1 તો પછી મનુષ્યદેહે આપણા પૂર્વજ અબ્રાહમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? 2 જો, ખરેખર અબ્રાહમ કરણીઓથી ન્યાયી ઠયોઁ હોત તો તેને અભિમાન કરવાનું કોઈ કારણ છે, પણ ઈશ્વરની આગળ નહિ 3 શાસ્ત્ર શું કહે છે? અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યા, અને તે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો.
4 જે માણસ કામ કરે છે તેને વેતન ભેટ તરીકે નહિ પરંતુ હક્કરૂપે ગણવામાં આવે છે. 5 પણ જે માણસ કામ કરતો નથી, પણ અધમીઁને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અથેઁ ગણવામાં આવે છે. 6 દાવિદ પણ એ જ વાત કહે છે, ત્યારે તે કહે છે કે ઈશ્વર જે માણસને કરણીઓ વગર ન્યાય ગણે છે તે આશીવાઁદિત છે:
7 "જેનાં અપરાધ માફ થયા છે
અને જેનાં પાપ ઢંકાઈ ગયાં છે,
તેને ધન્ય છે!
8 જે માણસનાં પાપને ઈશ્વરે તેના ખાતે ગણતો નથી
તેને ધન્ય છે!"
9 આ આશીર્વાદ ફક્ત સુન્નતીઓ માટે જ છે કે બેસુન્નતીઓ માટે પણ? આપણે કહીએ છીએ કે અબ્રાહમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણાયો. 10 કંઇ પરિસ્થિતિમાં તેને ગણવામાં આવ્યો? તેણે સુન્નત કરાવી તે પહેલાં કે પછી? તે પછી નહિ, પણ પહેલાં. 11 અને તેણે સુન્નત એક નિશાની તરીકે મળી, એટલે કે સુન્નત થઈ ન હોય છતાં વિશ્વાસથી મળેલી ન્યાયીપણાની મુદ્રા તરીકે, તેથી જે લોકોએ સુન્નત ન કરાવી હોવા છતાં વિશ્વાસ કરે છે તે બધાનાં તે પિતા છે, જેથી તેઓનું ન્યાયપણું ગણવામાં આવે. 12 અને તે સુન્નતિઓનો પણ પિતા છે જેઓ ફક્ત સુન્નત કરાવે છે એટલું જ નહિ, પણ આપણા પિતા અબ્રાહમની સુન્નત પહેલાં જે વિશ્વાસ હતો તેના પગલે ચાલનારાં પણ છે.
13 અબ્રાહમને જે વચન આપ્યું હતું કે તેના વંશજોને આખી દુનિયાનો વારસો મળશે. એ વચન નિયમ દ્રારા મળ્યું ન હતું, પણ વિશ્વાસનાં ન્યાયપણાં દ્ગારા મળ્યું હતું. 14 કેમકે જો નિયમ પર આધાર રાખનારાઓ વારસદાર હોય, તો વિશ્વાસ વ્યર્થ છે અને વચન પણ વ્યથઁ છે. 15 કેમકે નિયમ કોપ લાવે છે. અને જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.
16 તેથી વચન વિશ્વાસ દ્ગારા આવે છે. જેથી તે કૃપાથી અબ્રાહમના બધાં વંશજોને અચૂક મળે, ફકત નિયમ પાળનારાઓને જ નહિ, પણ અબ્રાહમ જેવો વિશ્વાસ રાખનારાઓને પણ. તે આપણા સર્વનાં પિતા છે. 17 જેમ લખેલું છે કે: "મે તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે." ઈશ્વરની નજરમાં તે આપણો પિતા છે, જેના પર તેને વિશ્વાસ કયોઁ, જે મૂએલાંને સજીવન કરે છે અને જે કંઇ નથી તેને અસ્તિત્વમાં લાવે છે.
18 આશાનું સ્થાન ન હોવા છતાં, અબ્રાહમે આશાથી વિશ્વાસ કયોઁ અને જેમ તેને કહેવામાં આવ્યું હતું કે, "તેથી તારા સંતાનો એવા થશે," તેમ તે ઘણી પ્રજાઓનો પિતા બન્યો. 19 તેણે પોતાના વિશ્વાસમાં ડગ્યા વિના, એ હકિકતનો સામનો કયોઁ કે તેનુ શરીર નિજીઁવ જેવું છે, અને તેની ઉંમર સો વર્ષની છે, અને સારાનું ગભઁસ્થાન મરેલું છે. 20 છતાં, ઇશ્વરના વચન પર અવિશ્વાસથી પણ શંકા લાવ્યાં નહિ પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહ્યો અને ઈશ્વરને મહિમા આપ્યો. 21 તેને ખાતરી હતી કે ઈશ્વરે જે વચન આપ્યું હતું તે પરિપૂર્ણ કરવા તેઓ શકિતમાન છે. 22 તેથી "તેને ન્યાયીપણાને તરીકે ગણવામાં આવ્યો." 23 "તે તેને લેખે ગણવામાં આવ્યો" એ શબ્દો ફકત તેના માટે જ લખાયેલા ન હતાં. 24 પણ આપણા માટે પણ, જેમને ઈશ્વર ન્યાયીપણાને લેખે ગણશે, કે જેમણે આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેમના પર વિશ્વાસ રાખ્યો છે, 25 આપણા પાપોને માટે તમને મૃત્યુદંડને સોંપવામાં આવ્યા અને આપણા ન્યાયકરણને માટે સજીવન કરવામાં આવ્યા.