1 "હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. 2 મારા માની દરેક ડાળી જે ફળ નથી આપતી તેને તે કાપી નાખે છે, જયારે દરેક ડાળીઓ ફળ આપે છે તે વધારે ફળ આપે તે માટે તે તેમને સોરી નાંખે છે. 3 જે વચનો મેં તમને કહયાં છે તે વડે તમે શુધ્ધ થઇ ગયા છો. 4 મારાંમાં રહો અને હું પણ તમારાંમાં રહું, ડાળી દ્રાક્ષાવેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમજ જયાં સુધી તમે પણ મારામાં ન રહો ત્યાં સુધી તમે ફળ આપી શકતા નથી.
5 "હું દ્રાક્ષાવેલો છું, તમે ડાળીઓ છો. જો તમે મારાંમાં રહો, અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. મારાંથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. 6 જો તમે મારામાં રહેતા નથી, તો તમે ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને સુકાઈ જાય છે, આ ડાળીઓને ભેગી કરીને અગ્નિમાં નાખીને બાળી નાખવામાં આવે છે. 7 જો તમે મારાંમાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કાંઈ તમે માગો તે તમારા માટે કરવામાં આવશે. 8 તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.
9 "જેમ પિતાએ મારા પર પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ મેં તમારાં પર કર્યો છે; હવે તમે મારા પ્રેમમાં રહો. 10 જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો, જેમ મે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે, અને તેમના પ્રેમમાં રહું છું. 11 તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂણઁ થાય, એ માટે મે તમને એ વચનો કહ્યાં છે. 12 મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. 13 પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી. 14 જે આજ્ઞા હું તમને આપું તે તમે પાળો, તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમકે માલિક નું કામ દાસ જાણતો નથી, એને બદલે મે તમને મિત્ર કહયાં છે. જે વાતો મેં મારા પિતા પાસેથી શિખ્યો તે બધું મે તમને જણાવ્યું છે. 16 તમે મને પસંદ કયોઁ નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, ફળ જે કાયમ રહે, અને તેથી તમે જે કાંઇ મારા નામે માગો પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે કે: એકબીજા પર પ્રેમ રાખો.
18 "જો જગત તમને ધિક્કારે, તો તમે યાદ રાખો કે તેણે પહેલાં મને ઘિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પણ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તેથી જગત તમારો ધિક્કાર કરે છે. 20 ‘નોકર પોતાના માલિક કરતાં મોટો નથી’ જે મેં તમને કહ્યું તે યાદ રાખો: જો તેઓએ મારી સતાવણી કરી છે, તેઓ તમારી પણ સતાવણી કરશે. જો તેઓએ મારા વચન પાળ્યા તો તેઓ તમારા પણ પાળશે. 21 તેઓ મારા નામને લીધે તમારી સાથે આ રીતે વતઁશે, કેમકે તેઓ જેણે મને મોકલ્યો છે તેમને જાણતા નથી. 22 જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપનો કાંઈ દોષ લાગત નહિ. પરંતુ હવે તેમનાં પાપ માટે તેમની પાસે કોઈ બહાનું નથી. 23 જે મારો ધિક્કાર કરે છે, તે મારા પિતાનો પણ ધિક્કાર કરે છે. 24 જે કામો બીજા કોઇએ કયાઁ નથી તે જો મેં તેઓ સમક્ષ ના કર્યા હોત તો તેઓને પાપનો દોષ લાગત નહિ. જેમ તેઓએ જોયું છે તેમ, અને હજું તેઓએ મને તથા મારા પિતા બંન્નેને ધિક્કાયાઁ છે. 25 પણ તેઓના શાસ્ત્રમાં જે લખેલું છે તે પરિપૂર્ણ થાય: કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો.
26 "જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે. 27 અને તમે પણ સાક્ષી આપશો, કેમકે શરૂઆતથી જ તમે મારી સાથે છો.