Publicidade

João 6

ઈસુ પાંચ હજારને જમાડે છે

1 થોડા સમય પછી, ઈસુ ગાલીલના સરોવરને પેલે પાર ગયા. (તે તિબેરિયસનું સરોવર છે.) 2 અને લોકોનું મોટું ટોળું તેમની પાછળ ગયું, કેમકે તેમણે માંદાઓને સાજા કરી જે ચમત્કાર કયાઁ હતા તે તેઓએ જોયા હતા. 3 પછી ઈસુ પહાડ પર જઈને તેમના શિષ્યો સાથે બેઠાં. 4 યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે હતું.

5 જયારે ઈસુએ નજર ઉચીં કરી તેમણે જોયું કે મોટો સમુદાય તેમની પાસે આવતો હતો, તેમણે ફિલિપને કહ્યું, "આ લોકોને ખાવા માટે રોટલી કયાંથી ખરીદીએ?" 6 તેમણે તેમની કસોટી કરવા એ પૂછયું, કેમકે પોતે શું કરવાનાં હતા, તે મનમાં જાણતાં હતા.

7 ફિલિપે તેમને જવાબ આપ્યો, "પુરતી રોટલી ખરીદવા માટે અડધા વર્ષથી વધુ કમાણી જેટલું લાગે, જેથી દરેકને થોડું થોડું મળે."

8 બીજો તેમનો શિષ્ય સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા બોલી ઊઠયો, 9 "અહીં જવની પાંચ રોટલી અને બે નાની માછલી સાથે એક છોકરો છે, પરંતુ આટલા બધા લોકોની વચ્યે કેમ પહોંચે?"

10 ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસાડો." તે જગ્યાએ ઘણું ઘાસ હતું, અને તેઓ બેસી ગયા (પુરુષો આશરે પાંચ હજાર હતા.) 11 ત્યારે ઈસુએ રોટલી લઈને આભાર માન્યો અને બેઠેલાઓને વહેંચી આપી. જેટલી જોઇતી હતી તેટલી વહેચી, માછલી સાથે પણ તેમણે એમ જ કયુઁ.

12 જયારે તેઓ ખાયને ઘરાયા, ત્યારે તેમણે તેમના શિષ્યોને કહ્યું, "વધેલાં ટુકડા એકઠા કરી લો, કંઇ નકામું ન જાય, 13 તેથી તેઓએ તે એકઠા કયાઁ." અને તે જવની પાંચ રોટલીમાંના જે છાડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરીને ભેગી કરી,

14 પછી લોકોએ ઈસુએ કરેલાં ચમત્કાર જોઈને તેઓ કહેવા લાગ્યા, "ખરેખર, જે જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે." 15 ઈસુએ જાણ્યું કે આ લોકો તેમને બળજબરીથી આવીને તેમને રાજા બનાવવાં માગે છે, ત્યારે ફરીથી પોતે પહાડ પર જતા રહ્યા.

ઈસુ પાણી પર ચાલે છે

16 સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા. 17 તેઓ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે કપરનાહૂમ જવાને પેલે પાર ગયા. તે વખતે અંધારું હતું, અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા 18 ભારે પવન ફૂંકાતો હતો અને મોજાં ઊછળવા લાગ્યાં. 19 જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ-છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેઓએ ઈસુને પાણી પર ચાલીને હોડી તરફ આવતાં જોયા. તેઓ બહુ ગભરાઈ ગયા. 20 પણ તેમણે તેઓને કહ્યું, "ગભરાશો નહિ, એ તો હું છું." 21 પછી તેઓ ઈસુને હોડીમાં લેવા માંગતા હતા, અને તેઓ જયાં જતા હતા તે કિનારે તરત હોડી આવી પહોંચી.

