1

લૂક રચિત સુસમાચાર

1 આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના વૃતાંત લખવાનું ઘણાએ હાથમાં લીધું છે 2 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનનાં સેવકો હતા તેઓ દ્રારા આપણને હાથમાં સોંપ્યું છે. 3 મે પોતે નેકનામદાર થિઓફિલ મને પણ લાગ્યું કે શરૂઆતથી આ સઘળી વાતોની ચોકસાઈથી શોધ કર્યા પછી મેં પણ તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કયોઁ. 4 જેથી જે બાબતો તમને શીખવવામાં આવેલી છે, તેની સત્યતા તમે જાણો.

યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી

5 યહૂદિયાનાં રાજા હેરોદના સમયમાં ઝખાર્યા નામે એક યાજક હતો, તે યાજકોના અબિયાના વર્ગમાંનો હતો. તેની પત્ની એલિસાબેત પણ આરોનની વંશની હતી. 6 તેઓ બંને ઈશ્વરની નજરમાં ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ નિર્દોષપણે પાડતા હતાં. 7 પણ તેઓ નિઃસંતાન હતાં, કેમકે એલિસાબેત વાંઝણી હતી અને તેઓ બંને ઘણાં વૃધ્ધ હતાં.

8 એક દિવસ ઝખાર્યા વગઁ પ્રમાણે સેવાને માટે હાજર હતો અને તે યાજકનું કામ ઈશ્વર આગળ કરતો હતો, 9 યાજકોનાં રિવાજ પ્રમાણે પ્રભુનાં મંદિરમાં જઈને ધૂપ બાળવા માટે ચિઠ્ઠીઓ દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો હતો. 10 જયારે ધૂપ બાળવાનો સમય આવ્યો ત્યારે આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11 તેટલામાં પ્રભુનો દૂત ધૂપવેદીની જમણી તરફ ઊભેલો તેને દેખાયો. 12 જયારે ઝખાર્યાએ તેને જોયો ત્યારે તે ચોકી ઊઠયો ને ગભરાઈ ગયો. 13 પણ દૂતે તેને કહ્યું, "ઝખાર્યા, ગભરાતો ના! તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેત એક પુત્રને જન્મ આપશે અને તું તેને યોહાન કહેશે. 14 તે તને આનંદ તથા હર્ષ થશે અને ઘણાં તેનાં જન્મને લીધે હરખાશે. 15 તે ઈશ્વરની નજરમાં મહાન થશે. તે કદી દ્રાક્ષારસ લેશે નહિ અથવા કોઈ કેફિ પીણું પીશે નહિ, અને તેના જન્મ પહેલાંથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. 16 તે ઘણાં ઇઝરાયેલના લોકોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફેરવશે. 17 અને તે એલિયાના આત્માએ અને પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે માતા-પિતાનાં હૃદયને તેમનાં બાળકો તરફ અને આજ્ઞા ન માનનારાઓને ન્યાયીઓનાં જ્ઞાન તરફ ફેરવશે અને પ્રભુને માટે સિધ્ધ થયેલા લોક તૈયાર કરશે."

18 ઝખાર્યાએ દૂતને પૂછયું, "આની ખાતરી હું કેવી રીતે કરી શકું? હું વૃધ્ધ છું અને મારી પત્ની પણ ઘણા વરસની થઇ છે."

19 દૂતે તેને કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં ઊભો રહેનાર હું ગાબ્રિયેલ છું, અને તારી સાથે વાત કરવા અને આ સારાં સમાચાર આપવાં સારું મને મોકલવામાં આવ્યો છે. 20 અને હવે આ બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને તું બોલી શકશે નહિ, કેમકે તે મારા વચન પર વિશ્વાસ કયોઁ નહિ, તે તેના ઠરાવેલાં સમયે સાચાં પૂરવાર થશે."

