1 તેથી, પવિત્ર ભાઈઓ અને બહેનો, સ્વગીઁય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાયુઁ છે તેના પ્રેષિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો. 2 ઈશ્વરના ઘરની સેવામાં જેમ મોશે વિશ્વાસુ હતો તેમ તેઓ પણ પોતાને પ્રમુખયાજક તરીકે નીમનારને વિશ્વાસુ રહ્યા. 3 જેમ મકાન કરતાં તેને બાંધનારને વિશેષ પ્રશંશા ઘટે છે, તેમ મોશે કરતાં ઈસુ અધિક મહિમાને યોગ્ય ગણાયા છે. 4 દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વનો સર્જનહાર ઈશ્વર છે. 5 જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો. 6 પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.
7 તેથી, જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:
"જો તમે આજ તેમની વાણી સાંભળો,
8 જેમ તમે અરણ્યમાં કસોટીનાં સમયમાં
તમે કચકચ કરી,
તેમ તમારાંં હૃદયો કઠણ કરશો નહિ,
9 જેમ તમારા પૂવઁજોએ મારી કસોટી કરી અને મને પારખ્યો,
તેમ છતાં તેમણે ચાળીસ વર્ષ સુધી મારા કામ જોયા.
10 તેથી જ હું તે પેઢી પર ગુસ્સે થયો;
‘અને મેં કહ્યું તેઓના હૃદય હંમેશા ભટકી જાય છે,
અને તેઓએ મારા માગઁ જાણ્યાં નહિ’
11 તેથી મેં મારા ક્રોધમાં પ્રતિજ્ઞા કરી કે,
‘તેઓ મારા વિશ્રામમાં કદી પ્રવેશ કરશે નહિ.’ "
12 માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જયાં સુધી "આજ" કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય. 14 જો આપણે આરંભમાં રાખેલા વિશ્વાસને અંત સુધી દ્રઢતાથી પકડી રાખીએ, તો આપણે મસીહના ભાગીદાર થયા છીએ. 15 જેમ કહેવામાં આવ્યું છે:
"જો આજ તમે તેમની વાણી સાંભળો,
તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ,
જેમ તમે કચકચ કરી તેમ."
16 ઈશ્વરની વાણી સાંભળ્યા છતાં જેમણે તેમની વિરુધ્ધ બંડ પોકાયુઁ, એ કોણ હતા? શું તેઓ મોશેની આગેવાની નીચે ઈજિપ્તમાંથી નીકળી આવનાર ન હતા? 17 અને ચાળીસ ચાળીસ વર્ષ સુધી તેઓ કોના પર ગુસ્સે થયાં? શું તે એ લોકો ન હતાં કે જેઓએ પાપ કયુઁ અને તેમના શરીરો અરણ્યમાં નાશ પામ્યા? 18 અને જેઓએ માન્યું નહિ તે સિવાય બીજા કોને વિશે ઈશ્વરે સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ. 19 તો આપણે જોઈએ છીએ કે તેઓ તેમના અવિશ્વાસને કારણે પ્રવેશ કરી શક્યા નહિ.