Publicidade

Atos 4

પિતર અને યોહાન ન્યાયસભા સમક્ષ

1 જયારે તેઓ લોકો સાથે વાત કરતા હતા, એટલામાં યાજકો, અને મંદિરનાં રક્ષકો અને કેટલાક સાદૂકીઓ પિતર અને યોહાન પર ધસી આવ્યા. 2 તેઓ ખુબજ વ્યથિત થયા હતા, કેમકે પ્રેષિતો મંદિરમાં લોકોને શિક્ષણ આપતાં, મૂએલાઓનું ઈસુમાં પુનરુત્થાન પ્રગટ કરતા હતા. 3 તેઓએ પિતર અને યોહાનની ધરપકડ કરી અને સાંજ પડી ગઈ હોવાથી બિજા દિવસ સુધી આખી રાત તેઓને જેલમાં રાખ્યાં. 4 પણ જેઓએ તેઓની વાત સાંભળીને વિશ્વાસ કયોઁ, તેથી વિશ્વાસ કરનારાઓની સંખ્યામાં વધારો થઇને પાંચ હજારની થઈ.

5 બીજે દિવસે આગેવાનો, વડીલો અને નિયમશાસ્ત્રના પંડિતો યરુશાલેમમાં મળ્યા. 6 અન્નાસ પ્રમુખયાજક ત્યાં હતો, અને કાયાફાસ પણ હતો, યોહાન, એલેકઝાંડર અને પ્રમુખ યાજકનાં અન્ય સગાઓ પણ હાજર હતાં. 7 તેઓએ પિતર અને યોહાનને તેઓની સમક્ષ રજૂ કયાઁ અને તેઓએ પ્રશ્ન પૂછવાં લાગ્યા કે: "ક્યાં પરાક્રમથી કે કોના નામથી તમે આ કરો છે?"

8 પછી પિતર પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું: "આગેવાનો અને લોકોના વડીલો! 9 જો તમે એક લંગડા માણસનાં હકમાં જે સારું કાર્ય થયું છે તે વિશે અમારી તપાસ કરવા માગતા હો અને પુછવા માંગતા હો કે તે કેવી રીતે સાજો થયો, 10 તો, તમે તથા ઇઝરાયેલનાં સર્વ લોકો: આ જાણીલો કે, એ તો નાઝરેથના ઈસુ જે મસીહ છે, તેમના નામમાં કરવામાં આવ્યું છે, જેને તમે ક્રૂસે જડયાંં પણ ઈશ્વરે તેમને મુત્યુમાંથી સજીવન કર્યા, કે જે દ્વારા આ માણસ સાજો થઈને અહીં ઊભો છે. 11 ઈસુ,

" ‘જે પથ્થરને બાંધનારાઓએ નકાયોઁ,

તે જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો,’

12 બીજા કોઇથી તારણ નથી, કેમકે જેથી આપણું તારણ થાય એવું બિજું કોઇ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી."

13 જયારે તેઓએ પિતર અને યોહાનની હિંમત જોઈ તથા તેઓ અભણ અને સામાન્ય લોકો છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને એ ઘ્યાનમાં લિધું કે તેઓ ઈસુની સાથે હતા. 14 જે માણસને તેઓએ સાજો કર્યા હતો તે તેઓની બાજુમાં જ ઊભો હતો તેથી તેઓ કંઈ બોલી શક્યાં નહિ; 15 તેથી તેઓએ તેમને સભાખંડની બહાર કાઢવાનો હુકમ કયોઁ, અને અંદરોઅંદર મસલત કરવા લાગ્યા, 16 તેઓએ કહ્યું કે "આ લોકો વિશે આપણે શું કરીએ? તેઓએ કરેલ અદભુત ચમત્કાર વિશે યરુશાલેમનાં રહેતા સર્વ લોકોને ખબર છે, અને આપણે તેનો નકાર કરી શકતા નથી. 17 પરંતુ આપણે તેઓને લોકોમાં તેનો પ્રચાર કરતાં રોકી શકીએ, અને આપણે તેમને ચેતવણી આપીએ કે તમારે હવે વાત કરતાં પણ આ નામ લેવું નહિ."

