1 માટે, મારા દીકરા, તિમોથી, મસીહ ઈસુની કૃપામાં તું બળવાન થા. 2 જે વાતો તેં ઘણાં સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે તું એવા વિશ્વાસુ માણસોને શીખવ કે તેઓ તે બીજાઓને પણ શીખવે. 3 મારી સાથે તું પણ મસીહ ઈસુના સારાં સૈનિક તરીકે દુઃખ સહન કરવા સામેલ થા. 4 ખ્રિસ્તના સૈનિક તરીકે તું કોઈ સાંસારિક કામકાજમાં ગૂંથાતો નહિ, જેથી તે તેનાં ઉપરી અમલદારને સંતોષ પમાડી શકે. 5 વળી જો કોઇ અખાડામાં હરીફાઈમાં ઉતરે, નિયમ પ્રમાણે હરીફાઈ કયાઁ વગર તેને ઈનામ મળતું નથી. 6 સખત મહેનત કરનાર ખેડૂતને પ્રથમફળ મળવાં જોઈએ. 7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમકે સવઁ બાબતની પ્રભુ તને સમજણ આપશે.
8 યાદ રાખ, ઈસુ મસીહ જેને મારાં સુસમાચાર પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યો, ને એ જ દાવિદના સંતાનનો છે, તેને યાદ રાખ; 9 એને લીધે આજે હું જેલમાં એક ગુનેગારની માફક દુઃખ સહન કરું છું. પણ ઈશ્વરનું વચન બંધનમાં નથી. 10 જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓને, મસીહ ઈસુમાં તારણ અને અનંત મહિમા પ્રાપ્ત થાય માટે હું આ બધું સહન કરું છું.
11 આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે:
જો આપણે તેમની સાથે મૃત્યુ પામીએ,
તો તેમની સાથે જીવીશું પણ ખરા;
12 જો અંત સુધી ટકી રહીએ,
તો આપણે તેમની સાથે રાજ્ય કરીશું.
જો આપણે તેમનો નકાર કરીએ તો,
તો તે આપણો પણ નકાર કરશે.
13 જો આપણે અવિશ્વાસી હોઈએ,
તોપણ તે વિશ્વાસુ રહે છે,
કેમકે તેઓ પોતાનો નકાર કરી શકતા નથી.
14 ઇશ્વરના લોકોને તું આ વાતોનું સ્મરણ કરાવજે. ખાલી શબ્દવાદ વિષે ઈશ્વર સમક્ષ તેઓને ચેતવણી આપ; કેમકે એનો કોઇ અથઁ નથી, અને ફકત તે સાંભળનારાઓનો નાશ કરે છે. 15 ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર. 16 અધમીઁ વાતોથી દૂર રહેજે, કેમકે જેઓ તેમાં ડૂબેલા રહેશે તેઓ વધુને વધુ અધમીઁ બનતા જશે. 17 તેમનો ઉપદેશ ઘારાની પેઠે ફેલાતી જશે; તેવાં માણસોમાં હુમનાયસ તથા ફિલેતસ છે. 18 જેઓ સત્યથી ભટકી ગયા છે તેઓ કહે છે કે પુનરુત્થાન થઈ ગયું છે, અને તેઓ કેટલાકનાં વિશ્વાસનો નાશ કરે છે. 19 પરંતુ ઈશ્વરનો નાંખેલો પાયો દ્રઢ રહે છે, જેના પર આ મુદ્રાલેખ મારેલી છે: "જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે," "અને જે કોઇ પ્રભુનું નામ કબુલ કરે છે તેણે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ."
20 મોટા ઘરમાં કેવળ સોના ચાંદીનાં જ નહિ, પણ લાકડાના અને માટીનાં પણ વાસણો હોય છે; કેટલાક ખાસ ઉપયોગ માટે અને કેટલાક સામાન્ય ઉપયોગ માટે વપરાય છે. 21 જે કોઇ પાછલી બાબતોથી પોતાને શુધ્ધ કરે છે તો તેઓ ઉત્તમ કાયઁને સારું પવિત્ર કરાયેલા માલીકને ઉપયોગી તથા સવઁ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર બનશે.
22 જુવાનીની દુષ્ટ ઇચ્છાઓથી નાસી જા, અને પ્રભુનું નામ શુધ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાને પ્રયત્ન કર. 23 મૂર્ખતાભરેલા વાદવિવાદોમાં તું પડતો નહિ. કારણ કે, તું જાણે છે કે તેથી ઝઘડા જ થાય છે. 24 પણ પ્રભુના સેવકે ઝઘડો કરવો નહિ, પણ તે બધા પ્રત્યે દયાળુ, શીખવવામાં કુશળ, સહનશીલ હોવો જોઈએ. 25 ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ, આશા રાખીએ કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુધ્ધિ આપે જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. 26 અને જેઓ શેતાનનાં ફાંદામાં ફસાયા છે તેઓ ભાનમાં આવશે અને તેમાંથી છુટશે, જેણે તેમને પોતાની ઇચ્છા પુરી કરવા માટે બંદીવાન બનાવ્યાં છે.