22 બીજે દિવસે સરોવરના કિનારે રોકાયેલા ટોળાને ખબર પડી કે ત્યાં એક હોડી હતી અને ઈસુ તેમના શિષ્યો સાથે તેમાં ચઢયા ન હતા પણ એકલા ગયા હતાં. 23 તે સ્થળે તિબેરિયસથી ઘણી હોડીઓ આવી જયાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ રોટલી ખાધી હતી. 24 જયારે લોકોને ખબર પડી કે ઈસુ તેમજ તેમના શિષ્યો પણ ત્યાં નથી, ત્યારે ઈસુને શોધવાં તેઓ હોડીઓમાં બેસીને કપરનાહૂમ ગયા.

ઈસુ જીવનની રોટલી

25 જયારે તેઓ તેમને સરોવરને સામે કિનારે મળ્યા, તેઓએ તેમને પૂછયું, "ગુરુજી, તમે અહીં ક્યાંરે આવ્યા?"

26 ઈસુએ જવાબ આપ્યો, "સાચે જ હું તમને કહું છું, તમે મારા કરેલાં ચમત્કાર જોયા માટે તમે મને શોધતા નથી પણ તમે રોટલી ખાઇને ધરાયા માટે. 27 નાશવંત ખોરાક માટે કામ કરશો નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, કેમકે ઈશ્વર પિતાએ તેના પર મુદ્રા કરી છે."

28 ત્યારે તેઓએ તેમને પૂછયું, "ઈશ્વરના કામ કરવા માટે અમારે શું કરવું જોઈએ?"

29 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વરનું કામ આ છે: તેમણે જેને મોકલ્યા છે તેમના પર વિશ્વાસ કરો."

30 માટે તેઓએ તેમને પૂછયું, "તમે કયાં ચિન્હો આપશો કે અમે તે જોઇને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? 31 અમારા પિતૃઓને અરણ્યમાં માન્ના ખાધું; જેમ લખેલું છે: તેમણે તેમને સ્વર્ગમાંથી ખાવાને રોટલી આપી."

32 ઈસુએ તેમને કહ્યું, "હું તમને સાચે જ કહું છું, તે રોટલી મોશેએ આકાશમાંથી તમને ન હતી આપી: પણ મારા પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે. 33 કેમકે સ્વર્ગમાંથી નીચે આવીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે."

34 તેઓએ કહ્યું, "ગુરુજી, અમને હંમેશા એ જ રોટલી આપો."

35 ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ. 36 પરંતુ મેં તમને કહ્યું તેમ, મને જોઈને હજુ સુધી તમે વિશ્વાસ કરતા નથી. 37 જેઓને મારા પિતાએ મને આપ્યા છે તેઓ મારી પાસે આવશે, અને જે કોઇ મારી પાસે આવશે તેઓને હું કદી કાઢી મૂકીશ નહિ. 38 કેમકે મારી ઇચ્છા નહિ પરંતુ મને મોકલનાર ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા, હું સ્વર્ગમાંથી નીચે આવ્યો છું. 39 અને જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે મને સોંપેલામાંથી એકેને હું ગુમાવું નહિ, પરંતુ છેલ્લે દિવસે હું તેમને પાછા ઉઠાડું. 40 જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ કરશે તેને અનંતજીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેઓને સજીવન કરું એવી મારા પિતાની ઇચ્છા છે."

41 તેમણે કહ્યું: "સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું," તેથી યહૂદીઓએ ત્યાં તેમની વિરુધ્ધ કચકચ શરૂ કરવા લાગ્યા. 42 તેઓએ કહ્યું, "શું આ યોસેફનો દીકરો ઈસુ નથી, જેના માબાપને આપણે ઓળખીએ છીએ? તેઓ હમણાં એમ કેમ કહે છે કે, ‘હું સ્વર્ગમાથી ઊતયોઁ છું?’ "

