Publicidade

Hebreus 11

વિશ્વાસમાં કરણી

1 હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. 2 આ તે છે કે જેમનાં માટે પુરાતનકાળનાં લોકોની સાક્ષી પૂરવામાં આવી હતી.

3 ઈશ્વર પરના વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ ઈશ્વરની આજ્ઞાથી ઉત્પન્ન થયું. એટલે જે જે દ્રશ્ય છે, તે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.

4 વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું અર્પણ ઇશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, તેવી તેના સબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૂએલો છતાં તે બોલે છે.

5 વિશ્વાસથી હનોખને પણ ઉપર લઇ લેવામાં આવ્યો કે, તે મરણ ન જુએ; તે એકાએક અદ્રશ્ય થઈ ગયો કેમકે ઈશ્વરે તેને લઈ લીધો હતો. આ બન્યા પહેલાં તેના માટે એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા. 6 વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.

7 નૂહે જે વાત હજુ સુધી જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઇશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુંટુંબનુ તારણ થાય માટે વહાણ તૈયાર કયુઁ; તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.

8 વિશ્વાસથી અબ્રાહમ જે દેશ તેને વારસામાં આપવાનું ઈશ્વરે વચન આપ્યું હતું ત્યાં જવાની આજ્ઞાને તે આધીન થયો અને પોતાને કયાં જવાનું છે તે ન જાણ્યાં સિવાય ચાલી નીકળ્યો. 9 વિશ્વાસથી તેણે વચનનાં દેશમાં પરદેશીની માફક પોતાનું ઘર બનાવ્યું તે ઇસહાક અને યાકોબની જેમ તંબુઓમાં રહ્યો, જેઓ તેની સાથે તે જ વચનનાં વારસ હતા. 10 કેમકે જે શહેરનો પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો. 11 અને સારા, જે ગભઁ ધારણની ઉમંર વિતી ગઇ હતી પણ વિશ્વાસથી ગભઁ ધારણ કરવાને શકિતમાન થઇ, કેમકે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યો. 12 એ એકથી અને વળી તે પણ મૂએલા જેવો તેનાથી, આકાશમાંના તારાઓ જેટલા તથા સમુદ્ર કિનારાની રેતીના જેટલાં અસંખ્ય સંતાનો ઉત્પન્ન થયાં.

13 આ બધા લોકો મરણ પામ્યા ત્યારે પણ વિશ્વાસથી જીવતાં હતા, તેમને વચનો મળ્યાં ન હતા; તેઓએ ફકત દૂરથી તેમને જોયા સ્વાગત કયુઁ કે, તેઓ પૃથ્વી પર તેઓએ કબૂલ કયુઁ કે અમે પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છીએ. 14 જે લોકો આવી વાતો કરે છે તેઓ દશાઁવે છે કે તેઓ પોતાના દેશની શોધ કરે છે. 15 જો તેઓ જે દેશ છોડી ને ગયા હતાં તેના વિશે વિચારતા હોત, તો તેને પાછા જવાની તક મળી હોત. 16 તેના બદલે, તેઓ એક સારા દેશની, એટલે કે સ્વગીઁય દેશની ઇચ્છા રાખતા હતા, તેથી ઈશ્વર તેઓનાં ઈશ્વર કહેવાતાં શરમાતા નથી, કેમકે તેઓને માટે તેમણે એક શહેર તૈયાર કરેલું છે.

17 વિશ્વાસથી જયારે ઈશ્વરે અબ્રાહમની કસોટી કરી, ત્યારે તેણે ઇસહાકનું બલિદાન આપ્યું. જેણે વચનો સ્વીકાયાઁ હતા, તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું 18 તેથી ઈશ્વરે તેને કહ્યું હતું કે, "ઇસહાકથી તારા વંશજો ગણાશે" 19 અબ્રાહમ માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાંઓને પણ સજીવન કરી શકે છે, અને તેથી એક રીતે કહીએ તો તેણે ઇસહાકને મૃત્યુમાંથી પાછો મેળવ્યો.

20 વિશ્વાસથી ઇસહાકે યાકોબ અને એસાવને તેમના ભવિષ્ય માટે આશીઁવાદ આપ્યો.

21 વિશ્વાસથી યાકોબે મરતી વખતે યોસેફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો, અને લાકડીનાં ટેકે ઊભા રહીને આરાધના કરી.

