1 દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરવામાં આવેલો હોવાથી ઈશ્વર સંબંઘીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે, જેથી તે પાપને માટે તે ઈશ્વરને બલિદાન કરે છે. 2 તે પોતે પણ નબળાઈઓથી ઘેરાયેલો હોવાથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વતિઁ શકે છે. 3 આથી તે પોતાના પાપ માટે તથા બીજાઓનાં પાપ માટે પણ અર્પણો કરે છે. 4 અને કોઈ પણ આ માન પોતે લેતો નથી, પણ જયારે તેને ઈશ્વર દ્રારા તેડવામાં આવે છે ત્યારે તે લે છે, જેમ આરોનની પસંદગી કરી, તેમ.
5 એ જ પ્રમાણે, પ્રમુખયાજક બનવાનું માન મસીહે પોતે પસંદ કર્યું નહોતું; પરંતુ ઈશ્વરે તેમને કહ્યું,
"તું મારો પુત્ર છે;
આજ હું તારો પિતા થયો છું."
6 વળી તે જ પ્રમાણે બિજે ઠેકાણે તેઓ કહે છે,
"તું મેલ્ખીસેદેકની પરંપરામાં
સદાને માટે યાજક છે."
7 ઈસુ જયારે આ પૃથ્વી પરના જીવનમાં હતા, તેમણે ઊંડી વેદના અને આંસુઓ સહિત મરણમાંથી છોડાવનાર સર્વશકિતમાન ઈશ્વરને પ્રાર્થના તથા કાલાવાલા કયાઁ, અને તેમને સાંભળવામાં આવ્યા કેમકે તેઓ ઈશ્વરને આધીન રહેતાં હતા. 8 તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા. 9 એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા; 10 મેલ્ખીસેદેકની માફક ઈશ્વરે તેમને પણ પ્રમુખયાજક તરીકે જાહેર કર્યા.
11 મારે આના સંબંધી ઘણું કહેવાનું છે, પણ તમે તે સમજી શકો તેમ નથી, કેમકે તમે સાંભળવા માંગતા નથી. 12 ખરેખર તો, અત્યાર સુધીમાં તમારે ઉપદેશક થવું જોઇતું હતું; પણ અત્યારે તો ઈશ્વરનાં વચનોનાં મૂળભૂત સિધ્ધાંતો શું છે તે કોઈ તમને શીખવે તેવી જરૂરિયાતો ઊભી થઈ છે. ભારે ખોરાક નહિ, પણ જાણે દૂધની અગત્યતા હોય એમ લાગે છે! 13 જે કોઇ દૂધ પર જીવે છે તે હજુ બાળક જ છે, તે ન્યાયીપણાં સંબંઘી બિનઅનુભવી છે. 14 પણ જેઓ પુખ્ત છે, એટલે જેઓની ઈંદ્રિઓ ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે.