1 પછી અગ્રીપાએ પાઉલને કહ્યું, "તને પોતાને બોલવાની પરવાનગી છે."
તેથી પાઉલે હાથ લાંબો કરીને પોતાના બચાવ શરૂ કયોઁ. 2 "હે અગ્રીપા રાજા, જે બાબતો વિશે યહૂદીઓ મારી પર તોહમત મુકે છે, તે બધી બાબતો વિશે મારે આજે આપની આગળ જવાબ આપવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું. 3 વિશેષ કરીને, આપ યહૂદી રીતરિવાજોથી અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી આપ ધીરજથી મને સાંભળો, તેવી વિનંતી છે.
4 "બાળપણથી જ મને મારા વતનમાં અને યરુશાલેમમાં સર્વ પ્રકારની યહૂદી કેળવણી આપવામાં આવી છે અને તે પ્રમાણે જ હું વર્ત્યો છું. સઘળાં યહૂદીઓ આ સારી પેઠે જાણે છે. 5 તેઓ મને લાંબા સમયથી જાણે છે અને જો તેઓ ચાહે તો સાક્ષી આપી શકે છે, કે હું એક ફરોશી તરીકે જીવતો હતો અને આપણા આ ધમઁના સૌથી કટ્ટર પંથનું પાલન કરતો હતો. 6 અને હવે, ઈશ્વરે આપણા પૂવઁજોને જે વચન આપ્યું હતું તેમાં મારી આશા હોવાથી, આજે મારો ન્યાય થાય છે. 7 આપણા બાર કુળો દિવસ-રાત ખંતથી ઈશ્વરની સેવા કરીને આ વચન પૂણઁ થવાની આશા રાખે છે. રાજા આગ્રીપા, આ આશાને કારણે જ આ યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે. 8 તમારામાંથી કોઇને કેમ એવું લાગે છે કે ઈશ્વર મૂએલાઓને ઊઠાડે છે, એ વાત અવિશ્વાસનીય છે?
9 "નાઝરેથના ઈસુનો વિરોધ કરવા માટે શકય તેટલું બધું જ કરવું જોઈએ એમ હું પણ માનતો હતો. 10 મેં યરુશાલેમમાં એમ જ કર્યું, મુખ્ય યાજકોની સંમતિ મેળવીને યરુશાલેમનાં ઘણાં સંતોને મેં જેલમાં પુરાવ્યાં, અને જયારે તેઓને મારી નાંખવામાં આવ્યા ત્યારે પણ મેં મારી સંમતિ આપી હતી. 11 ઘણીવાર હું એક સભાસ્થાનથી બીજા સભાસ્થાન જઈને મે તેમને શિક્ષા કરી, અને તેમને ઈશ્વરની નિંદા માટે મજબૂર કયાઁ. વળી હું તેઓની વિરુધ્ધનાં ઝનૂનને લીધે પરદેશી નગરોમાં જઈને પણ મેં તેઓને સતાવ્યાં.
12 "આજ હેતુથી એક દિવસ હું મુખ્ય યાજકો પાસેથી અધિકારપત્રો મેળવીને દમાસ્કસ જતો હતો. 13 ત્યારે હે રાજા આગ્રીપા, બપોરનાં સમયે આકાશમાંથી સૂર્ય કરતાં અધિક તેજસ્વી એવો પ્રકાશ એકાએક મારા પર તથા મારા સાથીઓ પર પડયો. 14 અમે બધા જમીન પર પડી ગયા, અને પછી અરામીક ભાષામાં મને કહેતી એક વાણી સાંભળી, ‘શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે? આર પર લાત મારવી તારા માટે કઠણ છે.’
15 "ત્યારે મેં પૂછયું, ‘પ્રભુ તમે કોણ છો?’
