Publicidade

Atos 21

યરુશાલેમ તરફ

1 તેઓથી વિદાય લઈ અમે જળમાર્ગે થઇને સીધા કોસ તરફ મુસાફરી કરી. બીજે દિવસે અમે રોડેસ અને પછી ત્યાંથી પાતારાં ગયા. 2 ત્યાંથી અમે સિરિયાના ફિનીકિયા પ્રાંત તરફ જતા એક વહાણમાં બેઠાં. 3 સાયપ્રસને જોઇને, તેની દક્ષિણ બાજુમાં થઈને અમે સિરીયાના તરફ મુસાફરી કરી, અમે તૂર ઉતરીને, ત્યાં અમારા વહાણે માલ ઉતારવાનો હતો. 4 ત્યાં અમને કેટલાક શિષ્યો મળ્યાં, અમે તેઓ સાથે અઠવાડિયું રહ્યા. તેઓ દ્રારા આત્માના જણાવ્યાં પ્રમાણે પાઉલને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. 5 જયારે વિદાયનો સમય થયો, અમે તેમને મુકીને માગેઁ વળ્યા. ત્યારે સ્ત્રીઓ અને બાળકો સહિત શહેર સુધી આવ્યા, ત્યાં કિનારે અમે ઘુંટણે પડીને પ્રાર્થના કરી. 6 પછી બધાંને છેલ્લી સલામ પાઠવી. અમે વહાણમાં બેઠાં અને તેઓ પાછાં ઘરે ગયાં.

7 તૂરથી અમારી મુસાફરી ચાલુ કરીને અમે ટોલેમાઈસ ગયા. ત્યાં અમે ભાઈઓ અને બહેનોને સલામ પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા. 8 બીજા દિવસે નિકળીને અમે કાઈસારિયા આવી પહોંચ્યા અને ત્યાં સુવાર્તિક ફિલિપને ઘરે અમે ઊતર્યા, કે જે સાતમાંનો એક હતો. 9 તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકા હતી.

10 ત્યાં અમે ઘણાં દિવસો સુધી રહ્યા પછી, આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી ત્યાં આવ્યો. 11 અમારી તરફ આવીને, તેણે પાઉલનો કમરપટો લઈને તેનાથી પોતાના હાથ અને પગ બાંધ્યા અને કહ્યું, "પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરપટો છે તેને યરુશાલેમનાં યહૂદી અધિકારીઓ આ જ પ્રમાણે બાંધીને અને તેને વિદેશીઓને સોંપશે."

12 જયારે અમે આ સાંભળ્યું, ત્યારે અમે તથા લોકોએ પાઉલને યરુશાલેમ ન જવા માટે વિનંતી કરી. 13 પછી પાઉલે કહ્યું, "તમે શા માટે રડો છો અને મારું હૃદય દુઃખી કરો છો? હું માત્ર યરુશાલેમ જઈને માત્ર બંધાવવા જ નહિ પણ પ્રભુ ઈસુને ખાતર મરવાને પણ તૈયાર છું." 14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે અમે છોડી દીધું અને કહ્યું, "પ્રભુની ઈચ્છા પૂરી થાઓ."

15 આ પછી, અમે યરુશાલેમ જવા નીકળ્યાં. 16 કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા, અને અમને મનાસોન ઘરે લઇ ગયાં, જયાં અમે રહેવાનાં હતા. જે પ્રથમ શિષ્ય હતો અને મૂળ સાયપ્રસનો વતની હતો.

પાઉલનું યરુશાલેમમાં આગમન

17 અમે યરુશાલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓ અને બહેનોએ ઉમળકાભેર અમારો આવકાર કર્યો. 18 બીજે દિવસે પાઉલ અને અમે બાકીનાં લોકો યાકોબને મળવા ગયા, ત્યાં સઘળા વડીલો હાજર હતા. 19 પાઉલે તેઓને સલામ પાઠવ્યાં અને પોતાની મારફતે ઈશ્વરે વિદેશીઓમાં જે કાર્ય કરાવ્યાં હતાં તેનો વિગતવાર હેવાલ આપ્યો.

20 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને પાઉલને કહ્યું, "ભાઈ, તું જાણે છે કે હજારો યહૂદીઓએ વિશ્વાસ કર્યો છે અને તેઓ બધા નિયમશાસ્ત્ર માટે ઉત્સાહી છે. 21 તેઓએ તારે વિશે સાંભળ્યું છે કે તું મોશેનાં નિયમશાસ્ત્ર તરફથી ફરવાનું શિખવે છે, અને કહે છે કે તમારે તમારા છોકરાઓએ સુન્નત કરાવવી નહિ અને આપણા રીતરિવાજો પ્રમાણે જીવવું નહિ, 22 તો હવે, શું કરવું જોઈએ? કેમકે તું આવ્યો છે તે વિશે તેઓને ચોક્કસ જાણ થવાની જ છે. 23 માટે અમે તમને જે કહીએ છે તે કરો. અમારી સાથે ચાર માણસો છે જેમણે માનતા લીધેલી છે. 24 આ માણસોને લઇ તેમના શુધ્ધિકરણમાં જોડાવો અને તેમનો ખઁચો ચુકવો જેથી તેઓ પોતાના માથાંનું મુંડન કરાવે. જેથી કરીને બધા જાણશે કે તમારા વિશેની વાતો સાચી નથી પણ તમે પોતે નિયમનું પાલન કરીને જીવો છો. 25 પરંતુ વિદેશીઓ માટે અમે તેમને અમારા નિણઁય મુજબ લખ્યું છે કે તેઓએ મૂતિઁઓને ધરાવેલાં ખોરાકથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓનું માંસથી, અને વ્યભિચારથી દૂર રહે."

