Publicidade

Apocalipse 9

1 પછી પાંચમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, ત્યારે મેં એક તારાને આકાશમાંથી પૃથ્વી પર પડતો જોયો. તેને ઊંડાણનાં ખાડાની ચાવી આપવામાં આવી હતી. 2 જયારે તેણે ઊંડાણનાં ખાડાને ઉઘાડયો ત્યારે તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો. એ ધુમાડાથી સૂર્ય તથા આકાશ અંધરાઈ ગયાં. 3 એ ધુમાડામાંથી પૃથ્વી પર તીડો ઊતરી આવ્યા અને તેમને વીંછીના જેવી શકિત આપવામાં આવી. 4 તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વી પરના ઘાસ, કે છોડ અને વૃક્ષોને નુકશાન ન પહોંચાડો, પરંતુ જે લોકોનાં કપાળ પર ઈશ્વરની મુદ્રા ન હોય તેઓને જ નુકશાન પહોંચાડો. 5 તેઓને તેમને મારી નાંખવાના ન હતા, પરંતુ પાંચ મહિના સુધી તેઓને રિબાવવાનાં હતાં; અને વીંછી જયારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. 6 તે દિવસોમાં લોકો મરણ માંગશે, પરંતુ મળશે નહિ; તેઓ મરણ પામવાં ઝંખશે પરંતુ મરણ તેઓનાથી દૂર નાસી જશે.

7 એ તીડો યુધ્ધ માટે સજાવેલા ઘોડા જેવાં દેખાતાં હતાં. તેઓએ તેમના માથાં પર સોનાનાં જેવા મુગટ પહેયાઁ હતા, અને તેઓનાં મુખ મનુષ્યનાં મુખ જેવાં હતાં. 8 તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા હતા, અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા. 9 તેઓએ લોખંડી બખ્તર જેવા બખ્તર પહેર્યા હતાં, અને તેઓની પાંખોનો અવાજ રણમેદાનમાં દોડતા ઘણાં ઘોડા અને રથોનાં અવાજ જેવો હતો. 10 તેઓને વીંછીના જેવી ડંખ વાળી પૂંછડીઓ હતી, અને લોકોને પાંચ મહિના સુધી રિબાવવાની શકિત હતી. 11 ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે, હિબ્રૂમાં તેનું નામ અબદોન અને ગ્રીકમાં અપોલ્યોન એટલે વિનાશક છે.

12 પહેલી વિપતિનો પતિ ગઇ છે; પરંતુ હજી બે વિપતીઓ બાકી છે.

13 છઠ્ઠા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, ત્યારે મેં ઈશ્વરની સમુંખની સોનાની વેદીનાં શિંગડામાંથી નીકળતી એક વાણી સાંભળી. 14 તેણે રણશિંગડું વગાડનાર છઠ્ઠા દૂતને કહ્યું, "મહા નદી યુફ્રેતિસ આગળ બંધનમાં રાખી મુકાયેલા ચાર દૂતોને છૂટા કર." 15 ત્રીજા ભાગની માનવી વસ્તીને મારી નાખવા માટે જે ચાર દૂતને કે જેમને તે વર્ષ, તે માસ તે દિવસ અને તે ઘડીને માટે છોડવામાં આવ્યા. 16 મેં તેમની સંખ્યા સાંભળી. તેઓના સૈન્યના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડની હતી.

17 દર્શનમાં દેખાયેલાં ઘોડા તથા સવારોનું સ્વરૂપ આવું હતું: તેઓના બખ્તર અગ્નિ જેવા લાલ, જાંબુડા અને ગંધક જેવા પીળા રંગનાં હતાં. ઘોડાંનાં માથાં સિંહોનાં માથાં જેવાં દેખાતાં હતાં, અને તેઓના મુખમાંથી અગ્નિ, ગંધક અને ધુમાડો નીકળતાં હતાં. 18 તેઓના મુખમાંથી નિકળતા અગ્નિ, ગંધક અને ધુમાડાની ત્રણ આફતો વડે ત્રીજા ભાગની વસ્તીને મારી નાખવામાં આવી. 19 ઘોડાંઓની શકિત તેઓના મુખમાં અને પૂંછડીમાં હતી. તેઓની પૂંછડી સર્પના માથા જેવી હતી અને તે પૂંછડીથી ડંખ મારીને જીવલેણ હુમલો કરે છે.

20 બાકીનાં જે માણસોને તે અનથઁથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાનાં હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કયોઁ નહિ, એટલે તેઓએ અશુધ્ધ આત્માઓની પૂજા કરવાનું તથા સોના, ચાંદી, પિતળ, પથ્થર અને લાકડાંમાંથી બનાવેલી મૂર્તિઓ જે જોતી નથી, સાંભળતી નથી કે ચાલતી નથી તેમની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. 21 પોતે કરેલાં ખૂન, જાદુક્રિયા, વ્યભિચાર અને ચોરી વિશે પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-