1 પછી મેં જોયું, તો જુઓ મારી આગળ સિયોન પર્વત પર હલવાનને ઊભેલું જોયું, અને તેની સાથે 1,44,000 હતા, જેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2 અને મેં સ્વર્ગમાંથી ધસમસતા પાણીનાં ગર્જના જેવો અને મોટી ગજઁનાના જેવો અવાજ સાંભળ્યો. એ તો વીણાં વગાડનારાઓની વીણા વગાડતા હોય એવો અવાજ હતો. 3 તેઓએ રાજ્યાસનની આગળ અને ચાર જીવંત પ્રાણીઓ તથા વડીલો સમક્ષ નવું ગીત ગાયું. જેઓ પૃથ્વી પરથી મુકિત પામેલા 1,44,000 લોકો સિવાય બીજું કોઈ આ ગીત શીખી શક્યું નહિ. 4 જેમણે સ્ત્રી સાથે પોતાને અશુધ્ધ કયાઁ નથી તેઓએ છે, કેમકે તેઓ કુંવારા રહ્યા છે. તેઓ જયાં કહીં હલવાન જાય છે ત્યાં તેઓ તેની પાછળ જાય છે. તેઓને ઈશ્વર તથા હલવાનને અપઁણ કરવા માટે પ્રથમફળ થવાને માણસજાતમાંથી ખરીદવામાં આવ્યા હતાં. 5 તેઓના મોંમાં કાંઈ અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે.
6 પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, અને તેની પાસે પૃથ્વી પર વસતાં લોકોને દરેક રાષ્ટ્રનાં, પ્રજાનાં, કુળનાં અને ભાષા અને લોકોને પ્રગટ કરવાને માટે તેની પાસે સનાતન સુસમાચાર હતા. 7 તેણે મોટાં અવાજે કહ્યું, "ઈશ્વરનો ભય રાખો અને તેમને મહિમા આપો, કેમકે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીનાં ઝરણોને ઉત્પન્ન કયાઁ તેમની આરાધના કરો."
8 તેની પાછળ બીજા એક દૂતે કહ્યું, "પડ્યું! મોટું બેબિલોન પડ્યું. જેણે સર્વ પ્રજાઓને તેણે પોતાના વ્યભિચાર અને કોપરૂપી દારૂ પિવડાવ્યો છે."
9 પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવ્યો, ને મોટાં અવાજે કહ્યું: "જે કોઈ પશુની અને તેની મૂર્તિની પૂજા કરે, અને તેની છાપ પોતાના કપાળ પર કે હાથ પર લે, 10 તો, તે પણ, ઈશ્વરના કોપનો દ્રાક્ષારસ પીશે, જે તેમના કોપનાં પ્યાલામાં નયોઁ રેડેલો છે. અને પવિત્ર દૂતો તથા હલવાનની હાજરીમાં તેઓ અગ્નિથી તથા ગંધકથી પીડાશે. 11 તેઓની પીડાનો ધુમાડો સદાકાળ માટે ઉપર ચઢયા કરે છે. જે કોઈ પશુની તથા તેની મૂર્તિની આરાધના કરી છે અથવા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિસામો નથી." 12 આમાં ઇશ્વરના લોકોની ધીરજ, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓની ધીરજ રહેલી છે.
13 પછી મેં આકાશમાંથી અવાજ એમ બોલતાં સાંભળ્યો, "આ લખ: હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે."
આત્મા કહે છે, "હા, તેઓ આશીર્વાદિત છે. હવે તેઓ કઠીન પરિશ્રમથી વિસામો પામે, કેમકે તેઓનાં કામ તેઓની પાછળ આવશે."
14 મેં જોયું, મારી આગળ એક શ્વેત વાદળ હતું, અને તેના પર મનુષ્યપુત્ર જેવો એક બેઠેલો હતો, તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેમના હાથમાં ધારવાળું દાંતરડું હતું. 15 પછી મંદિરમાંથી એક દૂત નીકળી આવ્યો, અને વાદળા પર બેઠેલાંને મોટે અવાજે કહ્યું કે, "તારું દાંતરડું લઈને કાપણી કર, કારણ કે કાપણીનો સમય આવી ગયો છે, કારણ કે પૃથ્વીની ફસલ પાકી ચૂકી છે." 16 તેથી વાદળ પર જે બેઠેલો હતો તેણે પોતાનું દાંતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વી પરની ફસલની કાપણી કરવામાં આવી.
17 ત્યાર પછી સ્વર્ગમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાંતરડું હતું 18 પછી અગ્નિ પર અધિકાર છે તે દૂતે વેદીમાંથી બહાર આવ્યો, જેની પાસે ધારવાળું દાંતરડું હતું તેને મોટે અવાજે કહ્યું, "તારું ધારવાળું દાંતરડું ચલાવ અને પૃથ્વી પરના દ્રાક્ષવેલાઓ પરથી દ્રાક્ષાનાં ઝૂમખાં લણી લે, કારણ કે તે દ્રાક્ષો પાકી ચૂકી છે." 19 તેથી તે દૂતે પૃથ્વી પર પોતાનું દાંતરડું ચલાવ્યું અને દ્રાક્ષો ભેગી કરી અને ઇશ્વરના કોપનાં મોટા દ્રાક્ષાકુંડમાં નાંખ્યા. 20 પછી શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં તેઓ કચડાઈ ગયા, અને આશરે ત્રણસો ત્રીસ કિલોમીટર સુધી, ઘોડાની લગામને પહોંચે એટલું લોહી દ્રાક્ષાકુંડમાંથી વહેવાં લાગ્યું.