18 તેથી તેઓએ ફરીથી તેમને પાછા બોલાવ્યાં અને તાકીદ કરી કે વાત કરતા કે બોધ કરતા ઈસુનું નામ તમારે લેવું નહિ. 19 પરંતુ પિતરે અને યોહાને જવાબ આપ્યો, "ઈશ્વરની નજરમાં શું યોગ્ય છે: તમારું સાંભળવું કે તેમનું? તે તમે જ નક્કી કરો. 20 અમારા માટે તો, અમે જે જોયું અને સાંભળ્યું છે એ વિશે કહ્યાં વિના રહેવાય એમ નથી."

21 પછી તેઓને ધમકી આપીને તેમને જવા દીધા. તેઓ નક્કી ન કરી શકયા કે તેમને શું સજા કરવી, કેમકે બધા લોકો જે બન્યું હતું તેને માટે ઈશ્વરની સ્તુતી કરતા હતા. 22 કેમકે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો, તે ચાળીસ વર્ષથી, વધારે વયનો હતો.

વિશ્વાસીઓની પ્રાર્થના

23 મુક્ત થતાં, પિતર અને યોહાન પોતાના લોકોની પાસે ગયા અને મુખ્ય યાજકો અને વડીલોએ તેમને જે કહ્યું હતું તે કહી જણાવ્યું. 24 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બધાએ ઇશ્વરને મોટેથી પ્રાર્થના કરી: "હે પ્રભુ, તમે આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો. 25 તમે તમારાં સેવક અને અમારા પિતા દાવિદ દ્વારા પવિત્ર આત્માથી કહ્યું કે:

" ‘પ્રજાઓ કેમ તોફાન કરે છે

અને વ્યર્થ યોજનાઓ ઘડે છે?

26 પૃથ્વી ના રાજાઓ સજજ થયા, ઈશ્વરની વિરુદ્ધ

અને આગેવાનો એકઠા થયા છે.

ઈશ્વરની વિરુધ્ધમાં

અને તેમના અભિષિકતની વિરુધ્ધમાં.’

27 કેમકે તમારાં અભિષિકત તથા પવિત્ર સેવક ઈસુની વિરુધ્ધમાં હેરોદ રાજા અને પોંતિયુસ પિલાત વિદેશીઓની સાથે તથા સર્વ ઇઝરાયેલી લોકો સાથે એકઠા થયા છે. 28 તમારાં ડહાપણ અને સામર્થ્ય પ્રમાણે તમે તેઓને જે કરવાની પરવાનગી આપી છે તે તેઓએ કયુઁ. 29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30 સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો."

31 તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.

વિશ્વાસીઓ તેઓની મિલ્કત વહેચતા

32 બધા જ વિશ્વાસીઓ એક મનના તથા દિલનાં હતા. કોઈ પણ પોતાની મિલ્કતને પોતાની માનતો નહોતો, પણ તેઓને સઘળી સહિયારી હતી. 33 પ્રેષિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશે સાક્ષી આપવાનું ચાલુ રાખ્યું. તે તેમના સર્વનાં કાયોઁ ઉપર ઈશ્વરની ઘણી કૃપા હતી. 34 તેઓમાંના કોઈને કોઈ બાબતની અછત ન હતી, કારણ કે જેટલાંની પાસે જમીન કે મકાનો હતાં તે તેઓ વેચી નાખીને, તેના પૈસા લાવતા. 35 અને નાણાં પ્રેષિતોની પગ આગળ મુકતા, અને જેને જરૂરિયાત હોય તેમને વહેચતા હતા.

36 યોસેફ, સાયપ્રસનો લેવી, જેને પ્રેષિતોએ બાર્નાબાસ તરીકે બોલાવતા હતા (જેનો અથઁ સુબોધનો દીકરો), 37 તેણે પોતાનું ખેતર વેચી નાખ્યું અને ઉપજનાં પૈસા પ્રેષિતોના પગ આગળ મૂકી દીધા.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-