Publicidade

Atos 8

1 અને શાઉલે તેમને મારી નાખવાની સંમતિ આપી હતી.

મંડળીની સતાવણી અને વિખેરાય જવું

તે દિવસથી યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેષિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ ગયા. 2 ધાર્મિક માણસોએ ભારે શોક અને વિલાપ સાથે સ્તેફનને દફનાવ્યો. 3 પણ શાઉલે મંડળીનો નાશ કરવાનું શરૂ કયુઁ; ઘરે ઘરે જઈને સ્ત્રી-પુરુષો બંનેને ઘસડી લાવતો અને તેઓને જેલમાં પૂરતો.

ફિલિપ સમારીઆમાં

4 જેઓ વિખેરાઈ ગયા હતા, તેઓ જયાં ગયા ત્યાં ઉપદેશ કયોઁ. 5 ફિલિપ સમરૂનના એક શહેરમાં ગયો અને મસીહા વિશે બોધ કયોઁ. 6 જયારે લોકોએ ફિલિપના શબ્દો સાંભળ્યા તથા તેણે કરેલાં ચમત્કારો જોયા ત્યારે લોકોએ તેની વાતો ધ્યાનપૂર્વક સાંભળી. 7 ધણા લોકોમાંથી અશુધ્ધ આત્માઓ ચીસો પાડતાં બહાર નીકળી ગયા. ઘણા લોકો લકવાગ્રસ્ત અને લંગડા હતા તેઓ સાજા થયાં. 8 આથી તે શહેરમાં ખૂબ આનંદ થઈ રહ્યો.

સિમોન જાદુગર

9 હવે થોડા સમય માટે આ શહેરમાં સિમોન નામનો એક માણસ જાદુ કરતો હતો અને સમરૂનના બધા લોકોને આશ્ચર્યચકિત કરતો હતો. અને બડાઇ મારતો હતો કે તે કોઇ મહાન વ્યકિત છે. 10 અને નાનાં મોટાં સર્વે તેનું સાંભળતા હતા, અને તેને વિશે કહેતાં કે, "ઈશ્વરની મહાન શકિત તે એ જ છે." 11 તેઓ તેની પાછળ ગયા કારણ કે તેણે લાંબા સમયથી પોતાની જાદુક્રિયાથી તેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 12 પણ જયારે ફિલિપે ઈશ્વરના રાજ્ય અને ઈસુ મસીહના નામના સુસમાચાર પ્રગટ કયાઁ, ત્યારે સ્ત્રીઓ પુરુષો બંનેએ તેનાં પર વિશ્વાસ કર્યો ને બાપ્તિસ્મા પામ્યા. 13 સિમોન જાદુગરે પણ વિશ્વાસ કર્યો તથા બાપ્તિસ્મા લીધું, અને તે ફિલિપની પાછળ બધે ગયો અને તે મહાન ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો.

14 જયારે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું કે, સમરૂનના લોકોએ ઈશ્વરના વચનો સ્વીકાર્યા છે, ત્યારે તેઓએ પિતર અને યોહાનને સમરૂન મોકલ્યા. 15 ત્યાં જઈને તેઓએ નવા વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી. 16 તેઓ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા, પણ હજુ સુધી તેમના પર પવિત્ર આત્મા ઊતર્યો ન હતો. 17 પછી પિતર તથા યોહાને તેમના પર હાથ મૂક્યાં અને તેઓ સર્વ પવિત્ર આત્મા પામ્યા.

18 જયારે સિમોને જોયું કે પ્રેષિતોનાં હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે છે, ત્યારે તે પૈસા આપવાં લાગ્યો, 19 અને કહ્યું, "મને પણ આ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે દરેકને પવિત્ર આત્મા મળે."

20 પિતરે જવાબ આપ્યો, "ઈશ્વરનું દાન તેં પૈસાથી ખરીદવાનું વિચાયુઁ! માટે તારી સાથે તારા પૈસા પણ નાશ પામો. 21 તારું અંતઃકરણ ઈશ્વર સમક્ષ શુધ્ધ નથી, તેથી આ સેવામાં તારે કાંઈ જ લાગભાગ નથી. 22 માટે તારી દુષ્ટતા વિશે પસ્તાવો કર અને ઈશ્વરને પ્રાથઁના કર, જેથી તારા હૃદયનાં આ વિચારો તને માફ કરે. 23 કેમકે હું જોઉં છું કે તું કડવાશ અને પાપનાં બંધનથી બંધાયેલો છે."

24 સિમોને જવાબ આપ્યો, "તમે જે કંઇ કહ્યું તે મારા પર ન આવે તેથી પ્રભુને મારે માટે પ્રાર્થના કરો."

25 પ્રભુનો સંદેશો અને ઈસુ વિશેની સાક્ષી આપ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમમાં પાછા આવ્યા. તેઓએ સમરૂનીઓનાં ઘણાં ગામોમાં તેઓએ સુસમાચારનો સંદેશ આપ્યો.

ફિલિપ અને હબસી ખોજો

26 હવે, ઈશ્વરના દૂતે ફિલિપને કહ્યું, "યરુશાલેમથી ગાઝા જવાનાં માગઁ સુધી દક્ષિણ તરફ અરણ્યમાં જવાનાં માર્ગે જા." 27 તેથી ફિલિપે તે પ્રમાણે કર્યું, રસ્તામાં તેને એક હબશી ખોજો મળ્યો તે કંદિકા (હબસીઓની રાણી) ના હાથ નીચે અમલદાર તથા તેના બધા ભંડારનો મુખ્ય અધિકારી હતો. તે યરુશાલેમનાં મંદિરમાં ભજન કરવા ગયો હતો. 28 અને તે ઘરે પાછા ફરતાં પોતાના રથમાં બેસીને તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. 29 આત્માએ ફિલિપને કહ્યું, "એ રથની પાસે જા અને તેની સાથે રહે."

30 ત્યારે ફિલિપ તે રથની પાસે દોડી ગયો, અને તેણે તે માણસને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો, ફિલિપે તેને પૂછયું. "તું જે વાંચે છે, તે શું તું સમજી શકે છે?"

31 તેણે કહ્યું, "કોઈનાં સમજાવ્યાં વગર હું તે કેવી રીતે સમજી શકું?" પછી તેણે ફિલિપને ઉપર પોતાની પાસે આવીને બેસવા આમંત્રણ આપ્યું.

32 શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો:

"ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા,

અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,

તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.

33 તેમના દિનઅવસ્થામાં તેમને ન્યાય મળ્યો નહિ.

તેમના વંશજોનું વર્ણન કોણ કરી શકે?

કારણ તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો."

34 ખોજાએ ફિલિપને પૂછયું, "મહેરબાની કરી મને કહો, પ્રબોધક કોના વિશે આ વાત કરે છે, પોતા વિશે કે બીજા કોઈ વિશે?" 35 ત્યારે ફિલિપે શાસ્ત્રના એ જ ભાગમાંથી શરૂ કરીને ઈસુ વિશેનાં સુસમાચાર તેને કહ્યાં.

36 તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, "જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?" 37 ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે." 38 પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જયારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા અચાનક ફિલિપને લઈ ગયો. અને હબસી ખોજાએ તેને ફરી જોયો નહિ. પણ તે આનંદ કરતો પોતાને માર્ગો ચાલ્યો ગયો 40 ફિલિપ આઝોટસમાં જોવામાં આવ્યો. તેણે કાઈસારિયા પહોંચ્યા ત્યાં સુધી દરેક શહેરમાં સુસમાચારનો ઉપદેશ પ્રગટ કયોઁ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-