1 હવે મસીહે આપણા માટે પોતાના શરીરમાં દુઃખ સહન કયુઁ, તેમની માફક તમારે પણ સહન કરવા તૈયાર રહેવું, કારણ કે જેણે શરીરમાં દુઃખ સહન કયુઁ છે તે પાપથી મુકત થયો છે. 2 એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે. 3 વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે. 4 હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે. 5 પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે. 6 એ કારણથી મૃત્યુ પામેલાંઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેથી દેહમાં રહેલા માણસોના જેવો ન્યાય થયા પછી પણ તેઓ ઇશ્વરના જેવા આત્મમાં જીવે.
7 સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો. 8 વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે. 9 જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો; 10 તમને મળેલાં કૃપાદાન પ્રમાણે દરેકે બીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું. 11 જો કોઇ બોધ કરે છે તો તેણે ઈશ્વરનાં વચનો પ્રમાણે બોધ કરવો. શું કોઇ સેવા કરે છે તો તેણે તમને આપેલી શકિત પ્રમાણે સેવા કરવી જેથી બધીજ બાબતોથી ઈશ્વર દ્રારા ઈસુ મસીહની સ્તુતિ થાય. તેમને સદાસર્વકાળ ગૌરવ અને સત્તા છે. આમીન.
12 વહાલાં મિત્રો, તમારે અગ્નિ પરીક્ષામાં મૂકાવું પડે તો નવાઈ પામશો નહિ, જાણે કે તમને કંઈ નવું થયું હોય તેમ સમજી નવાઈ ન પામશો. 13 પણ તમે જેટલાં મસીહનાં દુઃખોનાં ભાગીદાર થાવ છો તેટલો આનંદ કરો, જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે આનંદથી ભરપૂર થાવ. 14 મસીહના નામને લીધે જો તમારું અપમાન થાય તો આનંદ કરો, તમને ધન્ય છે, કેમકે મહિમાનો આત્મા અને ઈશ્વરનો આત્મા તમારાં પર આવશે. 15 પણ ખૂની, દુશ્કમીઁ, ચોરી, અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે જો તમારે સહન કરવું પડે. 16 છતાં પણ જો તમારે મસીહી હોવાને લીધે સહન કરવું પડે, તો એમાં કશું શરમજનક નથી, પણ તેમના નામથી તમે ઓળખાવ છો તે માટે ઈશ્વરની સ્તુતિ કરો. 17 કેમકે ન્યાયચુકાદાનો આરંભ ઇશ્વરનાં કુટુંબથી થયો છે; અને તેની શરૂઆત આપણાંથી થઇ તો, જેઓ પ્રભુના સુસમાચાર નથી સ્વીકારતાં તેઓનું ભાવિ કેવું હશે! 18 અને,
"જો ન્યાયીઓનો બચાવ જ મુશ્કેલીથી થતો હોય
તો અધમીઁ તથા પાપીઓનું શું થશે?"
19 તેથી જો તમે ઈશ્વરની ઇચ્છા મુજબ સહન કરો છો, તો સારું કરવાને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દો.