1 મારાંં વહાલાં બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ લખું છું, પણ જો કોઈ પાપ કરે તો આપણે માટે પિતાની સમક્ષ એક મધ્યસ્થ છે, એટલે ઈસુ મસીહ જે ન્યાયી છે તે. 2 તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.
3 જો આપણે તેમની આજ્ઞા પાળીએ તો એથી ખાતરી થાય છે કે આપણે તેમને ઓળખીએ છીએ. 4 જો કોઈ કહે કે, "હું તેમને જાણું છું." પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલતો ન હોય તો તે જૂઠો છે, અને તે વ્યકિતમાં સત્ય નથી. 5 પણ જેઓ તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ખરેખર સંપૂણઁ થયેલો છે, એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં છીએ. 6 જે કોઈ કહે છે કે, હું તેમનામાં છું. તેણે જેમ ઈસુ ચાલ્યા તેમ ચાલવું જોઈએ.
7 વહાલાં મિત્રો, હું તમને કોઇ નવી આજ્ઞા નથી લખતો જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, જે સંદેશ તમે સાંભળ્યો છે તે જ જૂની આજ્ઞા છે. 8 તોપણ હું તમને આ નવી આજ્ઞા લખું છું; જેની સત્યતા તેમનામાં અને તમારાંમાં પણ જોવા મળે છે, કેમકે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.
9 જો કોઈ એમ કહેતો હોય કે તે પ્રકાશમાં ચાલે છે પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે હજી પણ અંધકારમાં જ છે. 10 પણ જે કોઈ પોતાના ભાઈ અને બહેન પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં જીવે છે, તેથી તેમના માટે ઠોકર ખાવાનું કોઈ કારણ રહેતું નથી. 11 પણ જે કોઈ પોતાના ભાઈ અને બહેનને ધિક્કારે છે તે અંધકારમાં છે, અને તેની આસપાસ ચાલે છે. તેઓએ જાણતાં નથી કે તેઓ કયાં જાય છે, કેમકે અંધકારે તેમને અંધ કયાઁ છે.
12 વહાલાં બાળકો, હું તમને લખું છું,
કેમકે તેમનાં નામની ખાતર તમારાંં પાપ માફ કરવામાં આવ્યા છે.
13 પિતાઓ હું તમને લખું છું કે,
કેમકે જે આરંભથી છે તેમને તમે ઓળખો છો.
જુવાનો, હું તમને લખું છું,
કેમકે તમે દુષ્ટને જીત્યો છે.
14 વહાલાં બાળકો, હું તમને લખું છું,
કેમકે તમે પિતાને ઓળખો છો.
જુવાનો, હું તમને લખું છું,
કેમકે તમે શકિતશાળી છો.
ઈશ્વરનું વચન તમારાંમાં છે,
તમે શેતાન પર જીત પામ્યા છો.
15 તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી. 16 કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે. 17 આ જગત અને તેની લાલસા જતાં રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે સદા રહેશે.
18 વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે; મસીહ વિરોધી આવનાર છે તે વિશે તમે સાંભળ્યું છે, તેમ હમણાં પણ આવાં ઘણાં મસીહ વિરોધી પ્રગટ થયા છે, તેથી આપણે જાણીએ છે કે આ છેલ્લો સમય છે. 19 તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ ખરેખર તેઓ આપણામાંના ન હતા, જો તે આપણામાંના હોત તો તે આપણી સાથે રહેત; પણ તેમના જવાથી ખબર પડી કે તેઓ આપણામાંના ન હતા.
20 પણ તમે તો જે પવિત્ર છે તેનાથી અભિષિકત થયા છો, અને તમે બધાં સત્ય જાણો છો. 21 તમે સત્ય જાણતા નથી માટે હું લખું છું એમ નહિ, પણ તમે તેને જાણો છો કે સત્યમાં થી કંઈ જૂઠું આવતું નથી. 22 જૂઠો કોણ છે? જે કોઈ ઈસુ તે મસીહ હોવાનો ઈન્કાર કરે છે. એ જ માણસ મસીહ વિરોધી છે, જે પિતા અને પુત્રનો ઈન્કાર કરે છે. 23 જે કોઈ પુત્રનો ઈન્કાર કરે છે તેની પાસે પિતા નથી; જે કોઈ પુત્રને કબૂલ કરે છે તેની પાસે પિતા પણ છે.
24 તેથી શરૂઆતથી તમે જે સાંભળ્યું છે, તે તમારામાં રહે. જો તમે તે પ્રમાણે કરશો તો તમે પણ પિતા તથા પુત્રમાં રહેશો. 25 અને જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ છે, અનંતજીવનનું વચન.
26 જે લોકો તમને ભમાવીને આડે માર્ગે દોરી જાય છે તેમના વિશે મેં તમને આ લખ્યું છે. 27 તમારા માટે, તેણે તમને જે અભિષેક કયોઁ તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કોઈ અગત્ય નથી, પણ જેમ તેમનો અભિષેક તમને બધી બાબતો શીખવે છે તે સત્ય છે અને તે જૂઠો નથી, અને જેમ તેમણે તમને શીખવ્યું તેમ તમે તેમનામાં રહો.
28 અને હવે, વહાલાં બાળકો, તેમનામાં રહો, જેથી જયારે તે પ્રગટ થાય, તો આપણામાં હિમંત આવે, ને તેમના આગમન સમયે શરમાઈએ નહિ.
29 જો તમે જાણો છો કે તે ન્યાયી છે, તો તમે જાણો છો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેમનાથી જન્મેલો છે.