Publicidade

Romanos 14

નબળો અને શસક્ત

1 જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના. 2 એક વ્યકિતનો વિશ્વાસ બધું ખાવાની પરવાનગી આપે છે, પણ બીજો, જેનો વિશ્વાસ નબળો છે તે ફક્ત શાકભાજી ખાય છે. 3 જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે. 4 તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.

5 કોઈ એક તો અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ પવિત્ર માને છે; અને બીજા દરેક દિવસને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂણઁ ખાતરી કરવી. 6 જે કોઇ એક દિવસને ખાસ માને છે, તે પ્રભુને માટે કરે છે. જે કોઇ માંસ ખાય છે તે પ્રભુને માટે કરે છે, કેમકે તેઓ પ્રભુનો આભાર માને છે. અને જે કોઇ નથી ખાતું તે પણ પ્રભુને માટે કરે છે અને પ્રભુનો આભાર માને છે. 7 કેમકે આપણામાનો કોઇ પણ પોતાને માટે જીવતો નથી. અને કોઇ પોતાને માટે મરતો નથી. 8 જો આપણે જીવી, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને જો આપણે મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે મરીએ કે જીવીએ, તોપણ આપણે પ્રભુના છીએ. 9 કેમકે આ જ હેતુસર મસીહ મરણ પામ્યા અને સજીવન થયા, જેથી તે મૂએલાં કે જીવતાં બન્નેના પ્રભુ થાય.

10 તો પછી, તું તારા ભાઈ અને બહેનનો કેમ ન્યાય કરે છે? અથવા શા માટે તેમને તુચ્છ ગણે છે? કેમકે આપણે સવઁને ઇશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. 11 કેમકે લખેલું છે કે:

"પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ,

દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે,

પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ "

12 હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.

13 તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ. 14 હું જાણું છું, પ્રભુ ઈસુમાં ખાતરીપૂર્વક માનું છું કે કોઈ વસ્તુ પોતે અશુધ્ધ નથી. પરંતુ જો કોઈ વ્યકિત તેને અશુધ્ધ માને છે તો તે તેને માટે અશુધ્ધ છે. 15 જો તમારા ભાઈ કે બહેનને તમારા ખાવાથી દુઃખી થાય છે, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે મસીહ મરણ પામ્યા તેનો નાશ તમારા ખાવાથી ન કરો. 16 તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડુ બોલાય તેવું ન થવા દો. 17 કેમકે ઇશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માના આનંદમાં છે. 18 કારણ કે જો કોઇ આ રીતે મસીહની સેવા કરે છે, તે ઇશ્વરને પસંદ પડે છે અને માણસોને માન્ય થાય છે.

19 તેથી આપણે શાંતિ પરસ્પર એકબીજાની ઉન્નતિ થાય એવી બાબતો કરવા માટે બનતું બધું કરીએ 20 માત્ર ખોરાકને માટે ઈશ્વરનું કાર્ય તોડી પાડો નહિ. દરેક ખોરાક શુધ્ધ છે, પણ કોઇ પણ વસ્તુ જે બીજાને ઠોકર ખવડાવે છે તે ખાવું ખોટું છે. 21 માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારા ભાઈ કે બહેન ઠોકર ખાય તે ન કરવું એ તને ઘટારત છે.

22 તેથી આ બાબતો વિશે જે કંઇ તુ વિશ્વાસ કરે છે તે તારી અને ઈશ્વરની વચ્યે રાખ. જે પોતાને યોગ્ય લાગે છે, તે બાબતમાં પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. 23 પણ જે કોઇ શંકા રાખે છે તે જો ખાય તો તે અપરાધી ઠરે છે, કારણ કે તેમનું ખાવું વિશ્વાસથી નથી; અને જે કાંઈ વિશ્વાસથી નથી તે પાપ છે.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-