1 પણ આ વાત ધ્યાનમાં રાખ તિમોથી, છેલ્લા દિવસો ભયંકર સમય આવશે. 2 કેમકે માણસો સ્વાથીઁ, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગવિઁષ્ઠ, નિંદા કરનારા, માબાપનું સન્માન નહિ કરનારા, કૃતધ્ની, અધમીઁ, 3 પ્રેમ વગરનાં, માફ નહિ કરનારા, અનીતિમાન, કઠોર, ક્રૂર, નિદઁય, સંયમ ન કરનારા, શુભ દ્રેષી, 4 કપટી, ઉતાવળા, ઘમંડી, ઈશ્વર પર પ્રેમ રાખવા કરતા મોજશોખ પર પ્રેમ વધુ રાખનારાં, 5 ભકિતભાવનો ડોળ ધારણ કરીને તેના સામથ્યઁનો સ્વીકાર કરતા નથી, આવા લોકો સાથે કોઈ સંબંધ રાખવો નહિ.
6 તેઓ એવા લોકો છે કે જેઓ પારકાનાં ઘરમાં પેસી જઈને મૂર્ખ, કે જેઓ પાપથી દબાયેલી સ્ત્રીઓ, દરેક પ્રકારના દુષ્ટ ઇચ્છાઓથી વહી ગયેલી હોય છે, 7 એવી સ્ત્રીઓ શિક્ષણ લેનારી, પરંતુ સત્યનું જ્ઞાન કદી સમજતી નથી. 8 જેમ જાન્નેસ તથા જામ્બ્રેસ મોશેનો વિરોધ કયોઁ, એ જ રીતે આ શિક્ષકો પણ સત્યનો વિરોધ કરે છે. તેઓનાં મન ભ્રષ્ટ, કે જેઓ વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. 9 પણ તેઓ લાંબુ ચાલતાં નથી; કેમકે તેઓની માફક તેઓનું કપટ એક દિવસે સર્વની આગળ પ્રગટ થશે.
10 પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, મારાંં દુઃખો, પ્રેમ અને મારી ધીરજ તું જાણે છે. 11 મને જે સતાવણી થઇ તથા દુઃખો પડયાં, અને અંત્યોખ, ઈકોનિયમ તથા લુસ્ત્રામાં મારી જે સતાવણી થઈ તે બધામાં તું મારી સાથે ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો છે. 12 જેઓ મસીહ ઈસુમાં ભકિતભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ. 13 દુષ્ટ માણસો અને ધુતારા વધુને વધુ દુષ્ટ બનતાં જશે, છેતરીને ઘણાંઓને તેઓ છેતરશે. 14 પરંતુ જે બાબતો તું શીખ્યો છું અને જેની પર તેં વિશ્વાસ રાખ્યો છે તે તું પાળતો રહેજે. કેમકે તું કોની પાસે શીખ્યો એ તું જાણે છે. 15 તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. 16 દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; 17 જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.