Publicidade

Efésios 2

મસીહમાં સજીવન કયાઁ

1 માટે તમે તો અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતા, 2 તેમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દિકરાઓમાં હમણાં કામ કરી રહ્યો છે. 3 પણ આપણે એક સમયે તેમની સાથે રહેતા હતાં, આપણા શરીરની ઇચ્છાઓ સંતોષતા હતાં, અને તેની ઇચ્છાઓ અને વિચારોને અનુસરતા હતાં. બાકીનાં લોકોની જેમ, આપણે પણ સ્વભાવે ક્રોધને પાત્ર હતાં 4 પણ ઈશ્વર, જેની દયા અપાર છે, તેમણે આપણા પર પ્રેમ કર્યો, 5 જયારે આપણે અપરાધોમાં મૂએલા હતા ત્યારે તેણે મસીહની સાથે આપણને સજીવન કયાઁ (કૃપાથી આપણું તારણ થયું છે.) 6 અને ઈશ્વરે આપણને મસીહની સાથે ઉઠડ્યા અને મસીહ ઈસુમાં સ્વગીઁય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. 7 જેથી આવનાર યુગમાં મસીહ ઈસુમાં આપણા પરની તેમની દયા દ્રારા તેઓ પોતાની મહાન કૃપાની સંપત દેખાડે. 8 કેમકે તમે તેમની કૃપાથી મસીહ પરના વિશ્વાસ દ્રારા તમે તારણ પામ્યા છો, એ તમારાંથી નથી પણ એ તો ઈશ્વર તરફથી તમને મળેલું કૃપાદાન છે, 9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. 10 કેમકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને મસીહ ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે, તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

યહૂદી અને વિદેશી લોકોનું મસીહ દ્રારા સમાધાન

11 એ માટે, યાદ રાખો કે તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, ને દેહ સંબંધી હાથે કરેલી "સુન્નતવાળા" તમને "બેસુન્નતી" કહેતા હતાં; 12 યાદ રાખો કે તમે મસીહ વિનાનાં, ઇઝરાયેલના પ્રજાપણાંના હક વિનાના, તથા આપેલા વચનનાં કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઈશ્વર વગરનાં એવા હતા. 13 પણ હવે તમે મસીહ ઈસુમાં જેઓ દૂર હતાં, મસીહના રક્ત દ્રારા તમે નજીક આવ્યા છો.

14 કેમકે તેઓ પોતે આપણી શાંતિ છે, જેમણે બે જૂથોને એક કયાઁ છે, અને આપણને અલગ પાડતી વાડ તેમણે તોડી નાંખી છે, 15 પોતાના શરીરમાંથી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને નિયમો સહિત કાઢી નાંખીને, તેમનો હેતુ એ હતો કે તે બેમાંથી એક નવો માણસ ઉત્પન્ન કરે અને શાંતિ સ્થાપે, 16 અને એક શરીરમાં બંનેને ક્રોસ દ્રારા ઈશ્વર સાથે સમાધાન કરાવવા, જેના દ્રારા તેમણે વૈરને નાબૂદ કયુઁ. 17 તેમણે આવીને તમે જેઓ દૂર હતા અને જેઓ નજીક હતાં તેઓને શાંતિનો સંદેશ પ્રગટ કર્યા. 18 કારણ કે તેમના દ્રારા આપણે બન્ને એક જ આત્માની સહાયથી ઈશ્વર પિતા પાસે આવી શકીએ છીએ.

19 તેથી તમે હવે પરદેશી કે અજાણ્યા નથી, પણ ઈશ્વરના લોકો સાથે અને તેમના ઘરના લોકો સાથે સહનાગરીક છો. 20 તમે જે પાયા પર બંધાયા છો તે પ્રેષિતોએ અને પ્રબોધકોએ નાંખેલો છે અને મસીહ ઈસુ પોતે જ ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 અને તેમનામાં આખી ઈમારત એક સાથે જોડાયેલી છે અને પ્રભુમાં એક પવિત્ર મંદિર બનવા માટે વધી રહી છે. 22 અને તેમનામાં તમે પણ એક નિવાસસ્થાન બનવા માટે એક સાથે બંધાઈ રહ્યા છો જેમાં ઈશ્વર તેમના આત્મા દ્રારા રહે છે.

Veja também

Publicidade
Efésios
Ver todos os capítulos de Efésios
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-