1 તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. 2 વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે. 3 તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કયોઁ, તેનો વિચાર કરો, રખેને તમે નિરાશ થઇને થાકી જાઓ.
4 તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રકતપાત સુધી બાથ ભીડી નથી. 5 વળી ઈશ્વરે તમને તેમનાં બાળકો ગણીને જેમ પિતાએ તમને ઉત્તેજનદાયક વચનો કહ્યાં એ શું તમે તદન ભૂલી ગયાં? તે કહે છે,
"મારા દીકરા, ઈશ્વરની શિક્ષાને તુચ્છ ન ગણ,
અને તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા.
6 કેમકે ઈશ્વર જેને પ્રેમ કરે છે તેને તે શિક્ષા કરે છે,
અને જે પુત્રનો તે સ્વીકાર કરે છે, તેને તે શિક્ષા કરે છે."
7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? 8 જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી. 9 વળી, આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરે છે અને આપણે તેમનું માન જાળવીએ છીએ, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? 10 કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. 11 શિક્ષા થાય ત્યારે તરત આનંદકારક લાગતી નહિ પણ દુઃખદાયક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
12 તેથી તમારાં થાકેલાં હાથોને તથા લથડતાં ઘૂટણોને ફરીથી મજબૂત બનાવો. 13 અને પોતાના પગોને સારું પાધરા રસ્તા કરો, જેથી જે અપંગ તે પડી જાય નહિ, પણ ઊલટું તે સાજુ થાય.
14 સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ. 15 ધ્યાન રાખો કે, કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા વિના રહી ન જાય. રખેને કોઈ કડવાશરૂપી મૂળ ઊગીને ઘણાં લોકોને મુશ્કેલીઓ ઊભી ન થાય અને ભ્રષ્ટ ન થાય. 16 રખેને કોઈ વ્યભિચારમાં પડે, અથવા એસાવ જેણે એક ટંક ભોજનને બદલે પોતાનું જ્યેષ્ઠ પુત્ર તરીકે નો વારસો વેચી દીધો તેના જેવા ભ્રષ્ટ ન થાય. 17 પછી, જેમ તમે જાણો છો, કે જ્યારે તે આ આશીવાઁદનો વારસો પામવાં ઈચ્છતો હતો, ત્યારે તેને નકારવામાં આવ્યો. ભલે તેણે આંસુઓ સાથે આશીઁવાદ મેળવવાની કોશિશ કરી, પણ તે પોતાના કાયઁને બદલી શક્યો નહિ.
18 વળી તમે એવાં પવઁત પાસે આવ્યા નથી, એટલે કે જેને અડકાય એવા પવઁતની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની અને અંધકારની અને તોફનની; 19 રણશિંગડાનાં અવાજ અને એવા શબ્દ ધ્વનિની કે, જે સાંભળનારાઓએ વિનંતી કરી કે એવું ફરીથી તેઓને બીજું કંઈ કહેવામાં ન આવે, 20 કારણ કે તેઓ જે આજ્ઞા થઇ તે સહન કરી શક્યા નહિ: "જો કોઈ પ્રાણી પણ પર્વતને અડકે, તો તેને પથ્થરેથી મારી નાંખવું." 21 વળી એ દ્રશ્ય એવું ભયાનક હતું કે તેથી મોશેએ કહ્યું, "હું ભયભીત થઈને ધ્રુજી રહ્યો છું."
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત ઈશ્વરના શહેર સ્વગીઁય યરુશાલેમમાં આવ્યા છો, અને હજારો અને હજારો દૂતોની સભામાં આનંદથી ભરેલાં છે, 23 પ્રથમ જન્મેલાંઓની મંડળી, જેઓનાં નામ સ્વર્ગના પુસ્તકમાં નોંધાયેલા છે. તેઓની પાસે અને સૌનો ન્યાય કરનાર ઈશ્વર સમક્ષ, અને સંપૂણઁ થયેલા ન્યાયીઓનાં આત્માઓ પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રકત હાબેલનાં કરતાં સારું બોલે છે, તેની પાસે આવ્યા.
25 જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો, જો તેઓએ પૃથ્વી પર ચેતવણી આપનારનો અનાદર કરીને છટકી ન શક્યા, તો પછી જો સ્વર્ગમાંથી આપણને ચેતવણી આપનારથી દૂર રહીશું તો આપણે કેવી રીતે બચી શકીશું? 26 તે સમયે તેમના અવાજે પૃથ્વીને હલાવી નાંખી, પણ હવે તે કહે છે, કે "ફરી એક વાર હું પૃથ્વીને જ નહિ, પણ આકાશોને પણ હલાવીશ." 27 "ફરીથી એક વાર" શબ્દ સૂચવે છે કે જે હલાવી શકાય છે, એટલે કે સૃષ્ટ વસ્તુઓની—દૂર કરવામાં આવશે જેથી જે હલાવી શકાતી નથી તે કાયમ રહે.
28 માટે, આપણને તો એવું રાજ્ય મળ્યું છે કે જે હલાવી શકાતું નથી, તેથી આપણે આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે ભય તથા આદર સાથે તેમની આરાધના કરીએ. 29 કેમકે "આપણા ઈશ્વર ભસ્મ કરી નાંખનાર અગ્નિ છે."