Publicidade

Hebreus 2

ધ્યાનમાં લેવાની ચેતવણી

1 આથી આપણે જે સાંભળ્યું છે તે પર વિશેષ ધ્યાન આપીએ, એ માટે કે આપણે તેમાંથી ભટકી ન જઈએ. 2 કેમકે દૂતો દ્રારા કહેલું વચન જો સત્ય ઠયુઁ, અને દરેક પાપનું આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું, 3 તો આવાં મહાન તારણ વિશે બેદરકાર રહીને આપણે શી રીતે બચીશું? પ્રથમ પ્રભુએ આ તારણનો માર્ગ પ્રગટ કર્યો, અને જેઓએ તેમનું સાંભળ્યું તેઓએ આપણી સમક્ષ એ વિશે ખાતરી કરી આપી. 4 ઈશ્વરે પોતે પણ ચિહ્નો, અદભુત કૃત્યો તથા ચમત્કારો વડે સાક્ષી પૂરી છે, અને પવિત્ર આત્મા તરફથી ખાસ કૃપાદાન બક્ષીને એ વાતની ખાતરી કરાવી છે.

ઈસુ સંપૂણઁ માણસ બન્યાં

5 વળી જે આવનાર જગત વિશે અમે વાત કરીએ છીએ, તેણે તેને દૂતોના નિયંત્રણ સોંપ્યું નથી. 6 પણ એક જગ્યાએ એવી સાક્ષી પૂરી છે કે:

"મનુષ્ય કોણ કે તમે તેનું સ્મરણ કરો,

મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની કાળજી રાખો?

7 કારણ કે તમે તેને દૂતો કરતાં થોડો ઊતરતો બનાવ્યો;

તમે તેના શિરે ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો છે.

8 તમે તેના પગ તળે સઘળું મુકયું છે."

તેને સર્વસ્વનો અધિકારી બનાવ્યો છે. તેના અધિકારમાંથી કાંઈ જ બાકાત નથી. તો સઘળું તેને સ્વાઘીન કરવાથી તેને ન કયુઁ હોય એવું તેણે કંઇ રહેવા દીધું નહિ. પણ સઘળું તેને સ્વાધીન કયું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી. 9 પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ, જેને થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતું સ્થાન આપવામાં આવ્યું. હવે ઈશ્વરે તેમને ગૌરવ તથા માનનો મુગટ પહેરાવ્યો. કારણ કે તેમણે મરણ સહન કર્યું, ઈશ્વરની મહાન દયા થકી પ્રત્યેક વ્યકિતને માટે મરણ સહન કરે.

10 જેને અથેઁ સઘળાં છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે, તેને એ ઘટિત હતું કે, તે ઘણાં દીકરા દીકરીઓને ગૌરવમાં લાવતાં તેના તારણના અધિકારીને દુઃખ દ્રારા પરિપૂણઁ કરે. 11 આપણને પવિત્ર કરનાર તથા જેઓને પવિત્ર કરવામાં આવે છે, તેઓ સવઁ એકથી જ છે; એ માટે તે તેઓને પોતાના ભાઈઓ બહેનો કહેતાં શરમાતા નથી. 12 તેઓ કહે છે,

"હું મારા ભાઈઓ અને બહેનોમાં તમારું નામ પ્રગટ કરીશ,

મંડળીમાં સ્તોત્ર ગાઇને હું તારી સ્તુતિ કરીશ."

13 અને વળી,

"હું તેમનાં પર મારો વિશ્વાસ મુકીશ."

ફરી તેમણે કહ્યું,

"મને આપવામાં આવેલા તેનાં બાળકો અને હું અહીં છીએ."

14 એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; 15 અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે. 16 કેમકે તેઓ દૂતોને સહાય કરતા નથી, પણ અબ્રાહમના સંતાનોને સહાય કરે છે. 17 તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય. 18 કેમકે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કયાઁ, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તેઓ શકિતમાન થાય.

Veja também

Publicidade
Hebreus
Ver todos os capítulos de Hebreus
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-