1 સર્વ સ્થળે વિખેરાઈ ગયેલાં બારે કુળને,
ઈશ્વરના અને પ્રભુ ઈસુ મસીહના સેવક યાકોબ તરફથી:
શુભેચ્છા.
2 મારા ભાઈઓ અને બહેનો, જયારે તમને તરેહ તરેહના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં આનંદ કરો. 3 કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4 ધીરજને એનું કામ કરવા દો, જેથી પરિપકવ અને સંપૂણઁ થાઓ, કશામાં અપૂણઁ રહો નહિ, 5 જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી. 6 પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે. 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. 8 બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.
9 જે ભાઈ તુચ્છ ગણાય છે તેણે પોતાના ઊચ્ચપદમાં અભિમાન કરવું 10 પણ જે શ્રીમંત છે તેણે પોતાના નીચપદમાં અભિમાન કરવું; કેમકે ઘાસના ફૂલની માફક તે નાશ પામશે. 11 કેમકે સૂરજ ઊગે ને લૂ વાય છે ને ફૂલ સુકાઈ જાય છે, ખરી પડે છે અને તેનું સૌદર્ય નાશ પામે છે. એમ જ શ્રીમંત પણ પોતાના વ્યવહારમાં નાશ પામશે.
12 જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.
13 જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી. 14 પણ દરેક માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. 15 દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.
16 તેથી મારા વહાલા ભાઈઓને બહેનો છેતરાશો નહિ. 17 દરેક ઉત્તમ તથા સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને તે સ્વગીઁય પ્રકાશનાં પિતા પાસેથી આવે છે, જે પડછાયાની જેમ બદલાતા નથી. 18 તેમણે રાજીખુશીથી તેમના સત્ય વચન દ્વારા આપણને નવું જીવન આપ્યું, કે આપણે તેનાં ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
19 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય. 20 કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી. 21 માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.
22 તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ. 23 જે કોઈ ફકત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે. 24 પોતાને જોયા પછી, તે ત્યાંથી ખસી જઇને તે પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે. 25 પણ તે જે છૂટાપણાનાં સંપૂણઁ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, તે વચન સાંભળી ભૂલી નહિ જતાં તેને અમલમાં મૂકે છે. તેઓ જ પોતાના વ્યવહારમાં ધન્ય છે.
26 જે કોઈ પોતાને આત્મિક માને છે અને પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તે પોતાને છેતરે છે, અને તેમની ધામિઁકતા નિરર્થક છે. 27 ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.