1 આ પછી, પાઉલ આથેન્સથી નીકળીને કરિંથ ગયો. 2 ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો. 3 કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો. 4 દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈ વાતચીત કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો.
5 પણ જયારે મકદોનિયાથી સિલાસ અને તિમોથી આવ્યા ત્યારે ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી યહૂદીઓને આપવામાં પાઉલે પોતાને સમઁપિત કયોઁ. 6 પણ જયારે તેઓ પાઉલનો વિરોધ કરવા અને અપમાન કરવા લાગ્યાં, ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરી નાંખીને તેઓને કહ્યું, "તમારું લોહી તમારે માથે, હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ."
7 પછી પાઉલ સભાસ્થાનથી નિકળીને તિતસ યુસ્તસના ઘરે ગયો. તે એક ઈશ્વરભકત હતો. 8 સભાસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના આખા કુટુંબે પ્રભુ પર વિશ્વાસ કયોઁ; વળી કરિંથના બીજા ઘણાંએ પણ વિશ્વાસ કયોઁ અને બાપ્તિસ્મા પામ્યા.
9 એક રાત્રે પ્રભુએ પાઉલને દર્શનમાં કહ્યું, "ગભરાતો નહિ, શાંત ન રહે, પણ બોલજે. 10 કેમકે હું તારી સાથે છું, અને કોઈ તારા પર હુમલો કરીને ઇજા કરશે નહિ. આ શહેરમાં મારા ઘણાં લોકો છે." 11 તેથી ત્યાં દોઢ વરસ સુધી રહીને પાઉલે ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.
12 પણ ગાલિયો અખાયાનો રાજ્યપાલ હતો ત્યારે કરિંથના યહૂદીઓએ સંપ કરીને પાઉલને હુમલો કરાવવા તેને શિક્ષા કરાવવા ન્યાયાસન પાસે લઇ ગયા. 13 તેઓએ આરોપ મૂકયો કે આ માણસ, "તે નિયમશાસ્ત્રની વિરુધ્ધ લોકોને ઈશ્વરનું ભજન કરવાની ફરજ પાડે છે."
14 પાઉલ બોલવા જતો હતો એટલામાં ગાલિયોએ તેઓને કહ્યું, "જો તમે યહૂદીઓ કોઈ ગંભીર ગુના વિશે કે ફરીયાદ કરતા હોત તો તમારું સાંભળવું મારા માટે વ્યાજબી ગણાત. 15 પણ આ કેવળ શબ્દો, અને નામો અને તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની તકરાર હોઈ તો તમે પોતે તેનો નિકાલ કરો. આવી બાબતોનો ન્યાય હું કરવા માગતો નથી." 16 આમ કહી તેણે તેઓને બહાર કાઢી મૂક્યાં. 17 પછી ત્યાંના લોકોએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડયો અને ન્યાયાસન આગળ માર માર્યો. અને ગાલિયોએ આ વાતની કંઈ પણ પરવા કરી નહિ.
18 પાઉલ થોડો સમય કરિંથમાં રહયો, પછી ત્યાંના ભાઈઓ અને બહેનોને વિદાય લઈને તે જળમાર્ગે સિરીયા જવા નીકળ્યો. પ્રિસ્કીલા તથા અકુલાને પણ તેણે સાથે લીધા. વહાણમાં જતા પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી તેથી કિંખ્રિયામાં પોતાના વાળ ઉતરાવી નાખ્યા. 19 તેઓ એફેસસ પહોંચ્યા, ત્યાં પાઉલે પ્રિસ્કીલા તથા આકુલાને મૂકી દિઘા. પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓ સાથે ચર્ચા કરી. 20 જયારે તેઓએ તેને તેમની સાથે વધું સમય વિતાવવા કહ્યું, ત્યારે તેણે ના પાડી. 21 પણ જતાં સમયે તેણે વચન આપ્યું "જો ઈશ્વરની મરજી હશે તો હું પાછો આવીશ." અને અમે એફેસસથી વહાણ મારફતે આગળ વધ્યાં. 22 જયારે તે કાઈસારિયા ઊતરીને પાઉલ યરુશાલેમ ગયો અને મંડળીની મુલાકાત લઇને પછી અંત્યોખ ગયો.
23 અંત્યોખમાં થોડો સમય વિતાવ્યા પછી, પાઉલ ત્યાંથી નિકળીને થોડા દિવસો રહ્યા પછી તે રસ્તામાં ગલાતીઆ તથા ફ્રુગિયા પ્રદેશની મુસાફરી કરી શિષ્યોને મજબુત કયાઁ.
24 એ દરમ્યાન આલેકઝાન્ડ્રિયા શહેરમાંથી અપોલસ નામનો એક યહૂદી એફેસસ આવ્યો હતો. તે વિદ્વાન હતો અને શાસ્ત્રનું સંપૂણઁ જ્ઞાન ધરાવતો હતો. 25 તેને પ્રભુના માગઁનું શિક્ષણ મળ્યું હતું, તે ચોકસાયથી ઈસુ વિશેની વાતો શીખવતો હતો. તે ફકત યોહાનનું બાપ્તિસ્ત જાણતો હતો, 26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. જયારે પ્રિસ્કીલા અને અકુલા તેને સાંભળ્યો, ત્યારે તેને પોતાના ઘરે બોલાવીને ઇશ્વરના માગઁનો વધારે ચોકસાયથી ખુલાસો આપ્યો.
27 જયારે આપોલસ અખાયા જવા ઇચ્છતો હતો ત્યારે ભાઈઓ અને બહેનો તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આવકાર કરે. જયારે તે આવ્યો ત્યારે જેઓએ કૃપાથી વિશ્વાસ કયોઁ તેઓને ઘણી સહાય કરી. 28 આપોલસે જાહેર વાદવિવાદમાં યહૂદીઓની તમામ દલીલોનું ખંડન કરી શાસ્ત્રને આધારે સાબિત કરી બતાવ્યું કે ઈસુ તે જ મસીહ હતા.