26 પાઉલ બીજે દિવસે પેલા માણસોની સાથે લઇને તેમની સાથે પોતાને શુધ્ધ કર્યો. શુધ્ધિકરણના દિવસો કયારે પુરા થશે અને જેઓમાના દરેકને માટે અપઁણ કયારે ચઢાવામા આવશે તેની જાહેરાત કરવા માટે તે મંદિરમાં ગયો.

પાઉલની ધરપકડ

27 જયારે સાત દિવસ પૂરાં થયા, ત્યારે કેટલાક આસિયાના યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે ટોળાને ઉશ્કેરીને તેને પકડી લીધો. 28 બૂમો પાડી, "ઇઝરાયેલનાં લોકો, મદદે આવો! આ એ જ માણસ છે કે જે દરેક જગ્યાએ બધાને આપણા લોકો, આપણા નિયમશાસ્ત્ર અને આ જગ્યા વિરુધ્ધ શિક્ષણ આપે છે. અને તેણે ગ્રીકોને મંદિરમાં લાવીને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરી છે." 29 (તેઓએ આગલા દિવસે પાઉલની સાથે એફેસસ ત્રોફીમસને શહેરમાં જોયો હતો. અને તેઓએ માની લીધું કે પાઉલ તેને મંદિરમાં લઈ આવ્યો હશે.)

30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ અને લોકો બધી જગ્યાએથી દોડી આવ્યા. પાઉલને ધક્કો મારીને મંદિરની બહાર કાઢયો અને તરત જ મંદિરનાં દરવાજા બંધ કરી દીધા. 31 જયારે તેઓ પાઉલને મારી નાખવાની કોશિશ કરતા હતા એવામાં રોમન સેનાપતિને એવી ખબર મળી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું હતું. 32 તેણે કેટલાક સૈનિકોને તથા અધિકારીઓને તરત જ હુલ્લડના સ્થળે લઇને પહોંચી ગયો. જયારે હુલ્લડ કરનારાંઓએ સૈનિકોને તથા અધિકારીઓને જોયા, ત્યારે તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.

33 સેનાપતિએ આવીને તેની ધરપકડ કરી અને તેને બબ્બે સાંકળોથી બાંધવાનો હુકમ કર્યો. પછી તેણે પૂછયું કે એ કોણ છે? અને તેણે શું કર્યું છે? 34 ઘાંટા પાડીને કેટલાકે આમ કહ્યું અને કેટલાકે તેમ કહ્યું, અને ઘોંઘાટને કારણે સેનાપતિને સત્યની ખબર ન પડી, તેથી તેણે પાઉલને છાવણીમાં લઈ જવાનો હુકમ કર્યા. 35 જયારે પાઉલ પગથિયાંએ પોહચ્યો ત્યારે ટોળું એટલું બધુ હિંસક થઇ ગયું કે સૈનિકોએ તેને ખભા પર ઊંચકી લેવો પડયો. 36 પાછળ ધસી આવતું ટોળું બૂમો પાડતું હતું, "એને મારી નાખો!"

પાઉલ ટોળાની સાથે વાત કરે છે

37 જયારે સૈનિકો પાઉલને છાવણીમાં લઈ જતા હતા, ત્યારે તેણે સેનાપતિને કહ્યું, "શું હું તમને કંઇક કહી શકું?"

સેનાપતિએ જવાબ આપ્યો, "શું તું ગ્રીક બોલે છે? 38 કેટલાક સમય પહેલાં બળવો કરીને ચાર હજાર ખૂની બળવાખોરોને પોતાની સાથે અરણ્યમાં દોરી જનાર ઈજિપ્તવાસી એ તું તો નથી ને?"

39 પાઉલે જવાબ આપ્યો, "ના, હું તો કિલીકિયાના તાર્સસનો યહૂદી છું. એ કોઇ સામાન્ય શહેરનો નાગરિક નથી. હું વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દો."

40 સેનાપતિની પરવાનગી મેળવીને પાઉલ પગથિયાં આગળ ઊભા રહીને ટોળાને ઈશારો કર્યો. જયારે તેઓ બધા શાંત થઈ ગયા, ત્યારે તેણે તેઓને અરામીક ભાષામાં જણાવ્યું:

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-