1 ઈસુ મસીહના સેવક અને યાકોબનો ભાઈ યહૂદા,
જેમને તેડવામાં આવ્યા છે, કે જેઓ ઈશ્વર પિતાને વહાલાં અને ઈસુ મસીહ માટે રાખી મુકાયેલા:
2 તમે દયા, શાંતિ અને પ્રેમ પુષ્કળ થાઓ.
3 પ્રિય ભાઈઓ, ઈશ્વરે આપણને આપેલ સામાન્ય તારણ વિશે હું તમને લખવાં આતુર હતો, પણ એવામાં જે વિશ્વાસ ઇશ્વરના પવિત્ર લોકોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્ર દ્રારા તમને કરવાની મને અગત્ય જણાઈ. 4 કારણ કે તેઓને આ દંડાજ્ઞા ને માટે પ્રાચીનકાળથી નિમાઁણ કરવાંંમાં આવ્યા હતા, એવા કેટલાક વ્યકિતઓએ તમારામાં પગપેસારો કર્યા છે. તેઓ અધમીઁ લોકો છે ને આપણા ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે, અને ઈસુ મસીહ જે આપણો એકલો માલીક તથા પ્રભુ છે તેનો નકાર કરે છે.
5 જો કે તમે પ્રથમથી જ એ જાણો છો તોપણ હું તમને યાદ કરાવવા માંગુ છું કે એક વાર ઈશ્વરે પોતાના લોકોને ઈજિપ્તમાંથી છોડાવ્યા, પણ પછી જેમણે વિશ્વાસ ન કયોઁ તેમનો નાશ કયોઁ. 6 અને જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું યોગ્ય રહેવાનું સ્થાન છોડી દીધું, તેઓને ઘોર અંધકારમાં ન્યાયના દિવસ સુધી સાંકળોથી સદાકાળ માટે બાંધી રાખ્યાં છે. 7 વળી સદોમ, ગમોરા અને તેઓની નજીકનાં શહેરોએ, એ જ રીતે વ્યભિચારમાં અને દુરાચારને સોંપાઇને, તેઓ અનંતકાળી શિક્ષા સહન કરનારને દાખલારૂપ થયાં છે.
8 એવી જ રીતે, પોતાના સપનાઓના બળ પર આ અધમીઁ લોકો પોતાના શરીરને ભ્રષ્ટ કરે છે, સત્તાનો અસ્વીકાર કરે છે અને સ્વગઁદૂતોનું અપમાન કરે છે. 9 પ્રમુખ દૂત મિખાએલે મોશેનાં શબ વિશે જયારે શેતાન સાથે વાદવિવાદ કયોઁ, ત્યારે તેણે શેતાનને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ. પણ તેણે તો માત્ર એટલું જ કહ્યું, "પ્રભુ તને ધમકાવો." 10 પણ આ માણસો જે બાબતને સમજતા નથી તેની નિંદા કરે છે, અને બુધ્ધિહીન પશુઓની માફક જેને તેઓ કુદરતી રીતે સમજે છે, તેઓ તેમાં નાશ પામશે.
11 તેઓને અફસોસ! કેમકે તેઓ કાઈનના પગલે ચાલે છે; અને લાભ મેળવવાં બલામની માફક તેઓ ગમે તે કરવા તૈયાર છે; વળી તેઓ કોરાહનાં બંડમાં નાશ પામે છે.
12 જયારે આ માણસો તમારી સાથે પ્રેમભોજનમાં કલંકરૂપ છે. જે સહેજ પણ સંકોચ વગર તમારી સાથે ખાય છે, પાળકો જેઓ ફકત પોતાનું જ પેટ ભરે છે. તેઓ વરસાદ વગરનાં વાદળ જેવાં છે, જે પવનથી ઉડી જાય છે; પાનખર વૃક્ષો, ફળ વગરનાં અને ઉખડી ગયેલાં, બે વખત મરેલાં જેવા છે. 13 તેઓ લાજનું ફીણ કાઢનારા દરિયાનાં જંગલી મોજાં જેવા છે, તેઓ ભટકનારાં તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સવઁકાળ રાખી મૂકવામાં આવેલો છે.
14 તેઓ વિષે આદમથી સાતમાં પુરુષ હનોખે આ ભવિષ્યવચન કહ્યું છે કે: "જુઓ, ઈશ્વર પોતાના હજારો હજારો સંતો સહિત આવે છે. 15 જેથી બધાનો ન્યાય કરી શકે, અને સવઁ અધમીઁઓએ જે બધાં અધમીઁ કામો અધમીઁપણાંમા કયાઁ, અને અધમીઁ પાપીઓએ તેમની વિરુધ્ધ જે બધા અપમાનજનક વચનો કહ્યાં, તેના માટે તેઓ બધાને દોષિત ઠેરવી શકે." 16 આ માણસો કચકચ અને દોષ શોધનાર છે; તેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલે છે; તેઓ પોતાને વિશે બડાઈ મારે છે અને પોતાના લાભ માટે બીજાઓની ખુશામત કરે છે.
17 પણ વહાલાં મિત્રો, આપણા પ્રભુ ઈસુ મસીહના પ્રેષિતોએ જે કહ્યું છે તે યાદ કરો. 18 તેઓએ તમને કહ્યું છે કે, "છેલ્લા સમયમાં નિંદાખોરો હશે જેઓ પોતાની અધમીઁ ઇચ્છાઓ પ્રમાણે ચાલશે." 19 આ એ લોકો છે જે તમારામાં ભાગલાં પડાવે છે, જેઓ ફક્ત વિષયી છે અને તેઓમાં આત્મા નથી.
20 પરંતુ વહાલાં મિત્રો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતાં જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, 21 જેમ તમે આપણા પ્રભુ ઈસુ મસીહની દયા દ્રારા અનંતજીવન મેળવવાની રાહ જુઓ છો તેમ પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.
22 જેઓ શંકાશીલ છે તેઓ પર દયા કરો; 23 બીજાઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; બીજાઓ પર ભયસહિત મિશ્રિત દયા રાખો ને ભ્રષ્ટ શરીરથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
24 હવે જે તમને ઠોકર ખાતાં બચાવવાં અને પોતાની મહિમાવાન હાજરીમાં તમને ખૂબ આનંદ સાથે દોષરહિત રજૂ કરવા સમર્થ છે, 25 એટલે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્રારા, સવઁ યુગોથી, આજ સુધી, એક માત્ર દેવ, જે આપણા તારનાર છે, તેમને મહિમા, ગૌરવ, મહત્વ, પરાક્રમ અને અધિકાર હો! આમીન!