1 અઠવાડિયેને પહેલે દિવસે વહેલી સવારે, સ્ત્રીઓએ તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઇને કબરે ગઇ. 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. 3 પણ જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ પ્રભુ ઈસુનું શબ જોયું નહિ. 4 જયારે તેઓ આ વિશે વિચારતી હતી, એવામાં વિજળી જેવા ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો તેઓની બાજુમાં ઊભેલા હતા. 5 સ્ત્રીઓ ભયભીત થઇ ગઇ ને જમીન સુધી તેમના માથાં નમાવ્યા, "પણ તે માણસે તેમને કહ્યું, મૂએલાઓમાં તમે જીવતાંને કેમ શોધો છો? 6 તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો: 7 ‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ " 8 ત્યારે તેઓને તેમના શબ્દો યાદ આવ્યા.
9 જયારે તેઓ કબરેથી પાછી આવી ત્યારે તેઓએ આ બધુ અગિયારને તથા બીજા બધાંને તે બધી વાતો કહી સંભળાવી. 10 તેઓમાં મરિયમ માગદાલેણ, યોહાન્ના, યાકોબની મા મરિયમ અને બીજી કેટલીક તેમની સાથે હતી, જેમણે પ્રેષિતોને આ કહ્યું. 11 પણ તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ, કેમકે તેમની વાતો તેઓને પોકળ લાગી. 12 એમ છતાં પિતર ઉઠીને કબર તરફ દોડી ગયો, નિચે વળીને તેણે શણની પટ્ટીઓ એકલી પડેલી જોઈ, જે થયું હતું તેથી તે અચરત થઇને ચાલ્યો ગયો.
13 હવે તે જ દિવસે તેઓમાંના બે યરુશાલેમથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા એમ્મોસ ગામ તરફ જઈ રહ્યા હતા. 14 માર્ગમાં તેઓ એકબીજા સાથે જે બધી બનેલી બાબતો સંબંધી વાતચીત કરતા હતા. 15 જયારે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા એવામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓ તેમને ઓળખી શક્યાં નહિ.
17 તેમણે તેમને પૂછયું, "તમે સાથે ચાલતાં ચાલતાં શી ચર્ચા કરો છો?"
તેઓ ઊભા રહી ગયા, તેઓના મોં ઉતરી ગયા. 18 કલીઓપાસ નામનાં એક જણે, તેમને પૂછયું, "આખા યરુશાલેમની મુલાકાત કરનારામાં તું જ એક એવો લાગે છે કે જેને આ દિવસોમાં બનેલી બીનાઓની ખબર નથી!"
19 તેમણે પૂંછયુ, "કઈ બીનાઓ?"
તેઓએ જવાબ આપ્યો, "નાઝરેથના ઈસુના વિશે, તેઓ ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી એક પ્રબોધક હતા. 20 મુખ્ય યાજકોએ અને અમારા અધિકારીઓ તેમને પકડીને મરણદંડને માટે સોંપી દીધા, અને તેઓએ તેમને ક્રૂસે જડી દીધા. 21 પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયેલને છુટકારો આપનાર હતો તે એ જ છે, અને તે સવઁ ઉપરાંત આ બનાવને આજે ત્રીજો દિવસ થયો છે. 22 વળી અમારાંમાંની કેટલીક સ્ત્રીઓ આજે વહેલી સવારે કબરે ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડયું. 23 તેઓને તેમનું શબ મળ્યુ નહિ. ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને દૂતોનુ દશઁન થયું હતું, જેઓએ કહ્યું કે તેઓ જીવતાં હતા. 24 અમારાંમાંથી કેટલાક કબરે ગયા જેમ સ્ત્રીઓએ કહ્યું હતુ તેમ તેઓએ જોયું, પણ તેઓએ ઈસુને જોયા નહિ."
25 તેમણે તેઓને કહ્યું, "તમે કેટલાં મુખઁ છો, અને પ્રબોધકોએ જે કહ્યું તે માનવામા કેટલાં ધીમાં છો! 26 શું મસીહાએ પોતાના મહિમામાં પ્રવેશતાં પહેલાં આ બધું સહેવું પડશે?" 27 અને મોશે અને બધા પ્રબોધકોનાં પુસ્તકોથી શરૂ કરીને બધા શાસ્ત્રમાંથી પોતાને વિશે જે કહેવામાં આવ્યું તેનો ખુલાસો કરી બતાવ્યો.
