1 તે અજગર સમુદ્ર કિનારે ઊભો રહ્યો, અને મેં એક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને સાત માથાં તથા દસ શિંગડાં હતાં, તેના શિંગડાં પર દસ મુગટ હતા, અને દરેક માથા પર ઈશ્વરની નિંદક નામ હતાં. 2 જે પશુને મેં જોયું તે ચિત્તા જેવું હતું, પણ તેના પગ રીંછના પગ જેવા હતાં અને તેનું મોં સિંહના મોં જેવું હતું. અજગરે તેને પોતાનું પરાક્રમ, રાજ્યાસન અને સત્તા આપ્યા. 3 પશુનું એક માથું જીવલેણ રીતે ઘાયલ થયેલું લાગતું હતું, પણ તે જીવલેણ જખમ રુઝાઈ ગયો હતો. એ જોઈને સમસ્ત જગત આશ્ચર્યચકિત થઈ ગયું અને તે પશુની પાછળ ચાલ્યું. 4 લોકોએ અજગરની આરાધના કરી કારણ કે તેણે પશુને અધિકાર આપ્યો હતો, અને તેઓએ પશુની પણ આરાધના કરી અને કહ્યું, "આ પશુ જેવું કોણ છે? એની સામે કોણ લડી શકે છે?"
5 પછી અજગરે તે પશુને બડાઈની વાતો તથા ઈશ્વર નિંદા કરવાની છૂટ આપી અને બેંતાળીસ મહિના સુધી એમ કરવાની સત્તા આપી. 6 તેણે ઈશ્વરની નિંદા કરવા પોતાનું મુખ ઉઘાડયું, અને તેમનાં નામની, તેમના નિવાસસ્થાનની અને સ્વર્ગના રહેવાસીઓની નિંદા કરે. 7 અને તેને એવું સામઁથ્ય આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેને જીતે. વળી તેને બધી જાતિઓ, પ્રજાઓ, ભાષાઓ ને રાષ્ટ્રો પર સત્તા ચલાવવાનો અધિકાર આપ્યો. 8 પૃથ્વી પર વસતા સવઁએ મારી નંખાયેલ હલવાનના જીવન પુસ્તકમાં જેઓનાં નામ જગતના આરંભ અગાઉ લખવામાં આવ્યા નહોતાં તે સર્વએ એ દુષ્ટ પશુની આરાધના કરી.
9 જેને સાંભળવાને કાન હોય તે સાંભળે:
10 "જે કોઈ બીજાને દાસત્વમાં લઈ જશે
તેને પોતાને દાસત્વમાં જવું પડશે.
જો કોઇ બીજાને તરવારથી મારી નાખશે, તો તે,
પોતે પણ તરવારથી મારી નંખાશે."
એમાં જ સંતોની સહનશકિત અને વિશ્વાસ રહેલાં છે.
11 પછી મેં બીજું એક પશુ જોયું, તે પૃથ્વીમાંથી નીકળતું હતું. તેને હલવાનનાં જેવાં બે શિંગડાં હતાં, પણ તે અજગરની જેમ બોલતું હતું. 12 પહેલાં પશુનો સવઁ અધિકાર તેની સમક્ષ તે ચાલે છે, અને જે પહેલાં પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે. 13 અને તેણે મોટાં ચમત્કારો કર્યા, એટલે સુધી કે બધા જુએ તેમ તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવ્યો. 14 પહેલાં પશુ વતી તેની હાજરીમાં જે ચમત્કારો કરવાનો તેને અધિકાર મળ્યો હતો તે ચમત્કારો કરીને તે જગતના લોકોને ભમાવે છે. તેણે લોકોને પ્રાણઘાતક જખમથી ઘાયલ થવા છતાં જે પશુ જીવતું રહ્યું છે તેની પ્રતિમા તેઓ બનાવે. 15 બીજા પશુને પહેલાં પશુની પ્રતિમામાં જીવ મૂકવાનું સામર્થ્ય તેને આપવામાં આવ્યું, જેથી તે બોલી શકે અને જેઓ તેની આરાધના ન કરે તેઓને તે મારી નાંખે. 16 વળી નાનાં કે મોટાં, શ્રીમંત કે ગરીબ, ગુલામ કે મુક્ત તે દરેક પોતાના જમણા હાથ પર અથવા કપાળ પર તેની નિશાની તરીકે છાપ લેવડાવે છે. 17 એ નિશાની સિવાયની કોઇથી વેચાયલેવાય નહિ, તે નિશાની તે પશુનું નામ કે તેનાં નામની સંખ્યા છે.
18 એ બુધ્ધિનું કામ છે. જેઓ શોધી શકે એમ હોય તેઓ તે સંજ્ઞાનું અર્થધટન કરે. કેમકે એ માણસની સંખ્યા છસો છાસઠ છે.