21 આ સમય દરમિયાન, લોકો ઝખાર્યાની રાહ જોતાં હતા અને તેઓને નવાઈ લાગી કે તે આટલો બધો સમય મંદિરમાં કેમ રહયો. 22 જયારે તે બહાર આવ્યો, ત્યારે તે તેઓની સાથે બોલી શકયો નહિ. તેઓને લાગ્યું કે મંદિરમાં તેને કોઇ દશઁન થયું હશે. તે તેઓને ઇશારા કરતો હતો પણ તે બોલી ન શકયો.

23 જયારે તેના સેવા કરવાના દિવસો પુરા થયા પછી તે ઘરે પાછો ફર્યો. 24 તે પછી, તેની પત્ની એલિસાબેત ગર્ભવતી બની અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, 25 તેણે કહ્યું "પ્રભુએ મારા માટે આ કયુઁ છે. આ દિવસોમાં તેમણે તેમની કૃપા બતાવી છે અને લોકોમાં મારું મહેણું દૂર કયુઁ છે."

ઈસુના જન્મની આગાહી

26 એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. 27 કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28 દૂતે તેની પાસે આવીને કહ્યું, "સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે."

29 આ શબ્દો સાંભળીને મરિયમ ઘણી ગભરાઈ ગઈ અને તે ચકિત થઇ ગઇ, આ તે કંઇ જાતની સલામ હશે. 30 પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. 31 તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. 32 અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. 33 અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ."

34 મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."

35 દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે. 36 વળી, તારી સગી એલિસાબેતને વૃધ્ધાવસ્થામાં બાળક થવાનું છે અને જે ગભઁ ધારણ કરી શકતી ન હતી તેને તે છઠ્ઠા મહિનામાં છે. 37 કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."

38 મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.

મરિયમ એલિસાબેતની મુલાકાતે

39 એ સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદીયાના પહાડી પ્રદેશનાં એક શહેરમાં ઉતાવળથી ગઈ. 40 ઝખાર્યાના ઘરમાં જઈને તેણે એલિસાબેતને સલામ પાઠવી. 41 જયારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના ગભઁમાં કૂદ્યુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ, 42 તેણે મોટા અવાજે કહ્યું "સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને તારાંથી જન્મનાર બાળકને ધન્ય છે! 43 પણ એ કૃપા મને કયાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવે! 44 તારી સલામનો અવાજ જેવો મારા કાને પડતા તરત જ મારા ગભઁમાં બાળક હર્ષથી કૂદ્યુ. 45 જેણે વિશ્વાસ કર્યોઁ છે તેને ધન્ય છે, કે પ્રભુએ તેને આપેલા તેના વચનો પૂરાં કરશે."

મરિયમનું ગીત

46 અને મરિયમે કહ્યું:

"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે

47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,

48 કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા

પર દ્રષ્ટિ કરી છે.

હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,

49 કેમકે પરાક્રમીએ મારે સારું,

મારા માટે મહાન કૃત્યો કર્યાં છે—તેનું નામ પવિત્ર છે.

50 જેઓ તેમની બીક રાખે છે, તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે.

51 તેમણે પોતાના ભુજે પરાક્રમી કાયોઁ દેખાડયા છે

જેઓ પોતાના આંતરિક વિચારોમાં અભિમાની છે તેઓને તેણે વિખેરી નાંખ્યાં છે!

52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છે

અને દીન લોકોને ઊંચા કર્યા છે.

53 ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે

અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.

54 દયા રાખવાનું સંભારીને,

તેમણે તેમના સેવક ઇઝરાયેલને સહાય કરી છે

55 જેમ તેણે આપણા પૂવઁજોને વચન આપ્યું હતું.

તેમ અબ્રાહમ અને તેના વંશજોને સદા માટે"

56 એલિસાબેતની સાથે લગભગ ત્રણ માસ સુધી રહ્યા પછી મરિયમ પોતાને ઘરે પાછી ગઈ.