28 તેઓ જે ગામમાં જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ આગળ જતા હોય તેમ આગળ વધ્યા. 29 પણ તેઓએ તેમને આગ્રહ કયોઁ કે, અમારી સાથે રહો કેમકે "સાંજ પડવા આવી છે, અને દિવસ નમવા આવ્યો છે. ખૂબ મોડું થઈ ગયું છે" તેથી તેઓ તેમની સાથે ગયા.
30 જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા, પણ તેઓ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા કે, "જયારે તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા ને શાસ્ત્ર ખોલીને સમજાવતા હતા ત્યારે શું આપણા હૃદય કેવાં અદભુત ઉષ્મા અનુભવતા હતાં!"
33 એ જ સમયે તેઓ ઊઠીને યરુશાલેમ પાછા વળ્યા. ત્યાં તેમણે અગિયારને તથા તેઓની સાથેનાઓને એકઠાં થયેલા જોયા, 34 અને કહેતા કે, "તે સાચું છે! પ્રભુ, ખરેખર ઊઠયાં છે! અને સિમોનને દર્શન દીધું છે." 35 ત્યારે બે એ રસ્તામાં શું બન્યું, અને રોટલી ભાંગતા ઈસુ તેમનાથી કેવી રીતે ઓળખાયા હતાં તે કહી બતાવ્યું.
36 એ વાતો તેઓ કરતા હતા, એટલામાં જ ઈસુ પોતે તેઓની મધ્યે ઊભા રહ્યા અને કહ્યું, "તમને શાંતિ થાઓ."
37 તેઓ ચોંકીને ભયભીત થઇને, ધાયુઁ કે તેઓએ આત્મા જોયો. 38 તેમણે તેઓને કહ્યું, "તમે શા માટે ગભરાઓ છો? અને તમારા મનમાં શંકા કેમ લાવો છો? 39 મારા હાથને મારા પગ જુઓ હું તે પોતે છું! મને સ્પર્શ કરો ને જુઓ; આત્માને માંસ તથા હાંડકા હોતા નથી, તમે જોઈ શકો છો કે તે મને છે."
40 એમ કહ્યાં પછી તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યાં. 41 અને તેઓ હજુ પણ આનંદ અને આશ્ચચઁને લિધે માનતા ન હતાં, તેમણે તેઓને પૂછયું, "તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?" 42 તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. 43 તે લઇને તેમણે તેઓની હાજરીમાં ખાધો.
44 તેમણે તેઓને કહ્યું, "જયારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને આ જ કહ્યું હતું: મોશે અને અન્ય પ્રબોધકોનાં લખાણોમાં તેમજ ગીતશાસ્ત્રમાં મારા વિશે જે લખ્યું છે તે બધું જ પુરું થવું જોઈએ."
45 પછી શાસ્ત્રવચનો સમજવા તેમણે તેઓનાં મન ખોલ્યાં 46 તેમણે તેઓને કહ્યું, "એમ લખેલું છે કે: મસીહા દુઃખ સહન કરશે અને ત્રીજે દિવસે મૂએલામાથી સજીવન થશે, 47 અને યરુશાલેમથી માંડીને જગતમાં સર્વ પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો અને પાપની માફી પ્રગટ કરાશે. 48 અને તમે તેના સાક્ષી છો. 49 હું મારા પિતાનુ વચન તમારાં પર મોકલું છું; તે પ્રમાણે પવિત્ર આત્માને હું તમારાં પર મોકલી આપીશ, પણ ઉપરના સામર્થ્યથી ભરપૂર થાવ ત્યાં સુધી તમે શહેરમાં જ રહેજો."
50 પછી તેઓ તેમને બેથાનિયા ની નજીક લઇ ગયા, તેમણે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો. 51 જયારે તેઓને આશીર્વાદ આપતાં હતાં, ત્યારે તેમણે તેઓને મૂકી દીધા અને આકાશમાં લઇ લેવામાં આવ્યા. 52 તેઓએ તેમનું ભજન કર્યું અને આનંદ કરતા યરુશાલેમ પાછા ગયા. 53 તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા રહ્યા.