1 પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે અંતિમ સમયમાં કેટલાક લોકો વિશ્વાસથી ચલિત થઈ જશે. અને ભુલાવનાર આત્માઓ અને અશુધ્ધ આત્માના શિક્ષણને અનુસરશે. 2 આવા ઉપદેશ ઢોંગી જૂઠાઓ દ્રારા આવે છે, જેમનાં અંતઃકરણ ગરમ લોખંડથી દાઝી ગયાં છે. 3 તેઓ લોકોને લગ્ન ન કરવું અને અમુક ખોરાકથી દૂર રહેવા આદેશ આપે છે, કે જે ખોરાક ઈશ્વરે વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાનોએ માટે આભારસ્તુતિ કરીને સ્વીકાર કરવા માટે ઉત્પન્ન કયોઁ છે. 4 કારણ કે ઈશ્વરે જે કંઈ બનાવેલું છે તે સર્વ સારું છે, જો આભારસ્તુતિ સાથે તેનો સ્વીકાર કરવામાં આવે તો કંઈ પણ નકારવા જેવું નથી. 5 કેમકે તે ઇશ્વરના શબ્દ અને પ્રાથઁનાથી પવિત્ર કરવામાં આવે છે.
6 જો તું આ વાતો તરફ ભાઈઓ અને બહેનોનું ધ્યાન દોરીશ તો તું મસીહ ઈસુનો સારો સેવક થઈશ, જે વિશ્વાસનાં સત્યો તથા સારા શિક્ષણ પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છું, તેઓથી તારું પોષણ થશે. 7 અધમીઁ તથા કપોળકલ્પિત કહાણીથી દૂર રહે; તેના બદલે ઈશ્વર પરાયણતાની કસરત કર. 8 કેમકે શારીરિક કસરત તો થોડી જ ઉપયોગી છે, પણ ઇશ્વરપરાયણતા તો સવઁ બાબતો માટે ઉપયોગી છે, કેમકે તેમાં બંન્ને એટલે કે હમણાંના તથા આવનાર જીવનનું પણ વચન સમાયેલું છે. 9 આ વાત વિશ્વાસપાત્ર છે અને તેનો સંપૂણઁઁ રીતે સ્વીકાર કરવા યોગ્ય છે. 10 એ જ કારણ છે કે આપણે મહેનત અને શ્રમ કરીએ છીએ, કારણ કે આપણે જીવતાં ઇશ્વરમાં આશા રાખી છે, જે બધાં લોકોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓનાં તારનાર છે.
11 આ વાતોનો આદેશ આપજે અને શીખવજે. 12 તું જુવાન હોવાથી કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વાણીમાં, વતઁનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13 હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે. 14 મંડળીના વડીલોએ જયારે તારા પર હાથ મૂક્યાં અને ભવિષ્યવચન મુજબ તને જે દાનો પ્રાપ્ત થયાં હતાં તેને તું અવગણીશ નહિ.
15 અને આ બાબતોમાં ખંતપૂર્વક લાગુ રહેજે; તેઓમાં સંપૂણઁ રીતે સમપિઁત રહેજે, જેથી તારામાં થયેલી પ્રગતિ સર્વનાં જાણવામાં આવે. 16 તારે પોતાને વિશે અને તારા ઉપદેશ વિશે સાવધ રહેજે; તેમાં દ્રઢ રહેજે, કેમકે એ પ્રમાણે કરવાથી, તું પોતાને તેમજ તમારાં સાંભળનારાઓને પણ બચાવીશ.