22 વિશ્વાસથી યોસેફે પોતાના મૃત્યું કાળનો સમય નજીક આવ્યો ત્યારે, ઇઝરાયેલીઓના ઈજિપ્તમાંથી નીકળવાની વાત કરી અને પોતાના હાડકાં દફનાવવા વિશે સૂચનો આપ્યા.

23 વિશ્વાસથી મોશેનાં માતાપિતાએ તેના જન્મ પછી ત્રણ મહીના સુધી તેને છુપાવી રાખ્યો, કારણ કે તેઓએ જોયું કે તે કોઈ સામાન્ય બાળક નથી, ને તેઓ રાજાના હુકમથી ડયાઁ નહિ.

24 મોટાં થયા પછી મોશેએ વિશ્વાસથી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાની ના પાડી. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે ઈશ્વરના લોકની સાથે દુઃખ વેઠવાનું પસંદ કર્યું. 26 તેણે ઈજિપ્તના દ્રવ્યભંડાર કરતાં મસીહને લીધે અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યું, કેમકે તે પોતાના બદલાની રાહ જોતો હતો. 27 મોશેએ રાજાનાં ક્રોધની બીક રાખ્યા વગર વિશ્વાસથી ઈજિપ્ત દેશનો ત્યાગ કર્યો. અદ્રશ્ય જોતો હોય તેમ તે અડગ રહ્યો. 28 વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વ અને રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, જેથી પ્રથમજનિતનો નાશ કરનાર ઇઝરાયેલના પ્રથમજનિતોને સ્પર્શ ન કરે.

29 વિશ્વાસથી લોકો કોરી જમીન પર ચાલતાં હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા; પણ જયારે ઈજિપ્તના લોકોએ તેમ કરવાનો પ્રયાસ કયોઁ, ત્યારે તેઓ ડૂબી મર્યા.

30 વિશ્વાસથી યરીખોના કોટની આસપાસ સાત દિવસ સુધી ફર્યા પછી તે કોટ તૂટી પડયો.

31 વિશ્વાસથી રાહાબ વેશ્યા, જાસૂસોનો ખુશીથી સત્કાર કયોઁ, તેથી અનઆજ્ઞાંકિત લોકો સાથે નાશ પામી નહિ.

32 અને હવે આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાવિદ, શમુએલ તથા બીજા પ્રબોધકો વિશે કહેવાનો મારી પાસે સમય નથી. 33 વિશ્વાસથી તેઓએ રાજ્યો જીત્યાં, ન્યાયપણે વત્યાઁ, વચનો પ્રાપ્ત કયાઁ, સિંહોના મોં બંધ કયાઁ. 34 અને અગ્નિનું બળ નિરથઁક કયુઁ, તરવારની ધારથી બચી ગયા, નિર્બળતામાંથી બળવાન થયા, લડાઈઓમાં શૂરવીરતા બતાવી અને વિદેશીઓનાં સૈન્યોને ભગાડી મૂક્યાં. 35 સ્ત્રીઓ પોતાના પ્રિયજનોને મરણમાંથી પાછા મેળવી શકી, અને તેઓને ફરીથી સજીવન કરવામાં આવ્યા, કેટલાક રિબાઈ રિબાઈને માર્યા ગયા, તેઓએ છૂટકાનો અંગીકાર કયોઁ નહિ, જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. 36 કેટલાકે મશ્કરી, કોરડા, સાંકળો, અને જેલમાં નંખાઈને પરખાયા. 37 તેઓને પથ્થરોથી મારી નાંખવામાં આવ્યા, કરવતથી બે ભાગમાં વહેરી નાંખવામાં આવ્યા, તલવારથી મારી નાખવામાં આવ્યા. તેઓને ઘેટાનાં ચામડાં અને બકરાંના ચામડાં પહેરીને ફરતાં હતા, તેઓ કંગાલ, સતાયેલા, અને દૂર વ્યવહાર પામેલા હતાં, 38 તેઓ રણમાં, પર્વતો પર, ખીણોમાં તથા ગુફાઓમાં ફર્યા, જગત તેઓને માટે યોગ્ય ન હતું.

39 તેઓ સવઁ વિષે વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી, છતાં તેઓમાંના કોઈને આપેલા વચનનું ફળ મળ્યું નહિ; 40 કેમકે ઈશ્વરે આપણે માટે એથી વિષેશ સારું કંઇક નિમાઁણ કયુઁ હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂણઁ ન થાય.

Veja também

Publicidade
Hebreus
Ver todos os capítulos de Hebreus
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_06-50-08-