1 તેથી, પ્રભુના પ્રિય બાળકો તરીકે તમે સર્વ વાતે ઈશ્વરનું અનુકરણ કરો 2 અને પ્રેમના માગઁમાં ચાલો, જેમ મસીહે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની સમક્ષ સુવાસને અથેઁ આપણા માટે સ્વાપઁણ કરીને પોતાનું બલિદાન આપ્યું.
3 પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે. 4 અને નિલઁજ્જ વાતો, મૂખઁતાભરેલી વાતો કે ઠઠ્ઠામશ્કરી તમારામાં ન હોવા જોઈએ, તે યોગ્ય નથી; પણ તેને બદલે આભારસ્તુતિ કરો. 5 કેમકે તમે એ વાત ચોક્કસ જાણો છો કે: કોઈ પણ અનૈતિક, અશુધ્ધ કે દ્રવ્યલોભી વ્યક્તિ તો મૂર્તિપૂજક છે, તેને મસીહના અને ઇશ્વરના રાજ્યમાં કોઈ વારસો નથી. 6 કોઈ તમને નિરથઁક વાતોથી ભરમાંઈ ન જાય, કેમકે આવી વાતોનો આજ્ઞાભંગ કરનારાઓ પર ઇશ્વરનો કોપ આવે છે. 7 એ માટે તમે તેમના સાથી ભાગીદાર ન થાવ.
8 કારણ કે તમે એક સમયે અંધકારરૂપ હતાં, પણ હવે તમે પ્રભુમાં પ્રકાશ છો. પ્રકાશનાં બાળકો તરીકે જીવો. 9 (કેમકે પ્રકાશનું ફળ સવઁ પ્રકારની ભલાઈ, ન્યાયપણું, અને સત્યતામાં છે.) 10 અને પ્રભુને શું પસંદ છે તે શોધો. 11 અંધકારના નિષ્ફળ કામોનાં સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને ખુલ્લાં પાડો. 12 આજ્ઞાભંગ કરનારાઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે તેનું વર્ણન કરવું એ પણ શરમ ઉપજાવે એવું છે. 13 પણ પ્રકાશથી જે કંઈ ખુલ્લું પડે છે તે બધું દ્રશ્યમાન બને છે, અને જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. 14 તેથી જ કહેવામાં આવ્યું છે કે:
"ઊંધનાર, જાગ,
અને મૃત્યુમાંથી સજીવન થા,
અને મસીહ તારા પર પ્રકાશ પાડશે."
15 તો પછી, તમે કેવી રીતે જીવો છો, તેની કાળજીપૂવઁક સાવધ રહો, અને મૂર્ખની જેમ નહિ પણ બુધ્ધિમાનની જેમ ચાલો, 16 દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, કારણ કે દિવસો ભૂંડા છે. 17 તેથી મૂખઁ ન બનો, પણ ઈશ્વરની શું ઇચ્છા છે તે સમજો. 18 દારૂ પીને છાકટા ન બનો, જે તમને દુષ્ટતા તરફ દોરી લઇ જાય છે, પણ તેને બદલે આત્માથી ભરપૂર થાઓ, 19 ભજનો, સ્તોત્રો અને પવિત્ર ગીતો ગાઈને એકબીજા સાથે વાતો કરો અને તમારાંં હૃદયોમાં પ્રભુનાં સ્તુતિગાન ગાઓ, 20 આપણા પ્રભુ ઈસુ મસીહને નામે સઘળાને સારું હંમેશા આપણા ઈશ્વર પિતાનો આભાર માનો.
21 મસીહની બીક રાખીને એકબીજાને આધીન રહો.
22 પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. 23 કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. 24 તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.
25 જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. 26 એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, 27 અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે. 28 તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. 29 આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, 30 "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ. 31 એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે." 32 આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું. 33 તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.