1 હવે અમે જે કહીએ છીએ તેનો સારાંશ આ પ્રમાણે છે: આપણી પાસે એવા પ્રમુખયાજક છે, જે સ્વર્ગમાં મહીમાવાન રાજયાસનની જમણી બાજુએ બિરાજેલાં છે. 2 અને જે પવિત્રસ્થાનનો ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ સ્થાપયો છે જેની તે સેવા કરી રહ્યા છે.
3 હવે દરેક પ્રમુખયાજક અપઁણો અને બલિદાનો લાવવાં માટે નીમાયેલો હોય છે. માટે આ પ્રમુખયાજક પણ કંઈ અર્પણ લાવે તે જરૂરી છે. 4 હાલ જો તે પૃથ્વી પર હોત તો તે યાજક ન બન્યા હોત, કારણ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનાર યાજકો તો છે જ. 5 તેઓ સ્વગઁમાની વસ્તુઓની પ્રતિછાયાની સેવા કરે છે, આ જ કારણ છે કે જયારે મોશે મંડપ બાંધવાની શરૂઆત કરી ત્યારે તેને ચેતવણી આપવામાં આવી હતી કે: "જે નમુનો તને પહાડ પર બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે બધું બનાવજે." 6 પણ હકિકતમાં ઈસુને મળેલી સેવા તેમના કરતા એટલી જ વિશેષ છે, જેટલી તે જે કરારનો મઘ્યસ્થ છે. તે જુના કરાર કરતા વિશેષ છે, કારણ કે નવો કરાર વઘુ સારા વચનો પર સ્થાપીત થયેલો છે.
7 કેમકે જો પહેલાં કરારમાં કંઈ દોષ ન હોત, તો નવા કરારની આવશ્યકતા ઊભી થઈ ન હોત. 8 પણ ઈશ્વરે લોકોને દોષિત ઠરાવીને કહ્યું:
"પ્રભુ જાહેર કરે છે, કે એવા દિવસ આવશે કે,
જયારે હું નવો કરાર સ્થાપન કરીશ.
ઇઝરાયેલનાં લોકોની સાથે,
અને યહૂદીયાનાં લોકોની સાથે.
9 હું તેમના પિતૃઓને ઈજિપ્ત દેશમાંથી લઈ આવ્યો
ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યા હતો
તેના જેવો તે કરાર નથી.
કેમકે તેઓ મારા કરારને વિશ્વાસુ રહ્યા નહિ,
તેથી જ મેં તેઓને મૂકી દીધા, પ્રભુ કહે છે
10 ઇઝરાયેલ લોકો સાથે,
હું જે કરાર સ્થાપન કરીશ તે આ છે,
હું મારા નિયમો તેઓના મનમાં મુકીશ,
અને તેઓના હૃદયપટ પર લખીશ,
હું તેઓનો ઈશ્વર થઈશ અને
તેઓ મારા લોક થશે.
11 હવે પછી કોઈ પોતાના પાડોશી કે એકબીજાને કહેશે નહિ કે:
‘પ્રભુને ઓળખ’
કારણ કે નાનાંથી માંડીને મોટાં સુધી
તેઓ સર્વ મને ઓળખશે.
12 કેમકે હું તેઓના અપરાધો માફ કરીશ,
અને તેઓના પાપનું ફરી કદી સ્મરણ કરીશ નહિ."
13 તો, નવો કરાર, એવું કહીને તેણે પહેલાં કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જજઁર થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.