1 પછી મેં મંદિરમાંથી એક મોટો અવાજ સંભળાયો તેણે સાત દૂતોને કહ્યું, "જાઓ, ઈશ્વરના કોપનાં સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો."
2 ત્યારે પહેલાં દૂતે જઈને પોતાના પ્યાલાને પૃથ્વી પર રેડી દીધો, એટલે જે લોકો પર પશુની છાપ હતી ને તેની મૂર્તિપૂજા કરનારાં સર્વને અત્યંત પીડાકારક ગુમડાં ફૂટી નીકળ્યાં.
3 બીજા દૂતે પોતાના પ્યાલાને સમુદ્ર પર રેડી દીધો, એટલે તે મુડદાંના લોહી જેવું થઈ ગયું, અને તેમાં રહેલાં સર્વ સજીવ પ્રાણી મરણ પામ્યાં.
4 ત્રીજા દૂતે પોતાના પ્યાલાને નદીઓ તથા ઝરણાં પર રેડી દીધો, અને તે લોહી થઇ ગયાં. 5 ત્યારે પાણીનાં દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો:
"હે પવિત્ર, તમે છો, અને હતા, તમે ન્યાયી છો;
કેમકે તમે અદલ ન્યાય કયોઁ છે.
6 કેમકે તેઓએ તમારાં સંતો અને પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે,
અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓએ માટે લાયક છે."
7 પછી મેં વેદીને કહેતાં સાંભળી:
"હા, હે સર્વશકિતમાન પ્રભુ, ઈશ્વર,
તમારાં ન્યાયચૂકાદા સત્ય તથા ન્યાયી છે."
8 પછી ચોથા દૂતે પોતાના પ્યાલાને સૂર્ય પર રેડી દીધો, અને સૂયઁને અગ્નિથી લોકોને બાળી નાંખવાની પરવાનગી આપવામાં આવી. 9 તેઓ તીવ્ર ગરમીથી દાઝયા, અને જે ઇશ્વરને આ વિપતિઓ પર અધિકાર છે, તેમનાં નામની તેઓએ નિંદા કરી. પરંતુ તેઓએ પસ્તાવો કરવાનો અને ઇશ્વરને મહિમા આપવાનો ઇનકાર કયોઁ.
10 પછી પાંચમા દૂતે પોતાના પ્યાલાને પશુનાં રાજ્યાસન પર રેડી દીધો, તેથી તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને લોકોએ વેદનાને લીધે પોતાની જીભ કરડી. 11 અને પોતાની વેદનાને લીધે અને ગૂમડાંને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની નિદા કરી, પરંતુ પોતાનાં કરેલાં કામોનો પસ્તાવો કયોઁ નહિ.
12 છઠ્ઠા દૂતે પોતાના પ્યાલાને મહા નદી યુફ્રેતિસ પર રેડી દીધો, અને તેનું પાણી સુકાઈ ગયું જેથી પૂર્વનાં રાજાઓ માટે માર્ગ તૈયાર થાય. 13 પછી મેં જોયું તો અજગરના મુખમાંથી, દુષ્ટ પશુનાં મુખમાંથી, તથા જૂઠા પ્રબોધકોનાં મુખમાંથી દેડકાના જેવા ત્રણ દુષ્ટ આત્માઓ બહાર નીકળી આવ્યા. 14 તે ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે, અને તેઓ આખી પૃથ્વીનાં રાજાઓ સાથે બહાર ગયા જેથી તેઓ બધા સર્વશકિતમાન ઈશ્વરના મહાન દિવસે ઈશ્વર વિરુદ્ધ લડાઈ કરવા માટે એકત્ર થાય.
15 "જુઓ: હું ચોરની જેમ આવું છું! જે જાગૃત રહે છે, અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન જવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!"
16 પછી જેને હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહે છે, તે જગ્યાંએ તેઓએ રાજાઓને એકત્ર કર્યા.
17 પછી સાતમાં દૂતે પોતાના પ્યાલાને હવામાં રેડી દીધો, અને મંદિરમાંના રાજ્યાસન પરથી મોટો અવાજ સંભળાયો, "સંપૂર્ણ થયું!" 18 ત્યારે વીજળીઓ ઝબકી, ગર્જનાઓ થઇ, અને અવાજો સંભળાયા. અને મોટો ધરતીકંપ થયો. માનવ ઈતિહાસમાં પૃથ્વી પર કદી ન થયો હોય તેવો મોટો ધરતીકંપ થયો. 19 મહાનગરનાં ત્રણ ટુકડા થઈ ગયા, અને રાજયોના નગરો જમીનદોસ્ત થઈ ગયા. ઈશ્વરે બેબિલોનને યાદ કર્યું કે તે પોતાના સખત કોપનાં દ્રાક્ષારસનું પ્યાલું તેને આપ્યું. 20 દરેક ટાપુઓ નાઠાં અને પર્વતોનું નામ નિશાન ન રહ્યું. 21 આકાશમાંથી સો કિલોગ્રામ વજનનાં કરાં માણસો પર પડયાં. અને આ કરાના ભયંકર અનથઁને કારણે તેઓએ ઈશ્વરને શાપ આપ્યો.