43 ઈસુએ જવાબ આપ્યો, "તમે અંદરોઅંદર કચકચ ના કરો, 44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તેમ: તેઓ બધાં ઈશ્વરથી શીખેલાં થશે. જે કોઇ પિતાને સાંભળીને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. 46 કોઈએ પિતાને જોયા નથી, સિવાય કે જે ઈશ્વર તરફથી હોય; ફકત તેણે જ પિતાને જોયા છે. 47 હું સાચે જ તમને કહું છું જે કોઈ વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. 48 હું જીવનની રોટલી છું. 49 તમારાં પૂવઁજોએ અરણ્યમાં માન્ના ખાધું ને તેઓ મરણ પામ્યા. 50 પણ અહીં જે રોટલી છે તે આકાશમાંથી નીચે આવે છે. જે કોઇ તે ખાય અને નહી મરે. 51 હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."

52 ત્યારે યહૂદીઓ અંદરોઅંદર સખત વિવાદ કરવા લાગ્યા, "આ માણસ કેવી રીતે પોતાનું માંસ આપણને ખાવા માટે આપી શકે?"

53 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી. 54 જે કોઈ મારું માંસ ખાય છે, અને લોહી પીએ છે તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. 55 કેમકે મારું માંસ તે ખરેખરુ ખોરાક છે અને મારું લોહી તે ખરેખરુ પીવાનું છે. 56 જે કોઈ મારું માંસ ખાય છે અને લોહી પીએ છે, તે મારાંમાં રહે છે અને હું તેનામાં. 57 જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તે જ રીતે જે મને ખાય છે, તે મારે આશરે જીવશે. 58 આ રોટલી આકાશમાંથી નીચે આવી. તમારા પુવઁજો માન્ના ખાયને મરી ગયા, પણ જે કોઇ આ રોટલી ખવડાવશે તે સદાકાળ જીવશે." 59 કપરનાહૂમના સભાસ્થાનમાં ઈસુએ ઉપદેશ આપતાં તેમણે આ કહ્યું.

ઘણા શિષ્યો ઈસુને મુકીને જતા રહયાં

60 તેમના શિષ્યોમાંના ઘણાંએ એ સાંભળીને કહ્યું, "આ કઠણ ઉપદેશ છે તે કોણ સ્વીકારશે?"

61 તેમણે જાણી લીધું કે તેમના શિષ્યોએ વિશે કચકચ કરતાં હતાં, ઈસુએ તેઓને કહ્યું, "શું એ તમને ઠોકર ખવડાવે છે? 62 માણસનો દીકરો જયાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢી જતાં જોશો તો પછી શું? 63 આત્મા જીવન આપે છે. માંસથી કંઇ લાભ થતો નથી. જે વચનો મેં તમને કહ્યાં, તે આત્માથી ભરપૂર અને જીવન છે. 64 પરંતુ તમારાંમાંના કેટલાક મારા પર વિશ્વાસ કરતા નથી." કેમકે કોણ વિશ્વાસ કરનાર નથી અને કોણ તેમને પરસ્વાઘીન કરનાર છે, એ ઈસુ પ્રથમથી જ જાણતા હતા. 65 ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, "મેં એ જ કારણથી તમને કહ્યું કે જયાં સુધી પિતા તેમને સક્ષમ ન કરે ત્યાં સુધી કોઇ મારી પાસે આવી શક્તું નથી."

66 આ સમયથી તેમના ઘણાં શિષ્યો પાછા ગયા, અને ફરી તેમની પાછળ ગયા નહિ.

67 ઈસુએ બારને પૂછયું, "શું તમે પણ છોડી ને જવા માગો છો?"

68 સિમોન પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનનાં વચનો તમારી પાસે છે. 69 અમે તમારાંં પર વિશ્વાસ કયોઁ છે અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર છો."

70 ત્યારે ઈસુએ જવાબ આપ્યો, "શું મેં તમને બારને પસંદ નથી કર્યા? પણ તમારાંમાંનો એક શેતાન છે." 71 (સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદા, તે બારમાંનો એક છતાં તેમને પરસ્વાઘીન કરનાર હતો.)

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-