Publicidade

Tiago 2

ભેદભાવ ન રાખો

1 મારા ભાઈઓ અને બહેનો, તમે ભેદભાવ વગર આપણા મહિમાવંત પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ રાખો. 2 જો સોનાની વીંટી અને સુંદર કિમતી વસ્ત્રો પહેરેલો કોઈ માણસ તમારી સભામાં આવે અને ફાટેલાં કપડાં પહેરેલો ગરીબ માણસ પણ આવે, 3 અને તમે કિમતી વસ્ત્ર પહેરેલાં માણસને ઘણું માન આપીને કહો કે "તમે ઉત્તમ સ્થાને બેસો," પરંતુ પેલા ગરીબને કહો છો કે "ત્યાં ઉભો રહે" અથવા "અહીં મારા પગ પાસે જમીન પર બેસ" 4 તો તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?

5 મારા પ્રિય ભાઈઓને બહેનો સાંભળો: વિશ્વાસમાં ધનવાન થવા સારું, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવાં સારું, ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કયાઁ? 6 પણ તમે જો ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારાં પર જુલમ કરતાં નથી? અને તમને કોર્ટમાં ઘસડી લઇ જતાં નથી? 7 વળી તમે જેનું ઉત્તમ નામ ધારણ કર્યું છે તેની નિંદા કરનારા શું તેઓ નથી?

8 તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે "જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ." જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો. 9 પણ જો તમે પક્ષપાત કરો છો તો તમે આપણા પ્રભુની એ આજ્ઞાનો ભંગ કરો છો, અને એ તો પાપ છે. 10 કેમકે જો કોઇ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક નાનકડી બાબતમાં ભૂલ કરે તો તે બધા જ નિયમોનો ભંગ કરનાર ઠરે છે. 11 કારણ કે જેણે કહ્યું કે: "તું વ્યભિચાર ન કર," તેમણે એ પણ કહ્યું કે, "તું ખૂન ન કર." માટે તમે વ્યભિચાર નથી કરતા પણ જો ખૂન કરો છો તો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર થયા છો.

12 સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વતોઁ. 13 કારણ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય પણ દયા વગર થશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.

વિશ્વાસ અને કાયોઁ

14 ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો? 15 તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય, 16 અને તમારામાંનો એક કહે કે, "શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!" તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? 17 એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.

18 કોઈ કહેશે કે, "તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ,"

અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તમે દેખાડીશ 19 ઈશ્વર એક જ છે એવો વિશ્વાસ કરવો, તે સારું છે! અશુધ્ધ આત્માઓ પણ એવો વિશ્વાસ કરે છે, અને કાંપે છે.

20 ઓ મૂર્ખ માણસ! કરણીઓ વગર વિશ્વાસ નિજીઁવ છે, એ જાણવાની તું ઇચ્છા રાખે છે? 21 આપણા પૂર્વજ અબ્રાહમે વેદી પર પોતાના પુત્ર ઇસહાકનું બલિદાન અર્પણ કયુઁ, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહિ? 22 તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂણઁ કરવામાં આવ્યો; 23 તેથી શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે, "અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કયોઁ અને માટે તેને ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો," અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. 24 આમ માણસને તેના માત્ર વિશ્વાસથી જ નહિ પણ કરણીઓથી ન્યાયી જાહેર કરવામાં આવ્યો.

25 એ જ પ્રમાણે, રાહાબ વેશ્યાએ જાસૂસોને આશ્રય આપીને તેણે તેઓને બીજે માર્ગેથી સહીસલામત બહાર મોકલી દીધા. આમ તેને પણ તેનાં કાર્યથી ન્યાયી ઠરાવવામાં આવી. 26 જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે, તેમ કાર્ય વગરનો વિશ્વાસ પણ નિર્જીવ છે.

Veja também

Publicidade
Tiago
Ver todos os capítulos de Tiago
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-