યોહાન બાપ્તિસ્તનો જન્મ

57 જયારે એલિસાબેતને તેના બાળકને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે તેણે પુત્રને જન્મ આપ્યો. 58 તેનાં પાડોશીઓએ તથા સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મહાન દયા દશાઁવી છે અને તેઓએ તેની સાથે આનંદ પામ્યા.

59 આઠમાં દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યા. અને તેઓ આ પ્રસંગે સગાંવહાલાં તથા મિત્રો આવ્યા હતાં. અને તેઓ તેનું નામ તેના પિતા ઝખાર્યાનાં નામ પર રાખવા ગયા. 60 પરંતુ, તેની માતાએ બોલીને કહ્યું; "ના! તે યોહાન કહેવાશે!"

61 તેઓએ તેને કહ્યું, "તારા સગાઓમાં કોઇનું એવું નામ નથી!"

62 પછી તેમણે છોકરાનાં પિતાને ઈશારાથી પૂછયું? કે તું બાળકનું શું નામ રાખવા માગે છે. 63 તેણે સ્લેટ મંગાવીને તેના પર લખ્યું કે તેનું નામ યોહાન છે. "તેથી તેઓ નવાઈ પામ્યા." 64 તે જ ઘડીએ તેનું મોં ઊઘડી ગયું ને તેની જીભ છુટી થઈ અને તે ઈશ્વરની સ્તુતિ કરતા બોલવા લાગ્યો. 65 સર્વ પાડોશીઓને બીક લાગી અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશનાં લોકો આ બધી બાબતો વીશે વાત કરતા હતા. 66 જે કોઇએ આ વિશે સાંભળ્યું તે દરેક આશ્ચયઁચકિત થઇને પૂછયું, "તો પછી આ બાળક કેવો થશે!" કેમકે પ્રભુનો હાથ તેની સાથે હતો.

ઝખાર્યાનું ગીત

67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રબોધ કયોઁ:

68 "ઇઝરાયેલનાં ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ,

કેમકે તેમણે પોતાના લોકોની પાસે આવી અને તેઓનો ઉધ્ધાર કર્યો છે.

69 તેમણે પોતાના સેવક દાવિદના ઘરમાં,

તેમણે આપણે સારું તારણનું શિંગ ઉભું કયું છે

70 (જેમ બહુ પહેલાં પવિત્ર પ્રબોધકો દ્રારા તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે)

71 આપણા શત્રુઓથી,

અને સવઁ ધિક્કારનારાઓ નાં હાથમાંથી આપણને બચાવશે

72 આપણા પૂર્વજો તરફ તેમણે દયા દર્શાવી

અને પોતાનો પવિત્ર કરાર સંભાર્યે:

73 તેમણે આપણા પિતા અબ્રાહમ સાથે જે સમ ખાધા:

74 આપણને આપણા સઘળાં શત્રુઓનાં હાથમાંથી મુક્ત કરીને

અને આપણને નિર્ભયતાથી તેમની સેવા કરવા યોગ્ય કયાઁ,

75 પવિત્રતામાં અને ન્યાયીપણામાં આપણા સવઁ દિવસો તેમની સમક્ષતામાં,

76 "અને તું, મારા પુત્ર, પરાત્પરનો પ્રબોધક કહેવાશે;

કેમકે પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે તેમની આગળ તું જશે,

77 તારણનું જ્ઞાન તું તેમના લોકોને આપે,

કે તેનાથી તેઓનાં પાપની માફી મળે.

78 આપણા પ્રભુની પુષ્કળ દયાને લીધે,

જેનાથી આકાશમાંથી ઉગતો સૂરજ આપણી પાસે આવશે,

79 અંધકારમાં જીવતાં લોકો પર પ્રકાશવાં;

અને મૃત્યુની છાયામાં જીવતાં,

આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય."

80 છોકરો મોટો થયો અને આત્મામાં બળવાન થતો ગયો; અને ઇઝરાયેલમાં તે પ્રગટ થાય ત્યાં સુધી તે અરણ્યમાં રહ્યો.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-