"પ્રભુએ જવાબ આપ્યો, ‘હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે. 16 હવે તારા પગ પર ઊભો થા, કેમકે હું તને મારા સેવક, તથા મારા સાક્ષી તરીકે નીમું એ માટે મેં તને દર્શન આપ્યું છે, જેથી તેં મારા વિશે જે કંઇ જોયું છે અને જોનાર છે તેનો સાક્ષી ઠરાવું. 17 તારા પોતાના લોકોથી તથા જેઓની પાસે હું તને મોકલવાનો છું, તે બિનયહૂદીઓથી પણ હું તારું રક્ષણ કરીશ. 18 હું તને એટલા માટે મોકલું છું કે જેથી તું તેઓની આંખો ખોલે અને તેઓને અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવે અને શેતાનની સત્તામાંથી ઈશ્વરના તરફ ફેરવી શકે. જેથી તેઓ પોતાનાં પાપની માફી પામે અને મારા પર વિશ્વાસ રાખીને પવિત્ર થયેલા લોકોમાં સ્થાન મેળવી શકે.’
19 "તે માટે, અગ્રીપા રાજા, સ્વર્ગના એ દર્શનને આધીન થયા વગર હું રહ્યો નથી. 20 પ્રથમ દમાસ્કસમાં, પછી યરુશાલેમમાં, પછી સમગ્ર યહૂદિયામાં અને પછી બિનયહૂદીઓમાં મેં ઉપદેશ કયોઁ કે તમારે પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ અને પસ્તાવાને શોભે એવા સુકૃત્યો કરો. 21 તેથી કેટલાક યહૂદીઓએ મને મંદિરમાં પકડ્યો અને મારી નાંખવાનો પ્રયત્ન કર્યા. 22 પરંતુ ઈશ્વરે આજ સુધી મારી સહાય કરી છે. તેથી હું અહીં ઊભા રહીને નાનાં મોટાં સર્વને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મોશેએ જે કહ્યું છે તે સિવાય બીજું કંઈ હું કહેતો નથી. 23 એટલે મસીહ દુઃખ સહન કરશે, મરણમાંથી સજીવન થનાર પ્રથમ પોતાના લોકોને અને બિનયહૂદીઓને પ્રકાશનો સંદેશો આપે."
24 આ સમયે ફેસ્તુસે પાઉલના બચાવ માટે વચ્યે બોલી ઊઠ્યો, "પાઉલ! તું પાગલ થઈ ગયો છે. તારા પુષ્કળ જ્ઞાને તને ઘેલો કરી રહ્યું છે."
25 પાઉલે જવાબ આપ્યો, "નેકનામદાર ફેસ્તુસ, હું કાંઈ પાગલ નથી! હું જે કહું છું તે સત્ય અને વાજબી છે. 26 રાજા આ બધું સારી પેઠે જાણે છે, અને હું તેમની સાથે મુકતપણે બોલું છું. મને ખાતરી છે કે આમાની કોઇ વાત તેમની જાણ બહાર હોય કારણ કે આ બધું ખૂણામાં બન્યું નથી. 27 અગ્રીપા રાજા, શું આપ પ્રબોધકો પર વિશ્વાસ કરો છો? હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો."
28 ત્યારે અગ્રીપાએ પાઉલને કહ્યું, "શું તું એમ માને છે કે આટલા ટૂંક સમયમાં તું મને મસીહી બનાવવાં માટે મનાવી શકીશ!"
29 પાઉલે ઉત્તર આપ્યો, "ટૂંક સમય કે લાંબો સમય હોય, હું ઈશ્વરને પ્રાથઁના કરું છું કે ફકત તમે જ નહિ પણ જેઓ આજે મને સાંભળી રહયાં છે, તેઓ સવઁ આ સાંકળો સિવાય મારા જેવા બને."
30 ત્યાર પછી રાજા ઉભા થયા તેની સાથે રાજ્યપાલ બેરનીકે, તથા ત્યાં બેઠેલા બધા ઊભા થઈ ગયા. 31 ઓરડામાંથી બહાર આવ્યા પછી, તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "આ માણસે મોત અથવા કેદની સજાને લાયક કંઈ જ કયુઁ નથી!"
32 અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, "જો તેણે કૈસર પાસે દાદ માંગી ન હોત તો તેને મુક્ત કરી શકયો હોત."