1 આપણે જે શસક્ત છીએ તેઓએ અશકતોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું. 2 આપણામાંના દરેકે આપણા પાડોશીઓના ભલા માટે, તેમની ઉન્નતિને અર્થે ખુશ કરવા જોઈએ. 3 મસીહ પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતાં. પણ જેમ લખેલું છે તેમ: "જેઓ તમારું અપમાન કરે છે તેઓનું અપમાન મારા પર આવી પડ્યું છે." 4 કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.
5 ધીરજ અને દિલાસો આપનાર ઈશ્વરની જેમ એકબીજા પ્રત્યે તમે મસીહ ઈસુના જેવું વલણ રાખો. 6 જેથી તમે એક મનથી અને એક અવાજથી આપણા પ્રભુ ઈસુ મસીહનાં પિતા ઈશ્વરનો મહિમા કરો.
7 જેમ મસીહે તમારો સ્વીકાર કર્યો છે, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો, જેથી ઈશ્વરનો મહિમા થાય. 8 કારણ કે હું તમને કહું છું કે મસીહ ઇશ્વરનાં સત્ય માટે યહૂદિઓનાં સેવક બન્યાં જેથી પુવઁજોને આપેલા વચન પૂણઁ થાય. 9 અને, વળી, વિદેશીઓ પણ ઈશ્વરની દયાને લીધે ઇશ્વરનો મહિમા કરે. જેમ લખેલું છે:
"તેથી હું વિદેશીઓમાં તમારી સ્તુતી કરીશ;
હું તમારા નામનાં સ્તુતિ ગીત ગાઇશ."
10 ફરીથી, તે કહે છે,
"ઓ વિદેશીઓ, તમે તેના લોકો સાથે આનંદ કરો."
11 અને ફરીથી,
"બધા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો;
દરેક લોકો તેમનો મહિમા કરો."
12 અને વળી, યશાયા કહે છે કે,
"યિશાઈના જડમાંથી એક નીકળશે,
જે પ્રજાઓ પર રાજ કરવાને માટે ઉઠશે;
તેના પર વિદેશીઓ આશા રાખશે."
13 આશાનાં ઈશ્વરને જેમ તમે તેના પર તમે આશા રાખો છો તે તમને આનંદ અને શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
14 મારા ભાઈઓ અને બહેનો, મને ખાતરી છે કે તમે સર્વ પ્રકારની ભલાઈ અને જ્ઞાનથી ભરપૂર છો. અને એકબીજાને શીખવવા સક્ષમ છો. 15 છતાં, ઈશ્વરે આપેલી કૃપાને કારણે મેં તમને ફરીથી યાદ કરાવવા માટે કેટલીક બાબતો વિશે હિમતપૂર્વક લખ્યું છે 16 વિદેશીઓ માટે મસીહ ઈસુનો સેવક બનવા. તેમણે મને ઈશ્વરના સુસમાચાર પ્રગટ કરવા યાજકની જવાબદારી સોંપી, જેથી વિદેશીઓ પવિત્ર આત્માથી પવિત્ર થઇને ઇશ્વરને સ્વીકાયઁ અપઁણ થાય.
17 આમ મસીહ ઈસુમાં ઈશ્વરની સેવામાં હું ગર્વ અનુભવુ છું. 18 વિદેશીઓને મારા કહ્યા અને કરેલાં કાર્યોથી ઈશ્વરની આજ્ઞાકીંત કરવા માટે મસીહે જે કામો મારી પાસે કરાવ્યા છે, તે સિવાય બીજા કોઇ કામો વિશે બોલવાની હિમંત હું કરીશ નહિ, 19 ઈશ્વરના આત્માના સામથ્યઁથી ચિહ્નો અને અદભુત કૃત્યોથી યરુશાલેમથી માંડીને ઈલુરીકમ સુધી મેં મસીહના સુસમાચાર સંપૂર્ણ રીતે પ્રગટ કયાઁ છે. 20 જ્યાં મસીહ પ્રગટ કરવામાં ન આવ્યા હોય ત્યાં સુસમાચાર પ્રગટ કરવાની હંમેશા મારી ઇચ્છા છે, જેથી હું બીજા કોઇનાં પાયા પર બાંધકામ ન બાંધું. 21 જેમ, લખેલું છે તેમ:
જેઓને તેમના વિશે કહેવામાં આવ્યું નથી, તેઓ જોશે
અને જેમણે સાંભળ્યું નથી તેઓ સમજશે.
22 આ જ કારણને લીધે મને તમારી પાસે આવવાને ઘણીવાર અટકાવામાં આવ્યો છે.
23 પણ હવે આ પ્રદેશોમાં કામ કરવા માટે મારે કોઇ જગ્યા નથી, અને ઘણા વરસોથી તમારી મુલાકાત લેવાની મને ખૂબ ઇચ્છા છે, 24 હું સ્પેન જવાનું વિચારી રહ્યો છું. મનેં આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ. અને તમારી સંગતનો આનંદ માણ્યાં બાદ ત્યાં જવાને તમારી પાસેથી વિદાય લઈશ. 25 હવે, જો કે, હું યરુશાલેમમાં પ્રભુનાં લોકોની સેવા કરવા જાઉં છું. 26 કેમકે મકદોનિયા અને અખાયાના લોકો યરુશાલેમમાં રહેતા પ્રભુનાં લોકોમાં જેઓ ગરીબ છે તેમને માટે રાજીખુશીથી દાન આપવાનું સારું લાગ્યું. 27 તેઓ રાજીખુશીથી તે કરવા તૈયાર થયા, અને ખરેખર તેઓ તેમના ઋણી છે. કેમકે જો વિદેશીઓ યહૂદીઓનાં આત્મિક આશીવાઁદમાં ભાગીદાર થયા, તો તેઓ યહૂદીઓ સાથે ભૌતીક આશીઁવાદો વહેંચવા માટે ઋણી છે. 28 તેથી આ કામ પૂરુ કરીને તેમને આ ફાળો મળ્યો છે તે ખાતરી કર્યા પછી, હું સ્પેન જવા નીકળીશ, અને માર્ગમાં તમારી મુલાકાત લઈશ. 29 હું જાણું છું કે જયારે હું તમારી પાસે આવીશ ત્યારે હું મસીહના સંપૂણઁ આશીર્વાદ લઇને આવીશ.
30 ભાઈઓ અને બહેનો આપણા પ્રભુ ઈસુ મસીહ અને પવિત્ર આત્માના પ્રેમથી હું તમને વિનંતી કરું છું કે, મારા માટે ઇશ્વરને પ્રાથઁના કરી મારા સંઘષઁમાં મારી સાથે જોડાઓ. 31 પ્રાથઁના કરો કે યહૂદિયામાંના અવિશ્વાસીઓથી બચી જાઓ અને યરુશાલેમમાં મારા દાનનો ત્યાંના પ્રભુના લોકો સ્વીકાર કરે, 32 જેથી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આનંદથી તમારી પાસે આવી શકું, અને તમારી સંગતથી તાજગી પામીશ. 33 શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન.